Wednesday, January 26, 2011

ભજન-કિર્તનની સાથે પી.એચ.ડી પણ કરી શકાય

 સામાન્ય રીતે એક એવી વિચારધારા જોવા મળે છે કે ઘડપણ આવે એટલે માણસ નિવૃત્ત થઇ જાય છે, પરંતુ અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા ૬૬ વર્ષના સરોજબેન શાહ આ વિચારધારાને તોડી બતાવી છે. ૬૬ વર્ષની જૈફ વયે પણ તેઓએ દેશની એકમાત્ર પુષ્ટિ વિદ્યાપીઠ વલ્લભ વિદ્યાપીઠમાંથી શુદ્ધાદ્વૈત સેવા ભૂષણ વિષયમાં નવ વર્ષ સુધી અભ્યાસ કરીને એમ.એ.ની ડિગ્રી મેળવી છે. હવે તેઓ પી.એચ.ડી લેવલના શુદ્ધાદ્વૈત રસ ભૂષણ વિષયમાં કિર્તન સાહિત્ય પર પી.એચ.ડી કરવાનું ચાલુ કર્યું છે.

અમદાવાદમાં રહેતા ૬૬ વર્ષના સરોજબેન શાહે ઘડપણમાં ઓટલે બેસીને ભક્તિ કરવા કરતાં કિર્તન સાહિત્ય પર પી.એચ.ડી કરવાનું ચાલુ કર્યું. 

ઘડપણમાં શું થાય? ઘડપણ આવ્યું હવે શું કરવું? એવી વિચારધારાને ફગાવીને સરોજબેન કહે છે કે, નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ થઇ શકે એવા દ્રઢ મનોબળ સાથે મેં પી.એચ.ડીનો અભ્યાસ ચાલુ કર્યો છે.
મોટા ભાગના લોકો ઘડપણમાં બેઠાળુ જીવન જીવતા હોય છે તેમના માટે સમય કેમ પસાર કરવો એ પણ મુશ્કેલ હોય છે. વૃદ્ધાવસ્થાને શણગારવા માટે સરોજબેને પ્રભુનું નામ લેવાય અને સાથે સાથે સદ્પ્રવૃત્તિ થઇ શકે તે માટે કિર્તન સાહિત્ય પર પી.એચ.ડી કરવાનું પસંદ કર્યું છે. કિર્તન કેવી રીતે ગવાય? મંદિરોમાં ભગવાનને જગાડવા માટે કયા રાગમાં કિર્તન ગવાય તે માટે વિવિધ રાગ જેમ કે ભૈરવ, રામકલી, બિભાસ, દેવગંધાર, પંચમ જેવા રાગો અને ધમાર, ચૈતાલ, માત્રા, પ્રાચીન ચર્મરી જેવા તાલ અંગે પી.એચ.ડી કરશે.
આ ઉપરાંત જુદી જુદી ઋતુમાં કયા રાગ ગાવા તે અંગે પણ તેઓ રિસર્ચ કરશે. નિવૃત્તિ એજ પ્રવૃત્તિ સમજીને સરોજબેનને ઓટલે બેસીને ગપ્પા મારવા કરતાં પી.એચ.ડી સાથે ભજન- કિર્તન પણ થાય અને સમય પણ પસાર થાય એ માટે પી.એચ.ડી કરવાનું નક્કી કર્યું. સરોજબેન કહે છે કે, ભણવા માટે કોઇ ઉંમર નથી હોતી. આમ જોઈએ તો આખી જીંદગી એક પ્રકારની શોધ જ છે. મને અસંખ્યા કિર્તનો કંઠસ્થ છે.
આ કંઠસ્થ કિર્તનોના ભાવ અને તેમાં રહેલા સત્ત્વને શોધવાની મને જરૃર લાગતી હતી. પાકતી ઉંમરે પણ કશું જ કઠીન નથી હોતું. ઘણાં લોકો હસતા હસતા કહે છે કે આ ઉંમરે પી.એચ.ડી કરીને શું કરશો? પણ કંઈક કરવું એ મારા માટે અગત્યનું છે. મારા ઘરના સભ્યો મારી આ ઈરછા સાથે કન્વિન્સ થયા અને તેમણે મને આ દિશામાં સહાય કરી તે મારા માટે મોટી વાત છે. ઉંમર જે કંઈ હોય પણ ચાલ્યા જ કરવું એ મારા જીવનનો ધર્મ છે.
તસ્વીર- સુરેશ મિસ્ત્રી

મેરિડ છું છતાં મહત્ત્વાકાંક્ષી છું ચિત્રાંગદા


 પહેલી દ્રષ્ટિએ જ સૌને દંગ કરી દે તેવી પર્સનાલિટી ધરાવતી ચિત્રાંગદાસિંહ ગઇ કાલે તેની ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદના વિમલ શો રૃમની મુલાકાતે આવી હતી. પોતાની ફિલ્મના રોલ વિશે વાત કરતા કહે છે કે, ચિત્રાંગદા ઘણા લાંબા સમય પછી તેની આગામી ફિલ્મના પ્રમોશન માટે આવી હતી. અત્યાર સુધીમાં તેમણે માત્ર ચાર જ ફિલ્મ કરી છે. તેમની પ્રથમ ફિલ્મ હજારો ખ્વાઇશ પછી તે આ ફિલ્મમાં જોવા મળશે. આ દરમ્યાન તેણે એક- બે ફિલ્મમાં કામ કર્યું છે.પરંતુ બહુ થોડા વખતમાં તેની ગ્લેમરસ પર્સનાલિટીને કારણે તેના ચાહકોનું મલ્ટિપ્લિકેશન થઈ રહ્યું છે. બાકી થોડો ટાઇમ ઓફ રાખીને તે મોજ મસ્તી કરતી રહી.આ વાત ઉપરથી જ ખ્યાલ આવે કે કેરિયર કરતા ક્રિએટિવિટી અને અલગારીપણાને તે વધુ મહત્ત્વ આપે છે.    




















અમદાવાદની મુલાકાતે આવેલી અભિનેત્રી ચિત્રાંગદાસિંહ લાંબા સમય પછી તેની આગામી ફિલ્મના પ્રમોશન માટે વિમલના શોરુમની મુલાકાત લીધી હતી. મેરેજ પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આવવું એ એક કપરું ચઢાણ કહી શકાય. છતા એક નવો ચીલો ચાતરવા માટે તે મક્કમ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં તેની સરખામણી સ્મિતા પાટિલ જોડે કરવામાં આવી રહી છે


ચિત્રાંગદાની સરખામણી બોલિવૂડમાં સ્મિતા પાટીલ સાથે કરવામાં આવી રહી છે. ચિત્રાંગદા કહે છે કે, કોઇની સાથે મારી કમ્પેરિઝન કરવામાં આવે છે ત્યારે મને સારું લાગે છે. ગ્લેમર ઇન્ડસ્ટ્રીઝમાં મેરિડ વુમન માટે ખૂબ ઓછો સ્કોપ છે. ચિત્રાંગદા પોતે મેરિડ વુમન છે. આ અંગે તે કહે છે કે, મેં પડદા પર જોયું તો ખબર પડી કે આ ગ્લેમરસ ઇન્ડસ્ટ્રીઝ છે. અને હું પોતે મારી જગ્યા બનાવી રહી છું. અમદાવાદ સાથેના કનેક્શન વિશે પૂછવામાં આવતા ચિત્રાંગદા કહે છે કે, પહેલી વખત હું અમદાવાદમાં આવી છું. ખૂબ સારું લાગે છે મને અમદાવાદમાં. મારી કઝીન અમદાવાદમાં સ્ટડી કરતી હતી એ સિવાય મારું કોઇ કનેક્શન નથી. જેની પાસે બોલિવૂડનું ફેમિલી બેકગ્રાઉન્ડ ના હોય એવા કલાકાર માટે બોલિવૂડમાં ચાન્સ મેળવવો કેટલો શક્ય છે એ સવાલના જવાબમાં ચિત્રાંગદા કહે છે કે, જો કલાકાર પાસે ટેલેન્ટ હોય તો તેને ગમે ત્યાં ગમે તે જગ્યાએ કામ મળે છે, પરંતુ મેરિડ વુમન માટે જગ્યા મેળવવી થોડું મુશ્કલીભર્યું છે. મેરિડ વુમન માટે સોસાયટીમાં જે મેન્ટાલિટી જોવા મળે છે તેમાં પણ ચેન્જિંગ લાવવાની જરૃર છે. અમદાવાદ સુંદર છે એવું મારી બહેન મને કાયમ કહેતી. વિમલના શો રુમમાં પ્રવેશતાની સાથે જ ફીલગુડ ફીલ કરતી ચિત્રાંગદાએ હસીને અહીંંના કસ્ટમર કેર કલ્ચરને બિરદાવ્યું હતું. તે વધુમાં કહે છે કે, અમદાવાદને લોકો સ્વાદિષ્ટ વાનગીઓથી ઓળખે છે પરંતુ અમદાવાદ વિશ્વમાર્કેટનું બિઝનેસ ટિચર છે. અહીંંનું આઈઆઈએમ,અહીંના મોન્યુમેન્ટ અને અહીંના ગરબા,પતંગ વિશે અમે કાયમ વાંચીએ છીએ અને આતુરતાપૂર્વક અમારા ગુજરાતી મિત્રોને અહીંંના વાતાવરણ વિશે પૂછીએ છીેએ.
તસ્વીર- સુરેશ મિસ્ત્રી

ગાંઘીજીને મળવાની અઘૂરી ઇચ્છા કંઈક આ રીતે રજૂ કરું છું

ગાંધીજીની પૂણ્યતિથિ નિમિત્તે ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસ અને સંસ્કૃતિ હોલમાં આજથી ગાંધીજીના ફૂટ પેઇન્ટિંગ્સનું પ્રદર્શન ખુલ્લુ મૂકવામાં આવશે.
આ પેઇન્ટિંગ્સ મુંબઇના ૭૩ વર્ષીય આર્ટિસ્ટ ગુલબાનું મરચન્ટ તૈયાર કર્યા છે. ગુલબાનુંએ ખાસ રંગ તથા સ્ટીલ અને તાંબાની પ્લેટ પર પેઇન્ટિંગ્સ તૈયાર કર્યા છે. ગુલબાનું વ્યવસાય અલે.એલ.બી છે.




 ગાંધીજીની પૂણ્યતિથિ નિમિત્તે ગૂજરાત વિદ્યાપીઠમાં મુંબઇના વયો વૃદ્ધ આર્ટિસ્ટ ગુલબાનું મરચન્ટના ગાંધીજીના ફૂટ સ્ટેપ પેઇન્ટિંગ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે.


તેમની પાસે બેઝિક આર્ટ પણ નહોતી પરંતુ નાનપણના શોખને કારણે તેઓ આર્ટની તાલીમ લીધા વિના ડુડલિંગથી જોયા વગર જ ચિત્રો બનાવતા. ત્યાર પછી ફૂલોને સામે રાખીને નેચર ડ્રોઈંગ તથા કેનવાસ પેઇન્ટિંગ બનાવ્યા. તેમની પાસે ગાંધીજીના કોઇ ખાસ પેઇન્ટિંગ્સ નહોતા, પરંતુ ૨૦૦૦ની સાલમાં વનસ્થલિ વિદ્યાપીઠની મુલાકાતને કારણે તેમને ત્યાંથી ગાંધીજીના પગ જોયા અને ફૂટ પેઇન્ટિંગ બનાવવાની પ્રેરણા મળી.

ગાંધીજીના ફૂટ પેઇન્ટિંગ તેમણે તાંબાની પ્લેટ, સ્ટીલની પ્લેટ, ટેરા કોટા માટી, એક્રેલિક કોલાજ કલર, એક્રેલીક, ખોઇલ તથા તેમનો પોતાના બનાવેલો બ્લેક કલરમાં બનાવ્યા છે. પેઇન્ટિંગમાં રેતી છે તો કોઇમાં શંખલાનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત જુના જમાનાની ટાઇલ્સના ટુકડાનો ઉપયોગ પણ તેમે કર્યો છે. તાંબા, મેટલ અને સ્ટીલ પર બનાવેલા પેઇન્ટિંગ આકર્ષક છે. તેમાં તેમણે ઇનોમેલિંગ પાઉડરના ઉપયોગ કરીને બનાવ્યા છે.

આ પેઇન્ટિંગ્સની સાથે તેમણે કાવ્યો પણ લખ્યા છે. પેઇન્ટિંગ્સમાં ફક્ત ગાંધીજીના ફૂટ સ્ટેપ, લાકડી અને ઘડિયાળ બનાવવામાં આવી છે. જેનો અર્થ એવો થાય છે કે ગાંધીજીના જીવનના જે સ્ટેપ હતા તેમને ફોલો કરવા જોઇએ.

ગુલબાનું કહે છે કે, મને ગાંધીજીને મળવાની ખૂબ ઇચ્છા પણ હું ત્યારે નાની હતી તેથી મળી ના શકી. ૧૯૮૦માં હું ગાંધીજીના હિમાલયમાં આપેલા કોસાની આશ્રમમાં ગાંધીજીના રૂમમાં રહી હતી તે મારા માટે સદ્ભાગ્યની વાત છે.
તસ્વીર- સુરેશ મિસ્ત્રી

સી.એ ક્લિઅર કરવાનો એક જ શોર્ટકટ છે - સખત મહેનત

 સી.એની પરીક્ષામાં અમદાવાદના આઠ વિદ્યાર્થીઓ ટોપર્સ બન્યા છે ત્યારે બઘાં જ વિદ્યાર્થીઓનો સૂર એક જ હતો ‘સખત મહેનત ’આખા ભારતમાં ત્રીજા નંબરે આવેલો અમદાવાદનો લોકેશ ગાંઘી કહે છે કે, મારે ઘોરણ ૧૦માં ૮૮ ટકા અને ૧૨માં ૮૯ ટકા હતા.

છતાં પણ મને સી.એની પાઇનલમાં ત્રીજા રેનન્કની આશા નહોતી. હું સિલેબસનું કવરેજ વઘારે કરતો હતો. અને પ્રેક્ટિકલ સબજેક્ટમાં સ્ટડી મટિરિયલનો વઘારે અભ્યાસ કરતો હતો. થિયરીમાં પણ ટોપિક સિલેક્ટ કરીને ઇન્ટરનેટ પરથી તેમજ રેફરન્સ બુક્સમાંથી ૬થી ૮ કલાક રિડિંગ કરતો હતો. હવે સી.એની પ્રેક્ટિસ કરવાની ઇચ્છા છે.


અમદાવાદના આઠ વિદ્યાર્થીઓએ સી.એની પરીક્ષામાં ટોપ કરીને એ સાબિત કર્યુ છે કે બિઝનેસ હબ ગુજરાતના વિદ્યાર્થીઓ ચાર્ટર્ડ એકાઉન્ટિંગમાં હંમેશા અવ્વલ જ રહેશે.એમાં પણ હિમાંશુ અગ્રવાલના પિતાએ પાનનો ગલ્લો ચલાવીને બહુ ઘીરજ પૂર્વક સંઘર્ષ કર્યો છે.

સી.એની ફાઇનલ એક્ઝામમાં ૫૮.૫ ટકા સાથે સાતમાં ક્રમે આવનાર અમદાવાદનો પ્રદિપ સોની કહે છે કે, મારે ઘો.૧૦માં ૭૦ ટકા અને ઘો.૧૨માં ૭૪ ટકા સાથે રાજસ્થાન બોર્ડમાંથી પાસ કર્યું છે. અને અમદાવાદની એલ.જે. કોલેજમાંથી બી.કોમ કર્યું છે. જ્યારે સી.એમાં મને સારા માર્કસ સાથે પાસ થવાની આશા હતી પણ રેન્કની અપેક્ષા નહોતી. ત્રણ મહિના સુઘી હું ડેઇલી આઠ કલાક રિડિંગ કરતો હતો.

અને મેં ત્રીજી ટ્રાયલે સી.એની ફાઇનલ રેન્ક સાથે પાસ કરી છે. હવે આંતરપ્રિન્યોર બનવાની ઇચ્છા છે. જો ફોરેનની સારી ઓફર આવશે તો ફોરેન જઇશ, અને સી.એ પાસ થવા માટે મેં કોલેજ લાઇફ મીસ કરી એનું દુઃખ પણ છે.

૪૬૧ મારક્ સાથે બારમાં ક્રમે આવનાર અમદાવાદનો નિરલ શાહ કહે છે કે, મેં પાસ થવા માટે મહેનત કરી હતી. રેગ્યુલર અભ્યાસ અને ડેઇલ ૬થી ૮ કલાક રિડિંગ કરતો હતો. હવે શોર્ટ ટર્મ માટે ઇન્ડસ્ટ્રીમાં જવું છે, અને કેમ્પસ ઇન્ટરવ્યૂની તૈયારી કરીશ. મેં સેકન્ડ ટ્રાઇમાં સી.એ પાસ કર્યું છે.

સી.એ. પાસ કરનાર હિમાંશું અગ્રવાલ કહે છે કે, સી.એ. કરવું ખૂબ જ ટફ છે. માટે ઘો. ૧૦માં ૭૮ અને ઘો.૧૨માં ૮૭ ટકા હતા. અને નવા કોર્સમાં પ્રથમ ટ્રાઇમાં રેન્કમાં સી.એ પાસ થવાનો મને ખૂબ આનંદ છે. મારા પપ્પાએ પાનનો ગલ્લો ચલાવીને મારા માટે ખર્ચો કર્યો છે. હવે હું જોબ મેળવવાની તૈયારી કરીશ.

સંન્યાસની સાચી ઉર્જા તો યુવાનીમાં જ મળે

અમદાવાદના ત્રણ સુખી સંપન્ન પરિવારના યુવાનો ૨૨મી તારીખે સંસાર અને ભૌતિક સુખનો સંપૂર્ણ ત્યાગ કરીને તપોવન સંસ્કારપીઠ- અમિયાપુર ખાતે દીક્ષા ગ્રહણ કરશે.


આજના યુવાનો ભૌતિક સુખ મેળવવા માટેનો શોર્ટકટ શોધી રહ્યા છે. ત્યારે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતો ૧૮ વર્ષનો ચિરેન રાઠોડ, લાંભામા રહેતો ૧૭ વર્ષનોમિહિર અને નરોડામાં રહેતો ૩૦ વર્ષનો તેજસ આ ત્રણેય યુવાનો ૨૨મી તારીખે સંસાર અને ભૌતિક સુખનો સંપૂર્ણ ત્યાગ કરીને તપોવન સંસ્કારપીઠ- અમિયાપુર ખાતે દીક્ષા ગ્રહણ કરશે.

પંન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી આ ત્રણેય યુવાનો મોક્ષ મેળવવા માટે દીક્ષા લે છે. આ ત્રણેય યુવાનો ભણેલા છે. ચિરેન અને મિહિર બંને સાથે તપોવન વિદ્યાલયમાં ૧૧ કોમર્સમાં સાથે જ અભ્યાસ કરતા હતા. જ્યારે તેજસ બી.કોમ પાસ કરીને પોતાનો વ્યવસાય ચલાવતો હતો. આ અંગે ચિરેન કહે છે કે, મેં ક્યારેય ગાડીની નીચે પગ મૂક્યો નથી. પણ હવે હું દીક્ષા ગ્રહણ કરીને ઉઘાડા પગે જ કુદરતના સાનિઘ્યમાં ફરવા માગુ છું.

ચિરેનના પરિવારમાં એક તરફ આનંદનું મોજુ ફરી વળ્યું છે ત્યારે તેમના માતા-પિતાને પોતાના પરિવારનો સૌથી નાનો પુત્ર ઘર છોડીને વિશ્વ કલ્યાણ માટે જઇ રહ્યો છે તેનું દુઃખ પણ છે. આ અંગે ચિરેનના પિતા નગરાજભાઇ કહે છે કે, પુત્ર મોટો થાય ત્યારે પરિવારનું કલ્યાણ કરે છે પણ વિશ્વના કલ્યાણ માટે અમે તેને અનુમતિ આપી છે.

સામાન્ય રીતે સંસારનું સુખ ભોગવીને અનેક લોકો દીક્ષા ગ્રહણ કરે છે. ત્યારે આટલી નાની ઊંમરમાં ઘર બાર અને પરિવારથી દૂર જવું સહેલું નથી. આ અંગે મિહિર શાહ કહે છે કે, મને આઘ્યાત્મિક માર્ગ વધારે આકર્ષતો હતો તેથી મેં દીક્ષા લેવાનું નક્કી કર્યું.

હું જે પણ છું આજે એ મારા માતા-પિતાની પ્રેરણા અને આશિષને કારણે આ ધર્મ પ્રત્યે આટલો આગળ વધી શક્યો છું. યુવાનીના સમયમાં સુખ- સમૃદ્ધિનો ત્યાગ કરીને સંયમના માર્ગ આગળ વધવા માટે મનોબળ મજબૂત હોવુ જોઇએ.

તેજસ શાહ છેલ્લા દસ વર્ષથી દીક્ષા લેવા માટે તાલીમ લઇ રહ્યો હતો. તેજસ કહે છે કે, સંસારની વાસ્તવિકતાનો પરિચય મેળવ્યા પછી હું મારો વ્યવસાય છોડીને દીક્ષા લઇ રહ્યો છું. આ ત્રણેય યુવાનો દુનિયાની સંપૂર્ણ સુખ સંપત્તિનો ત્યાગ કરીને મોક્ષ મેળવવા માટે કુદરતના વાતાવરણમાં આઘ્યાત્મિક માર્ગે જઇ રહ્યા છે.

આ અંગે તેજસના માતા ભાવનાબેન કહે છે કે, યુવાન દીકરો દીક્ષા લઇ રહ્યો છે તેનો આનંદ પણ છે અને દુઃખ પણ છે. આમ જોવા જઈએ તો સામાન્ય રીતે સમાજમાં વૃઘ્ઘા અવસ્થામાં આઘ્યાત્મિક માર્ગ લેવાની એક પ્રથા જોવા મળે છે. પણ ઉપરોક્ત ત્રણેય યુવાનોનો એક સૂર એવો હતો કે આઘ્યત્મિક કાર્ય તો યુવાનીમાં જ થાય.

યુવા આવસ્થાની ઉર્જાથી જ મોક્ષના માર્ગે જઈ શકાય. વૃઘ્ઘાવસ્થામાં શરીરની સેન્સીસ નબળી પડતા કોઈપણ વ્યક્તિ ભયથી પણ ઈશ્વરનો માર્ગ પકડે છે. પરંતુ મોક્ષના માર્ગનો વિચાર યુવાનીમાં જ આવે તો લાંબા સમય સુઘી વિશ્વના અનેક લોકોને મદદરૂપ થઈ શકે.

ધો. ૧૦ની વિદ્યાર્થિનીએ બી.એ સમકક્ષ પરીક્ષા પાસ કરી

 અમદાવાદની વિશ્વા પટેલે રાષ્ટ્રભાષા કોવિદ પરિક્ષામાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. વિશ્વા પટેલ અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં આવેલી જ્ઞાાનદા ગર્લ્સ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધો. ૧૦મા ંઅભ્યાસ કરે છે અને સાથે સાથે બી.એ. સમકક્ષની કોવિદ પરિક્ષામાં સમગ્ર ભારતમાં પ્રથમ નંબર મેળવ્યો છે. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધા દ્વારા દર વર્ષે હિન્દીના પ્રચાર માટે જુદા જુદા લેવલ પર હિન્દીની પરિક્ષાઓ લે છે. જેમાં ધોરણ પાંચથી સાતના વિદ્યાર્થીઓ ધો. ૮ સમકક્ષ પ્રાથમિક પરીક્ષા આપી શકે છે.

  
પરિક્ષા પાસ કરી હોય તેને કેન્દ્ર સરકારની નોકરીમાં હિન્દીની પરિક્ષા પાસ કર્યા વિના ડાયરેક્ટ પ્રમોશન મળી શકે છે. વિશ્વા કહે છે કે, ધો. ૧૦માં હોવા છતાં મે હિન્દી ભાષામાં બી.એ. સમકક્ષની પરિક્ષા પાસ કરી


પ્રાથમિક પાસ કર્યા પછી આઠથી દસ ધોરણના વિદ્યાર્થીઓ ધો. ૧૨ સમકક્ષની પરિચય પરિક્ષા આપી શકે છે, અને પરિચય પાસ કર્યા પછી બી.એ. સમકક્ષ કોવિદ પરિક્ષા અને કોવિદ પાસ કર્યા પછી એમ.એ. સમકક્ષા રત્ન પરિક્ષા આપી શકાય છે.
આ અંગે વિશ્વા પટેલ કહે છે કે, આ કોવિદ પરિક્ષા પાસ કરવાથી હવે મારી લાયકાત બી.એ. સમકક્ષની ગણયા છે અને મેં એમ.એ. સમકક્ષની રત્ન પરિક્ષાનો પણ એક ભાગ પાસ કર્યો છે. હવે આવતા વર્ષે રત્ન પણ પાસ કરી લઇશ. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધા દ્વારા દર વર્ષે સમગ્ર ભારતમાંથી રાષ્ટ્રભાષા અંગે જાગૃતિ લાવવા માટે પ્રાથમિક, પરિચય, કોવિદ અને રત્ન પરિક્ષા લે છે.
કોવિદની પરિક્ષા ચાર ભાગમાં આપવાની હોય છે. જેમાં પદ્ય સાહિત્ય, ગદ્ય સાહિત્ય, વ્યાકરણ અને નિબંધનો સમાવેશ થાય છે. આ પરિક્ષા પાસ કરી હોય તેને કેન્દ્ર સરકારની નોકરીમાં હિન્દીની પરિક્ષા પાસ કર્યા વિના ડાયરેક્ટ પ્રમોશન મળી શકે છે. વિશ્વા કહે છે કે, ધો. ૧૦માં હોવા છતાં મે હિન્દી ભાષામાં બી.એ. સમકક્ષની પરિક્ષા પાસ કરી હોવાથી હિન્દી પરની મારી પકડ મજબૂત બની ગઇ છે. વિશ્વાએ પ્રાથમિક, પરિચય અને કોવિદ ત્રણેય પરિક્ષા પ્રથમ શ્રેણીમાં જ પાસ કરી છે.
આ અંગે જ્ઞાાનદા શાળાના પ્રિન્સિપાલ જાગૃતિ પટેલ કહે છે કે, ગુજરાત માટે એ ગૌરવની વાત છે કે રાષ્ટ્રભાષાની બી.એ. સમકક્ષની પરિક્ષામાં ધો. ૧૦ની વિદ્યાર્થિનીએ સમગ્ર ભારતમા ંપ્રથમ સ્થાન મેળવ્યું છે. આવા પ્રકારની પરિક્ષાઓ અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરવાની પણ જરૃર છે.

શાળાએ જતા ગરીબ વિદ્યાર્થીઓને જેકેટ આપતું ગુ્રપ


શહેરના વર્ધમાન યુવા ગુ્રપના સભ્યોએ પોકેટ મનીમાંથી ૩૦૦થી વધારે સ્વેટર ખરીદીને વાસણાની મ્યુનિસિપલ શાળાના ગરીબ બાળકોને ભેટ આપ્યા હતા. આ ગુ્રપમાં ૭૦થી વધારે સભ્યો છે. મહત્ત્વની વાત એ છે કે આ બધાં સભ્યો કોલેજમાં અભ્યાસ કરતાં સ્ટુડન્ટ્સ છે. તેઓ દર મહિને પોતાની પોકેટ મનીમાંથી પૈસા બચાવીને અભ્યાસની સાથે સાથે માનવ સેવાનું કાર્ય પણ કરે છે.


  

પાલડીમાં રહેતા વર્ધમાન ગુ્રપના વિદ્યાર્થીઓએ ગરીબ બાળકોને જેકેટ આપવાનું નક્કી કર્યું. દર મહિને પોકેટ મનીમાંથી પૈસા બચાવીને ૩૦૦થી વધુ ગરીબ બાળકોને જેકેટ આપીને સેવાનું કામ કર્યું.



આ ગુ્રપનો સભ્ય આશિષ શાહ કહે છે કે, આ વખતે અમે ઉત્તરાયણ પર્વ હોવાથી પતંગ પાછળ પૈસા ખર્ચવાને બદલે જે બાળકોને શિયાળાની ઠંડીથી બચવા માટે બ્લેન્કેટની જરૃરિયાત હતી એવા બાળકોને અમે સ્વેટર અને જેકેટસ ડિસ્ટ્રીબ્યૂટ કર્યા હતા. આ ગ્રુપના સભ્યો દર મહિને જેટલા પૈસા ભેગા થાય એ પૈસામાંથી જરૃરિયાતવાળા લોકો માટે કંઇને કંઇ એક્ટિવિટી કરે છે. આ ગુ્રપના અમીશ ખંધાર કહે છે કે, અમારો હેતુ જે લોકો સુધી કોઇ નથી પહોંચતું એ લોકો સુધી પહોંચીને તેમને મદદ કરવાનો છે.
ખોટી જગ્યાએ પૈસા વેસ્ટ કરવાને બદલે આ ગુ્રપના યુવાનો દર મહિને ઝૂપડપટ્ટીના બાળકોને મદદરૃપ થઇને માનવ સેવા કરે છે. આ અંગે આ ગુ્રપના સભ્ય નિરંજન શાહ કહે છે કે, એક સ્ટુડન્ટ તરીકે પોકેટ મનમાંથી પૈસા કાઢીને આપવા થોડું મુશ્કેલ છે. છતાં પણ અમે દર મહિને બીજાને હેલ્પફુલ થઇએ એવું કાર્ય કરીએ છીએ. આમ તો શિયાળામાં ધાબળા આપવાની પ્રથા સેવાભાવી લોકોમાં જોવા મળે છે. પરંતુ અમે વિદ્યાર્થીઓને જેકેટ આપીને એક નવા પ્રકારનું કામ શરુ કર્યું છે. જેથી કોઈ પણ વિદ્યાર્થી શાળાએ જાય તો પણ ઠંડી સામે રક્ષણ મેળવી શકે.


અમદાવાદના લોકોએ બી.આર.ટી.એસને નં-૧ બનાવી છે

 અમદાવાદનો બી.આર.ટી. એસ પ્રોજેક્ટ સફળ થયા બાદ આ પ્રોજેક્ટની પોઝિટિવ બાબતોને અન્ય શહેરોમાં કેવી રીતે ઇમ્લિમેન્ટ કરી શકાય એ માટે દિલ્હીની સી.એમ.એસ. સંસ્થા દ્વારા અકે અનોખી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શહેરોમાં બી.આર.ટી. એસ. પ્રોજેક્ટ ચાલુ થવાનો છે અથવા થશે એવા શહેરોના પત્રકારોએ આજે અમદાવાદના બી.આર.ટી. એસ. પ્રોજેક્ટ કેવી રીતે કામ કરે છે તે અંગે માહિતી મેળવી હતી. આ અંગે સી.એમ.એસ. સંસ્થાના સિનિયર મેનેજર નરેન્દ્ર યાદવ કહે છે કે, જે શહેરોમાં બી.આર.ટી. એસ. પ્રોજેક્ટ ચાલુ થવાના છે એ શહેરના પ્રતિનિધીઓને ે અમદાવાદના બી.આર.ટી. એસ. પ્રોજેક્ટની માહિતી આપીને તેમના શહેરમાં બી.આર.ટી. એસ. પ્રોજેક્ટ સફળ થઇ શકે કે કેમ તે માટે આ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
અમદાવાદની બી.આર.ટી સિસ્ટમને અન્ય શહેરો સાથે સરખાવીને તેના હકારાત્મક-નકારાત્મક પાસાઓની ચર્ચા -વિચારણા માટે નેશનલ કક્ષાનો સેમિનાર યોજાયો હતો જેમાં બીઆરટીએસની સર્વિસ ધરાવતા શહેરોમાંથી પ્રતિનિધીઓને બોલાવીને આ સેવાના તમામ પાસાઓની ચર્ચા કરવામાં આવી.

આ કોન્ફરન્સમાં બી.આર.ટી. એસ. પ્રોજેક્ટ અંગે એક ફિલ્મ બતાવી અને પત્રકારોએ મેયર તથા મ્યુનિસિપલ કમિશ્નર સાથે ડિસ્ક્શન કરી હતી. જેમાં અમદાવાદમાં બી.આર.ટી. એસનો પ્રોજેક્ટ કેવી રીતે અમલમાં મુકાયો, શું મુશ્કેલીઓ પડી હતી, રસ્તાઓ પ્રથમથી જ પહોળા હતા કે પાછળથી પહોળા કરવામાં આવ્યાની માહિતી મેળવી હતી.હાલમાં દિલ્હી,પુના,અમદાવાદ જેવા શહેરોમાં બી.આર.ટી.એસની સેવા આપવામાં આવી રહી છે. મુંબઈમાં બીઆરટીએસ શક્ય નથી પરંતુ અન્ય શહેરોની સાપેક્ષમાં બી.આર.ટી.એસની સેવા વધુ સગવડતા ભરી છે. દિલ્હીમાં અને પુનામાં બી.આર.ટી.એસની સર્વિસ ધીમે ધીમે લોકોમાં સેટ થઈ રહી છે. આ ચર્ચા દરમ્યાન એક પ્રતિનિધી કહે છે કે દિલ્હીની બી.આર.ટી.એસના ટ્રેક પર લોકો તમામ પ્રકારના વાહનો લઈને છડેચોક નિયમ ભંગ કરે છે.જ્યારે અમદાવાદની પ્રજામાં એક ચોક્કસ પ્રકારની ડિસિપ્લીનને કારણે બી.આર.ટી.એસ પ્રોજેક્ટને વધુ સફળ બનાવ્યો છે.
તસ્વીર- સુરેશ મિસ્ત્રી

૨૦ વર્ષથી માઘવદાસ ટિફિન આપવાનો ક્રમ ચૂક્યા નથી

  બરોબર અગિયાર વાગ્યાના ટકોરે વી.એસ. હોસ્પિટલમાં એન્ટર થતાં જમણી તરફ આવેલા લીમડાના વૃક્ષ નીચે મહંત માધવદાસ હાજર થઇ જાય છે. તેમને જોઇને હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાઓ દર્દીના કેસપેપર તેમના ટેબલ પર મૂકીને ચાલ્યા જાય છે. અને માધવદાસ કંઇ જ બોલ્યા વિના દર્દીના કેસપેપર લાવનાર સગાંઓના નામ એક ચોપડામાં નોંધતા જાય છે.




 છેલ્લા ૨૦ વર્ષથી વી.એસ. હોસ્પિટલના દર્દીઓના સગાંઓને ફ્રી ભોજન સેવા આપે છે. લોકો તેમને ટિફિનવાળા ભાઇ તરીકે વધારે ઓળખે છે.

લગભગ એક વાગ્યા સુધી આ મુજબ નામ નોંધવાનું ચાલે છે. અને ત્યાર પછી બરોબર દોઢ વાગ્યાના ટકોરે દર્દીઓના સગાંઓ એકઠા થાય તે પહેલાં જ ત્યાં જેટલા નામ નોંધાયા હોય તેટલા ટિફિન આવી જાય છે. અને માધવદાસજી તેમને એક પછી એક ટિફિન આપવા માડે છે.
એક પણ દિવસ ચૂક્યા વિના માધવદાસજી છેલ્લા ૨૦ વર્ષથી વી.એસ. હોસ્પિટલના દર્દીઓના સગાંઓને ફ્રી ભોજન સેવા આપે છે.

લોકો તેમને ટિફિનવાળા ભાઇ તરીકે વધારે ઓળખે છે. એક ટિફિનમાં બે વ્યક્તિ જમી શકે એટલું જમવાનું હોય છે. તેઓ કોઇ પણ પ્રકારના બંધન વિના દરેકને સમાન ગણીને દાળભાત, શાક, રોટલી અને અઠવાડિયે એક વખત મીઠાઇ પણ દર્દીઓના સગાંઓને ફ્રીમાં ખવડાવે છે. વી.એસ. હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાંઓ માટે તો માધવદાસજી કડવા લીમડાની એક મીઠી ડાળ જેવા છે.

આ પ્રકારે ફ્રી ભોજન આપવા પાછળનું કારણ એ છે કે તેઓ એક વખત મુંબઇ જઇ રહ્યા હતા ત્યારે મુંબઇમાં વિરાર નજીક તેમની કારને અકસ્માત નડ્યો અને તેમને બ્રેઇન હેમરેજ થઇ ગયું. બચવાના ચાન્સ બહુ ઓછા હતા. ૨૫ દિવસ પાર્લાની નાણાવટી હોસ્પિટલમાં કોમામાં રહ્યા. ૨૫ દિવસ પછી કોમામાંથી બહાર આવ્યા અને બે મહિને બેઠા થયા.

ત્યારે માધવદાસજી કહે છે કે આ એક ચમત્કાર જ હતો અને મને એક નવું જીવન મળ્યું હતું. અને આ નવેસરથી મળેલી જિંદગીમાં કંઇક સારું કામ કરવાનો નિર્ણય કર્યો. અને ત્યાર પછી તેમણે વી.એસ. હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ અને સગાંઓને મફતમાં ભોજન સેવા આપવાનું ચાલુ કર્યું. જેને આજે ૨૦ વર્ષ પૂર્ણ થઇ ગયા છે.

તેઓ દરરોજ સવાર- સાંજ ૧૫૦થી વધારે ટિફિન મોકલે છે. દર્દીઓ તથા સગાંઓની આંતરડી ઠારે છે. આ માટે તેમને ડેઇલી ત્રણ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે. આ ઉપરાંત દર રવિવારે સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં ૩૦૦ ટિફિન આપે છે. કોઇ પણ પ્રકારની અપેક્ષા વિના માનવસેવા કરવી એ તેમનો જીવન મંત્ર છે.
તસ્વીર- સુરેશ મિસ્ત્રી

જોઘપુરી ચીલ,ખંભાતી પાવલો અને રામપુરી કમાન પેચમાં પાછા ના પડે


 અમદાવાદના આકાશને દુનિયાના પતંગ પ્રેમીઓની રાજધાની કહેવામાં આવે છે. સમગ્ર દુનિયામાં અમદાવાદ જ એક એવું શહેર છે જ્યાં એક જ દિવસે ઉત્તરાયણના પર્વમાં તમામ ધર્મના અને કોમના લોકો પતંગ ઉત્સવમાં ભાગ લે છે. ત્યારે દર વર્ષે જયપુર, જોધપુર, બિકાનેર, આગ્રા, મથુરા, રામપુર, બરેલી, લખનઉ જેવા સ્થળોએથી પતંગ બનાવતા ખાનદાની કારીગરો દોઢ-બે મહિના અગાઉ જ અમદાવાદના આંગણે આવી જાય છે. અમદાવાદના પતંગ બજારમાં પણ ખંભાતી, જોધપુરી, બિકાનેરી જેવા પતંગો જોવા મળે છે. તો બીજી તરફ લોકલ પતંગોની ડિમાન્ડ પણ ખૂબ જ હોય છે.


 
જોધપુર, બિકાનેર, રામપુર, ખંભાત, બરેલી, લખનઉના પતંગ કારીગરો ટેકનિક અને સફાઇથી પતંગ બનાવવા માટે જાણીતા છે. પરંતુ આ પતંગો મોંઘા હોવાથી માર્કેટમાં લોકલ પતંગની જ વધારે ડિમાન્ડ રહે છે.



મહત્ત્વની વાત એ છે કે લોકલ બનાવટના પતંગો અને ખંભાતી, જોધપુરી, રામપુરી તથા બિકાનેરી બનાવટના પતંગો વચ્ચે શું ફરક હોય છે. આ અંગે ંકાઈટ મ્યુઝિયમના ભૂતપૂર્વ ડાયરેક્ટર ભાનુ શાહ કહે છે કે, જોધપુરી, ખંભાતી, રામપુરના પતંગની ઉડવાની ક્વોલિટીમાં ફર્ક હોય છે. જોધપુરી અને રામપુરના કારીગરો પતંગની કમાનને બંને બાજુથી છોલીને પાતળી બનાવે છે. જ્યારે મઘ્ય ભાગ જાડો જ રાખવામાં આવે છે.

જોધપુરી, બરેલી, બિકાનેર, રામપુરના પતંગો મોંઘા પડે છે. સામાન્ય રીતે આ પતંગનો એક નંગ કિંમત ૨૦ રૂપિયાની આસપાસ પડે છે, કારણ કે આ પતંગો કારીગરો દિવસે માંડ ૬૦થી ૭૦ પતંગો બનાવી શકે છે. જોધપુરી કારીગરો તો સુંદર ક્લાસીકલ પતંગો બનાવે છે. જોધપુરી અને ખંભાતી કારીગરો ટેકનિક અને એકદમ સફાઇથી કમાન તૈયાર કરે છે.

જોધપુરના સાત પેઢી જૂના કારીગર અસગર બેલીમ કહે છે કે, જોધપુરી પતંગમાં બંાબુની ક્વોલિટી અને આકારનો ફર્ક હોય છે. લોકલ પતંગ સોથી બસો મીટરની પેચ લડાવવી એક હજાર મીટરની ઉંચાઇ પર પેચ લડાવવી હોય તો જોધપુરી પતંગથી લડાવી શકાય છે.

જેમાં બેલાપુરી કાગળનો ઉપયોગ કરવામાં આવે છે. પંદર પ્રકારના જોધપુરી પતંગો મળે છે. અને અમદાવાદમાં જોધપુરી ચીલ ફેમસ છે. જોધપુરી પતંગ સહેજ રાઉન્ડ આકારમાં હોય છે. જ્યારે ખંભાતી સ્કેર આકારમાં હોય છે.

અમદાવાદ લોકલ પતંગ બનાવતા પપ્પુભાઇ પતંગવાલા કહે છે કે, ખંભાતી પતંગમાં ચમક-દમક વધારે હોય છે. અને તે મશીન પર કપાય છે. જ્યારે અમે ત્રિવેણી કાગળમાંથી હાથથી કટિંગ કરીને પતંગો બનાવીએ છીએ. જે ૧૦૦ નંગ ૧૮૦ રૂપિયામાં મળે છે.
તસ્વીર- સુરેશ મિસ્ત્રી

જુનો ક્લચ વાયર પણ કાતિલ દોરીથી બચાવી શકે

છેલ્લા બે ત્રણ વર્ષથી ઉત્તરાયણના દિવસે પતંગની દોરીથી પક્ષીઓની સાથે સાથે માણસો પણ ઘાયલ થાય છે. બાઇક પર જતી વખતે અચાકન પતંગની દોરી આવી જતાં ઘણાં માણસો ઘાયલ થાય છે.

દોરીથી બચવા માટે લોકો સ્પેશ્યલ પૈસા ખર્ચીને સ્ટેન્ડ બનાવે છે. પરંતુ સી.યુ.શાહ કોલેજના પ્રોફેસર ડી.અચે. ગદાણીએ દોરીથી બચવા માટે સાવ સહેલો અને સસ્તો રસ્તો શોઘ્યો છે. પતંગની દોરી ગળા કે હાથમાં ના આવે તે માટે તેમણે જુના ક્લચના વાયરને બાઇકની કી અથવા સ્ટેરિંગ પર બાંધીને વાયરનો બીજો છેડો હેલ્મેટમાં બાંધી દે છે. જેથી રસ્તામાં જો દોરી આવે તો ડાયરેક્ટ ક્લચના વાયર સાથે અથડાઇને ટૂટી જાય છે.






દોરીથી બચવા માટે જુના ક્લચના વાયરને હેલ્મેટ, કિચેઇન અથવા સ્ટેરિંગ વચ્ચે બાંધીને ઉપયોગમાં લઈ શકાય તેવો સરળ કિમિયો


તેઓ છેલ્લા બે વર્ષથી ઉત્તરાયણમાં આ નુસખો અપનાવે છે. આ અંગે ગદાણી કહે છે કે, ઘણાં લોકો દોરીથી બચવા માટે ખાસ સ્ટેન્ડ બનાવડાવે છે.જ્યારે આ સિસ્ટમ દરેક લોકો ઘરે જ બનાવી શકે છે એ પણ મફતમાં. સ્ટેન્ડ બનાવડાવવા માટે આપણે સમય અને પૈસા બન્ને ખર્ચવા પડે છે. અને ઉત્તરાયણ પછી સ્ટેન્ડ કઢાવવા માટે પણ જવું પડે છે.

જ્યારે આ સિસ્ટમમાં ફક્ત એક જુનો ક્લચનો વાયર હોય એટલે દોરીથી બચી શકાય છે. આ વાયર એટલો પાતળો હોય છે કે લોકોને જાણ પણ નથી પડતી કે વાયર બાંધેલો છે. જો ક્લચનો વાયર ના મળે તો પતંગના પાંચ- છ દોરા જોડે કરીને પણ બાંધી શકાય છે.

આ સિસ્ટમથી એ ફાયદો પણ થાય છે કે હેલ્મેટ પહેરેલું હોવાથી પોલીસ પણ પકડે નહીં અને પોતાનો જીવ પણ બચાવી શકાય છે. હેલ્મેટ અને કિચેઇન વચ્ચેનો વાયર થોડો લુઝ રાખવો કે જેથી મોઢું ડાબે જમણે ફેરવી શકાય. જૂનો કલ્ચનો વાયર પણ તમારો જીવ બચાવી શકે છે અને મફતમાં સહેલાઇથી જાતે જ બનાવી શકાય છે.
તસ્વીર- સુરેશ મિસ્ત્રી

Monday, January 24, 2011

કાઈટ સિટીના આકાશમાં રંગોની રેલમછેલ

આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં સ્વાભાવિક છે કે અનેક દેશના કાઈટની ડિઝાઈન આપણને જોવા મળે. પરંતુ આ બધા જ પતંગોમાં તુર્કીના ઇસ્તંબુલ શહેરમાંથી આવેલા હાલીત સેબેસી અને ફેવજી કિરનો હેકપોન નામનો ટ્રેડિશનલ કાઇટ કંઈક અલગ અને સૌનું ધ્યાન ખેંચે તેવો હતો.ે આ બંને મિત્રો બીજી વખત ગુજરાતના ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં આવ્યા છે. જ્યારે ફેવજી કિર ગુજરતમાં ચાર વખત પાર્ટિસિપેટ કર્યું છે. તેઓ ફ્રાન્સ, હોલેન્ડ, નેધરલેન્ડ, જર્મની જેવા યુરોપીયન દેશોમાં યોજાતા કાઇટ ફેસ્ટિવલમાં પણ પાર્ટિસિપેટ કરે છે.આ અંગે હાલીત સેબેસી કહે છે કે, યુરોપમાં યોજાતા કાઇટ ફેસ્ટિવલ કરતાં ગુજરાતનો કાઇટ ફેસ્ટિવલ ઇમ્પ્રેસીવ છે. અમે અહીં ખૂબ ખુશ છીએ તથા ગુજરાતના લોકો સાથે ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવાનું ખૂબ ગમ્યું. ગુજરાતના લોકો ફ્રેન્ડલી અને માયાળુ છે. તો ફેવજી કિર કહે છે કે, ગુજરાત દર વર્ષે ડેવલોપ થઇ રહ્યું છે. ગયા વર્ષે હું જે જોઇને ગયો એના કરતા આ વર્ષે ઘણું ઇમ્પ્રુવ થઇ ગયું છે. અમે તુર્કીમાં ઇન્ડિયાને ખૂબ મિમ કરીએ છીએ.




 દર વર્ષે અનેક ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર્સ અમદાવાદ આવે છે. જેના કારણે અમદાવાદના લોકલ માર્કેટમાં પણ પતંગોની ઇન્ટરનેશનલ ડિઝાઇન જોવા મળે છે.



સાઉથ આફ્રિકના કેપ ટાઉન સિટીમાંથી આવેલા કેઇથ મોઉલ્ડ તથા ડર્બનથી આવેલા તેમના પાર્ટનર જેકી મોઉન્ટજોય અને ગ્રેગ માઉન્ટજોય ગુજરાતના કાઇટ ફેસ્ટિવલમાં ત્રીજી વખત આવ્યા છે. જેમાં ગ્રેગ માઉન્ટજોય કાઇટ મેકર પતંગવાલા તરીકે ઓળખાય છે. તેઓ યુરોપમાં યોજાતા ફેસ્ટિવલમાં પણ અવાર- નવાર પાર્ટિસિપેટ કરે છે. આ વખતે તેમણે ઘણો ડિફરન્ટ જાપાનીઝ લોકા-કુ, ઇડીઓ તથા ઝિબ્રા કાઇટ બનાવ્યો હતો. આ અંગે કેઇથ કહે છે કે, અમદાવાદ મને ખૂબ ગમે છે. અમદાવાદ સુંદર અને વેરી ફ્રેન્ડલી સિટી છે. અમને આ કાઇટ ફેસ્ટિવલમાં ઇન્વાઇટ કર્યા તેથી અમે ઘણા ખુશ છીએ. આ લોકોને આપણા લોકો જે રીતે પતંગ ઉડાવતી વખતે પેચ લડાવે છે તે ફાઇટ ખૂબ ગમે છે. ગ્રેગ કહે છે કે, અહીંનું ઓર્ગેનાઇઝેશન ખૂબ જ સારું છે. ગુજરાતી કલ્ચર, મ્યુઝિક, ડાન્સિંગ, ડિસીપ્લિન આ બધું ખૂબ જ ઇમ્પ્રેસિવ છે. લોકો અમારી પાસે આવીને હાથ મીલાવે છે તે ખૂબ ગમ્યું અમને. ગુજરાત એન્ડ સાઉથ આફ્રિકા વચ્ચે એક પ્રકારના ક્લોઝ રિલેશન છે. ગાંધીજી અને મંડેલાનો મેસેજ યુનિવર્સ છે અને રહેશે. તો ગુજરાતી ફુડનો આનંદ માણતી જેકી કહે છે કે, આઇ લવ ગુજરાતી ફુડ. ગુજરાતી ફુડ વેરી સ્પેશિયલ, ટેસ્ટી, સ્પાઇસી છે અને મને ગુજરાતી મસાલા બહુ ગમે છે.
સિંગાપોરથી આવનાર કાર્લોસ સોએરીસ, યુસ્ની અને ગેડિસ ગુજરાતના આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં દસ વર્ષથી આવે છે. કાર્લોસ કહે છે કે, યુરોપના દેશોમાં યોજાતા કાઇટ ફેસ્ટિવલ અને ગુજરાતના કાઇટ ફેસ્ટિવલ વચ્ચે મોટો ડિફરન્ટ એ છે કે અહીં ગવર્નમેન્ટ સપોર્ટ કરે છે. આ કાઇટ ફેસ્ટિવલ ખૂબ જ અલગ રીતે થાય છે. લોકો ખૂબ રિસ્પેકટ આપે છે. ગ્રેડિસ કહે છે કે, અમદાવાદ વિશ્વમાં એક જ એવું શહેર છે જ્યાં રિલિજિયસ રિલેટેડ દરેક ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવામાં આવે છે. વિદેશી કાઇટ ફ્લાયરોએ ગુજરાતના આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ અને ગુજરાતી કલ્ચર તથા પતંગ પ્રેમી અમદાવાદી લોકોનો આભાર માન્યો હતો.
સાંપ્રદાયિક્તાનું પ્રતિક બની ગાંધી ફિરકી
આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેનાર હરેશ કાકડીયાએ ગાંધીજીના ફોટા સાથે ૩ ફૂલની ફિરકી પ્રદર્શનમાં મૂકી હતી. આ ફિરકી તેમણે હિન્દુ- મુસ્લિમ એકતાના પ્રતિક તરીકે મૂકી હતી. જેમાં ગાંધીજીના ફોટા સાથે એક સુવાક્ય લખેલું છે કે લાકડીના એક ટુકડાને કોઇ પણ તોડી શકે છે પણ લાકડીના ભારાને નથી તોડી શકતું.


આ અંગે હરેશભાઇ કાકડીયા કહે છે કે, એકતા મોટી તાકાત છે અને ગુજરાતમાં મુસલમાનો પતંગ બનાવે છે જ્યારે હિન્દુઓ એ પતંગ ઉડાવે છે. તેથી કાઇટ ફેસ્ટિવલ એ રિલિજિયન એકતાનું પ્રતિક છે. એ માટે તેમણે ઇલેક્ટ્રોનિક પાવર સપ્લાયથી ચાલતી અનોખી ફિરકી દ્વારા આ એકતાને બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઉપરાંત તેમણે એક ઇંચની નાની મેગ્નેટિક ફિરકીઓ, ફિરકીનું તોરણ, માળા વગેરે બનાવીને પ્રદર્શનમાં મૂક્યું હતું. જેને જોવા માટે વિદેશના કાઇઠ ફ્લાયર્સ ઉમટી પડયા હતા.


રિમોટ કંટ્રોલ દ્વારા ઉડતો બલૂન કાઇટ
રિમોટથી ચાલતા પ્લેન ના કોન્સેપ્ટ પરથી જ બનાવેલા રિમોટ કંટ્રોલથી ચાલતા બલૂન પતંગોત્સવમાં કાઇટે આકર્ષણ જમાવ્યું હતું. થોડી વાર તો લોકો જોતાં જ રહી ગયા કે આ પતંગની દોરી ક્યાં છે અને કોણ ઉડાવે છે, પરંતુ પતંગની દોરી નહીં મળતા દોરી વિનાનો ઉડતો પતંગ જોઇને પ્રેક્ષકો કૌતૂકમાં મૂકાઇ ગયા હતા. લોકોની સાવ બાજુમાં ચાલીને નીકળી જતો આ પતંગે ગ્રાઉન્ડના ત્રણ રાઉન્ડ લગાવ્યા બાદ આ પતંગ યુ.કે.ના સ્ટોલ પાસે જઇને ઊભો રહ્યો ત્યારે બધાંને ખબર પડી કે આ પતંગ યુ.કે.થી આવેલા પતંગબાજ કોલિન માર્શલે બનાવ્યો છે.
કોલિને પોતાના સ્ટોલમાં બેઠા બેઠા રિમોટ કંટ્રોલ વડે આ પતંગને ઉડાવતો હતો. આ અંગે માર્શલ કહે છે કે, આ પતંગને મેંે એવી રીતે ડિઝાઇન કર્યો છે કે તેને પ્લેનની જેમ ગમે તે રીતે ઉડાવી શકાય છે. પ્લેન આસમાનમાં સ્થિર પણ રાખી શકાય છે. આ પતંગને જોવા માટે ભાગ લેનાર બધાં ફ્લાયરો ટોળે વળી ગયા હતા અને માર્શલના પતંગની પ્રશંસા કરી હતી. આ પતંગ દોરી અને હવા વિના પણ ઉડી શકે છે. તેની અંદર ઇલેક્ટ્રિકલ મોટર ફીટ કરવામાં આવી છે. જેના ઉપર એક નાનકડો મૂવેબલ પંખો બેસાડવામાં આવ્યો છે અને એ પંખાના આધારે આ પતંગને રિમોટ દ્વારા કન્ટ્રોલ કરીને ઉડાવી શકાય છે.

કાઇટ ઓર્નામેન્ટ

ઇન્ડોનેશિયાથી કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે આવેલી હેલ્મી ગિનંતિએ પતંગ આકારના ઘરેણાં પહેરીને લોકોને આકર્ષિત કર્યા હતા. ઘરેણાં અને પરંપરાગત વસ્ત્રોને કારણે હેલ્મી આકર્ષણનું કેન્દ્ર બની હતી. હેલ્મી કહે છે કે મને કાઇટ ફ્લાઇંગ કરવાનો ખૂબ જ શોખ છે. તેથી મેં મારા ઘરેણાંને પણ ખાસ કાઇટ આકારના બનાવ્યા છે. અને હું જ્યારે પણ કાઇટ ફેસ્ટિવલમાં જાઉં છું ત્યારે પતંગ આકારના ઘરેણાં જ પહેરું છું. અમદાવાદના લોકો અને કાઇટ ફેસ્ટિવલ મારા માટે હંમેશાં યાદગાર રહેશે. આઇ લવ યુ અમદાવાદ.
તસ્વીર- સુરેશ મિસ્ત્રી

દુબઇમાં ગુજરાતનો પતંગ ઈતિહાસ લહેરાશે


સાબમરતી નદીના કિનારે ચાલી રહે લા વાઇબ્રન્ટ કાઇટ ફેસ્ટિવલમાં ઇન્ડો-જાપાનીઝ છ ફૂટ લાંબો અને પાંચ ફૂટ પહોળો કાઇટ શેકા-કુ ઉડાવનાર વાઇબ્રન્ટ કાઇટ ક્લબના મેહુલ પાઠક અને રોયલ કાઇટ ફ્લાયર્સ ક્લબના પાવન સોલંકી દુબઇમાં યોજાનાર કાઇટ ફેસ્ટિવલમાં જઇ રહ્યા છે. આ માટે તેમણે જાપાનીઝ સ્ટાઇલનો શેકા-કુ પતંગ બનાવ્યો છે. દુબઈના કાઈટ ફેસ્ટિવલ માટે પાવન અને મેહૂલે પતંગ પર પ્રિયતમની પ્રતિક્ષા કરતી સૌરાષ્ટ્રની થીમ લઈને પેઇન્ટિંગ બનાવ્યું છે. આ ઉપરાંત તેમણે સીવીને બનાવેલા ડેલ્ટા કાઇટ, એઇટ સ્ટાર, ૧૩૨ ફૂટ લાંબો કિંગ કોબ્રા, ૩-ડી બોટ કાઇટ, બોક્સ પ્રકારનો ફેન કાઇટ, પેરા ફોઇલ કાઇટ, ઇન પ્લેટેબલ ઓક્ટોપસ, કાગળની ઇન્ડિયન ફાઇટર જેવા પતંગો પણ બનાવ્યા છે. આ અંગે મેહુલ પાઠક કહે છે કે, અમે ગુજરાતની સદીયો જૂની પતંગની સંસ્કૃતિની ઝલક બતાવવાનો પ્રયત્ન કર્યો છે. ફોરેન ટાઇપ પેઇન્ટેડ કાઇટ ફોર ઇન્ડિયન કાઇટ કેટેગરી માટે તેમણે ખાસ દુર્ગા કાઇટ બનાવ્યો છે. જેને અમ્બ્રેલાના ક્લોથ ઉપર ફેબ્રિક પેઇન્ટ કર્યું છે. દુર્ગા કાઇટ્સને એટ્રેક્ટિવ બનાવવા માટે તેમણે સાડીની લેસ અને આભલાનો પણ ઉપયોગ કર્યો છે.

અમદાવાદી કાઇટ ફ્લાયર્સ મેહુલ પાઠક અને પાવન સોલંકી ઉત્તરાયણના દિવસે દુબઇમાં યોજાનારા કાઇટ ફેસ્ટિવલમાં પતંગો દ્વારા ગુજરાતી કલ્ચરની ઝાંખી કરાવશે.


કોમનવેલ્થ ગેમ્સમાં પતંગ ઉડાવવા માટે ઇન્ડિયામાંથી ગુજરાતને જ આમંત્રણ મળ્યું હતું, જેમાં પાવનભાઇ અને મેહુલભાઇએ ૫૦૦ પતંગની કાઇટર ટ્રેનન ઉડાવી હતી. તેઓ છેલ્લા ચાર વર્ષથી કાઇટ ફેસ્ટિવલમાં પાર્ટિસિપેટ કરે છે અને મલેશિયા કાઇટ ફેસ્ટિવલમાં પણ પાર્ટિશિપટ કરી ચૂકેલા છે. આ અંગે પાવન સોલંકી કહે છે કે, અમે આ ઉત્તરાયણ દુબઇ કાઇટ ફેસ્ટિવલમાં ઉજવવાના છે. એ માટે ખાસ ગુજરાતી ટ્રેડિશનને ફોલ કરીને ગણેશા કોલાજ કાઇટ અને વેલકમ કાઇટ પણ બનાવ્યો છે. ઇન્ટરનેશનલ કોમ્પિટિશન કેટેગરીના તમામ પતંગો તેમણે બનાવ્યા છે, અને આ ઉપરાંત ગુજરાતી કલ્ચર અને થિમ્સ આધારિત પતંગો પણ બનાવ્યા છે. મિનિએચર કેટેગરી માટે પણ તેમણે ક્રિએટિવ વર્ક કરીને સુંદર કાઇટ બનાવ્યા છે. સોમવારે તેમણે અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલમાં ઇન્ડો- જાપાનીઝ તથા ગુજરાતી કલ્ચર પર આધારિત વિવિધ થિમ બેઝ કાઇટ ઉડાવ્યા હતા.
તસ્વીર- સુરેશ મિસ્ત્રી

સેફ ઉત્તરાયણ માટે વિડિયો કેમ્પેઈન

મહાવિર જૈન વિદ્યાલય પાલડીના ૨૫૦ સ્ટુડન્ટસ્ દ્વારા સેફ ઉત્તરાયણ માટે એક અનોખા વિડિયો કેમ્પેઇનની શરૃઆત કરવામાં આવી છે. એ કેમ્પેઇનનો હેતુ તહેવારની મજા બગાડવાનો નથી પરંતુ ઉત્તરાયણની મોજ મસ્તી સાથે પક્ષીઓનું ધ્યાન કેવી રીતે રાખવું જોઇએ એ અંગે અવેરનેસ લાવવાનો છે. આ કોલેજ સ્ટુડન્ટ દ્વારા ૧લી તારીખથી આ કેમ્પેઇનની શરૃઆત કરવામાં આવી છે. જેમાં આ સ્ટુડન્ટ્સે ૧૦ મિનિટની એક વિડિયો ફિલ્મ તૈયાર કરી છે જેમાં પક્ષીઓ કેવી રીતે ઘાયલ થાય છે તથા તેમને ઘાયલ થતાં અટકાવવા માટેનના ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા છે.

 
ઉત્તરાયણને સુરક્ષિત રીતે માણવા માટે મહાવીર જૈન યુવક મંડળના ૨૫૦ વિદ્યાર્થીઓ પર્યાવરણની જાળવણી માટે વિડિયો કેમ્પેઈન શરુ કર્યું છે.


આ સ્ટુડન્ટ્સ કોલેજો, સ્કૂલો, ક્લબો, ક્લાસીસ, હેસ્ટેલ, મોલ્સ અને સોસાયટીમાં જઇને સેફ ઉત્તરાયણ માટે સેવ બર્ડ કેમ્પેઇનની ૧૦ મિનિટની વિડિયો ફ્રીમાં બતાવે છે. આ અંગે સ્ટુડન્ટ જિનેશ શાહ કહે છે કે, અમે ખુદના પ્રોજેક્ટરભાડેથી લઇને ફ્રી ઓફ કોસ્ટ આ કેમ્પેઇન ચલાવીએ છીએ. અને જે લોકોને અમારી વિડિયો જોઇતી હોય તેમને અમે ફ્રીમાં વિડિયો સીડી ડિસ્ટ્રીબ્યૂટ કરીએ છીએ. આ કેમ્પેઇન સાથે સંકળાયેલા બધાં જ કોલેજ સ્ટુડન્ટ છે એ ભણવાની સાથે સાથે આ સ્ટુડન્ટ્સ અલગ અલગ ટુકડીમાં વહેંચાઇને અલગ અલગ જગ્યાએ વિડિયો બતાવવા માટે નીકળી જાય છે. આ અંગે સ્ટુડન્ટ શાહીલ શાહ કહે છે કે, અમે અત્યાર સુધીમાં ૨૫ સ્કલૂ, ૧૫ કોલેજ, ૧૦ હોસ્ટેલ અને ૭૦થી વધારે ક્લાસીસ તથા સોસાયટીમાં આ વિડિયો બતાવી ચૂક્યા છીએ. માત્ર અમદાવાદમાં જ નહીં પણ ગુજરાતના દરેક મોટા શહેરોમાં આ સ્ટુડન્ટ દ્વારા આ કેમ્પેઇન ચાલુ કરવામાં આવ્યું છે. આ કેમ્પેઇન દ્વારા પક્ષીઓના વિહરવાના સમયે એટલે કે સવારે ૬થી ૭ અને સાંજે ૫થી ૬માં પતંગ ના ઉડાવવી, બની શકે તો ગ્રાઉન્ડમાંથી પતંગ ઉડાવવી, ચાઇનિઝ અને નાઇલોન દોરી નહીં વાપરવી, જે વૃક્ષમાં વધારે પક્ષીઓ રહેતા હોય તેની આજુબાજુ પતંગ ના ઉડાવવા, વૃક્ષો પર અટવાયેલા દોરાઓનો નાશ કરવો, દોરીને રસ્તા પર ના છોડવી જેવા મુદ્દાઓ અંગે અવેરનેસ લાવવાનું કામ કરી રહ્યા છે. આ અંગે સ્ટુડન્ટ ધર્મેલ કામદાર કહે છે કે, અમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળે છે અને દરેક લોકો એટલું તો કમિટમેન્ટ આપે છે કે સવારે અને સાંજના સમયે અમે પતંગ નહીં ઉડાવીએ. આ માટે તેમણે સમગ્ર ગુજરાતમાં પક્ષીઓ બચાવવા માટે હેલ્પલાઈન નં- ૯૪૨૯૪૧૦૧૦૧, ૯૮૯૮૩૦૨૫૨૫ પણ ચાલુ કર્યા છે. જો તમારે પણ આ કેમ્પેઈનમાં ભાગીદાર બનવું હોય તો બની શકો છો.
 

ક્રિકેટની જન્મભૂમિ એચ.એલ. કોલેજની પ્લેટિનમ જ્યુબલીનું સેલિબ્રેશન



 એચ.એલ. કોમર્સ કોલેજમાં પ્લેટિનમ જ્યુબલી નિમિત્તે વિવિધ સેલિબ્રેશન ચાલી રહ્યું છે ત્યારે, રવિવારે એક અલગ જ પ્રકારની ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. જેમાં એચ.એલ. કોલેજના ૧૯૩૬થી લઇને ૨૦૧૦ સુધીના ૨૦૦થી વધારે ક્રિકેટરો ભેગા થયા હતા. અને એક ફેસ્ટિવલ મેચ રમીને ક્રિકેટર્સ પ્લેટિનમ જ્યુબલી ઉજવી હતી.


એચ.એલ. કોલેજના ૧૯૩૬થી લઇને ૨૦૧૦ સુધીના ૨૦૦થી વધારે જૂના- નવા ક્રિકેટરોએ સાથે મળીને ક્રિકેટર્સ પ્લેટિનમ જ્યુબલી ઉજવી. જેમાં નવા ખેલાડીઓએ જૂના ક્રિકેટર્સને સન્માનિત કર્યા હતા
એક બાજુ ૮૦ વર્ષની વય વટાવી ચૂકેલા એચ.એલ. કોલેજના જૂના ક્રિકેટર્સ ૭૫ વર્ષ પછી મળ્યા ત્યારે તેમની આંખો ભીની થઇ ગઇ હતી. જ્યારે બીજી બાજુ એચ.એલ. કોલેજના ગ્રાઉન્ડ પર યુવા ક્રિકેટર જયદેવ ઉનડકટે
બોલિંગ કરી હતી.

એચ.એલ. કોલેજના ગ્રાઉન્ડે રણજિત ટ્રોફી, દીલીપ ટ્રોફી, અંડર નાઇન્ટિન તથા ભારતીય ક્રિકેટ ટીમને સારા ખેલાડીઓ તૈયાર કરીને આપ્યા છે. એચ.એલ. કોમર્સ કોલેજ ગ્રાઉન્ડનું હિસ્ટોરિકલ મહત્ત્વ વધારે છે. એશિયાનું આ પ્રથમ ગ્રાઉન્ડ હતું જ્યાં ટેસ્ટ મેચો રમવામાં આવતી. આ ગ્રાઉન્ડમાં ઓરિજનલ પેવેલિયન પણ હતું, પરંતુ અન્ય ગ્રાઉન્ડ બનતા આ ગ્રાઉન્ડનું મહત્ત્વ ઓછું થતું ગયું. એચ.એલ. કોલલેજના ગ્રાઉન્ડ પર ક્રિકેટ માસ્ટર સચીન તેન્ડુલકર, વિનોદ કાંબલી, જશુ પટેલ, દિપ શોધન, સર ફ્રેન્ક વોરેલ, સર ગાર્ફિલ્સ, વેસ્લી હોલ જેવા ધુરંધર ક્રિકેટરાએે ફટકા માર્યા છે. આ ગ્લોરીયસ ગ્રાઉન્ડે અનેક ક્રિકેટરોને પ્લેટફોર્મ પૂરું પાડયું છે અને આજે પણ પાડે છે.
ભારતીય ટેસ્ટ ટીમમાં પસંદ થયેલ અને એચ.એલ. કોલેજમાં એફ.વાય. બી.કોમમાં અભ્યાસ કરતો યુવા ક્રિકેટર જયદેવ ઉનડકટ પણ આ પ્રસંગે હાજર રહ્યો હતો. જયદેવ ઉનડકટ કહે છે કે, હું જ્યારે અમદાવાદમાં હોઉં છું ત્યારે આ ગ્રાઉન્ડ પર મેચ રમ્યા વિના જતો નથી. અને આજે એચ.એલ. કોલેજના જૂના ક્રિકેટર્સને ભેગા થયેલા જોઇને ખૂબ જ આનંદ થયો.
૧૯૮૯માં અંડર નાઇન્ટિન ટ્રોફીની ફાઇનલ મેચ ગુજરાત અને બોમ્બે વચ્ચે આ ગ્રાઉન્ડ ઉપર રમાઇ હતી. જેમાં સચીન તેન્ડુલકરે ૨૧૯ રન ફટકાર્યા હતા. આ અંગે એચ.એલ. કોલેજ ક્રિકેટ ટીમના પ્રથમ કેપ્ટન વિનુ પંચાલ કહે છે કે, એક વખતે આ ગ્રાઉન્ડ ખૂબ પોપ્યુલર હતું. રવિવારે બધા સાઇકલ લઇને અહીં ક્રિકેટ રમવા આવતા હતા.
એચ.એલ. કોલેજના જૂના ક્રિકેટરો અત્યારે ૮૦ વર્ષથી પણ વધારે ઉંમરના છે. તેઓ નવા પ્લેયર સાથે કનેક્ટ થવા માટે ફરી ભેગા થયા ત્યારે દરેકે પોતાના સમયની જૂની યાદો તાજી કરી ત્યારે દરેકની આંખો ભીની થઇ ગઇ હતી. તો કોઇએ 'સોડા લેમન કોકો કોલા, એચ.એલ. કોલેજ બમ્બ બમ્બ બોલા' જેવા જૂના સૂત્રોને યાદ કર્યા હતા.
આ અંગે એચ.એલ. કોલેજના સ્પોર્ટ ડિપાર્ટમેન્ટના પ્રોફસેર એન.જે. ચનીયારા કહે છે કે, દિલમાં એક વસવસો હતો કે જૂના ખેલાડીઓને છાપાં અને ફોટાઓમાં જોયા હતા, જ્યારે આજે જૂના ખેલાડીઓને રૃબરૃ મળીને એમ લાગે છે કે, આ ફન્કશન ટેસ્ટ મેચ કરતાં પણ મોટું છે. આજે પણ જૂના ખેલાડીઓની ભાવના આ ગ્રાઉન્ડ સાથે અડીખમ ઊભી છે. આ અંગે એચ.એલ. કોલેજના પ્રિન્સિપાલ મોના કેલ્શિકર કહે છે કે, એચ.એલ. માત્ર એકેડેમિક સંસ્થા નથી પણ એક સારી સ્પોર્ટ સંસ્થા પણ છે અને ઘણા સારા ખેલાડીઓ આપ્યા છે.
તસ્વીર -  સુરેશ મિસ્ત્રી

પાંચ વિદ્યાર્થીનીઓને વુમન સાયન્ટિસ્ટ સ્કીમ હેઠળ ૧.૯ કરોડની સ્કોલરશીપ

ગુજરાત યુનિવર્સિટીના માઈક્રો બાયોલોજી અને બોટની ડિપાર્ટમેન્ટની પાંચ વિદ્યાર્થીઓને જુદા-જુદા વિષયના રિસર્ચ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી એક કરોડ નવ લાખ રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવી છે. જેમાં માઈક્રો બાયોલોજી વિભાગની સીમા સાંબ્રાણી, રિઘ્ધી દવે, ઉર્જા પંડ્યા તથા બોટની વિભાગની મેઘા ભટ્ટ અને રેણુ સિંઘના પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટીના માઈક્રો બાયોલોજી અને બોટની ડિપાર્ટમેન્ટની પાંચ વિદ્યર્થીનીઓને જુદા-જુદા સબજેક્ટ પર રિસર્ચ કરવા માટે જરૂરી સાધનો અને ખર્ચ માટે કેન્દ્ર સરકાર તરફથી એક કરોડ નવ લાખ રૂપિયાની સ્કોલરશીપ મળી છે

ભારત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા વુમન સાયન્ટિસ્ટ રિસર્ચ સ્કીમ હેઠળ સમગ્ર દેશમાંથી સંશોધન માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. દેશમાંથી કુલ ૬૫૦ અરજીઓ માંથી ૨૭ અરજીઓ માન્ય કરવામાં આવી છે. આ ૨૭ અરજીઓમાં ગુજરાતમાંથી ગુજરાત યુનિવર્સિટીની પાંચ વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. જે બહેનોને સાયન્સ વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી જો બેઝિક અથવા એપ્લાઈડ સાયન્સમાં રિસર્ચ કેરીયર આગળ લંબાવવી હોય તો યંગ વુમન સાયન્ટિસ્ટ સ્કીમ હેઠળ ત્રણ વર્ષ માટે રિસર્ચના સાધનો તથા કેમિકલ વગેરેની ખરીદી માટે માસિક ૧૭થી ૨૫ હજાર રૂપિયા સ્કોલરશીપ આપવાની વ્યવસ્થા છે.
આ અંગે બોટની વિભાગની સ્ટુડન્ટ મેઘા ભટ્ટ કહે છે કે, મને જંગલની માટીમાં રહેલા કાર્બનના પ્રમાણ અંગે પોસ્ટ ડોક્ટરેટ રિસર્ચ કરવા માટે પસંદ કરવામાં આવી છે. આ પ્રજેક્ટ અંતર્ગત તે ક્લાઈમેટ ચેન્જમાં કાર્બનની ભૂમિકા અંગે રિસર્ચ કરશે.જ્યારે બોટની વિભાગની બીજી સ્ટુડન્ટ રેણુ સિંઘ પોતાના પ્રોજેક્ટ અંતર્ગત હર્બલ પ્લાન્ટ અંગે પોસ્ટ ડોક્ટરેટ રિસર્ચ કરશે.માઈક્રો બાયોલોજી વિભાગની સ્ટુડન્ટ સીમા સાંબ્રામી પોતાના પ્રોજેક્ટમાં સહનશીલ હોય તેવા લિપોલાઈટીક એન્ઝાઈમ કાર્બનિક દ્રાવકો અંગે પોસ્ટ ડોક્ટરેટ રિસર્ચ કરશે. આ ત્રણેય વિદ્યાર્થીનીઓ ત્રણ વર્ષ સુધી પોતાના પ્રોજેક્ટ પર રિસર્ચ કરશે અને આ રિસર્ચ માટે જરૂરી સાધનો, લેબ તથા કેમિકલની ખરીદી માટે ત્રણેય સ્ટુડન્ટને કુલ ૬૬ લાખ રૂપિયાની સ્કોલરશીપ મળશે. માઈક્રો બાયોલોજી વિભાગની રિઘ્ધી દવે કહે છે કે, હું મારા પ્રોજેક્ટ અંતર્ગત ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં વપરાતી ડાઈઝનું વિઘટન અને આ ઈન્ડસ્ટ્રીઝની વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ અંગે રિસર્ચ કરીશ.જ્યારે માઈક્રો બાયોલોજી વિભાગની સ્ટુડન્ટ ઉર્જા પંડ્યા પોતાના સબજેક્ટ રોગજન્ય ફૂગના કંન્ટ્રોલ અંગે પ્લાન્ટ ગ્રોથ હોર્મોન પેદા કરતા રાઈઝો બેક્ટેરીયા અંગે સંશોધન કરશે. આ બંને સ્ટુડન્ટને રિસર્ચમાં થનાર ખર્ચ અને સાધનો માટે કુલ ૪૦ લાખ રૂપિયાની સ્કોલરશીપ મળશે.આ અંગે ગુજરાત યુનિવર્સિટીના માઈક્રો બાયોલોજી ડિપાર્ટમેન્ટના ડીન બળદેવભાઈ પટેલ કહે છે કે, ભારત સરકારની વુમન સાયન્ટિસ્ટ સ્કીમ હેઠળ ગુજરાત યુનિવર્સિટીની પાંચ વુમન સાયન્ટસ્ટને રિસર્ચ માટે એક કરોડ નવ લાખ રૂપિયાની સ્કોલરશીપ મળી છે એ ગુજરાત માટે ગૌરવની વાત છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

અમે પતંગ નહીં પણ ઘાયલ પક્ષીઓને ઉડાવીએ છીએ


અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી સત્યમપાર્ક સોસાયટીના યુવાનોએ ઉતરાયણ પર્વ નિમિત્તે પતંગ ચગાવવાને બદલે પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવાનું નક્કી કર્યું છે. સાત સભ્યોના આ યુવા ગુ્રપે આજે સવારે એમ.જી. સાયન્સ કોલેજ પાસેથી કોઇનો ફોન આવતા રેર જોવા મળતુ બાર્ન આઉલને રેસક્યુ કર્યું હતું. બાર્ન આઉલને લોકલ લેંગ્વેજમાં રેવીદેવી કહેવામાં આવે છે. આ બાર્ન આઉલ પતંગની દોરીની લપેટમાં આવતા ખરાબ રીતે જખ્મી થઇને જમીન પર પટકાયું હતું. તેમની બંને પાંખો, પગના પંજા અને નાકનો ભાગ ઇન્જર્ડ થયો હતો.  
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી સત્યમપાર્ક સોસાયટીના યુવાનો છેલ્લા બે વર્ષથી ઉતરાયણમાં પતંગ ચગાવવાને બદલે પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવાનું કામ કરે છે

આ અંગે આ ગુ્રપના સભ્ય હિમાંશુ ચૌહાણ કહે છે કે, આ વર્ષે બર્ડ રેસક્યૂની શરૃઆતમાં પહેલો ફોન આવ્યો અને હું મારા મિત્રો સાથે સ્થળ પર પહોંચ્યા તો બાર્ન આઉલને જોઇને જ અમે ખુશ થઇ ગયા. કેમ કે આ પક્ષી ખૂબ જ રેર જોવા મળે છે. સામાન્ય રીતે સમડી, અને કબૂતર જ વધારે ઇન્જર્ડ થાય છે. હિમાંશુ પોતે જ પક્ષીઓની સારવાર કરે છે. તેમણે આ માટે બર્ડ વોચર કેમ્પ પણ કર્યા છે. તેમણે બાર્ન આઉલને નોનવેજ સાથે લિક્વીડ ફૂડ આપીને તેની સારવાર કરી હતી.
આ ગુ્રપના યુવાનો બે વર્ષ પહેલા પતંગ ઉડાડવાના શોખીન હતા. હિમાંશુ પોતે દર વર્ષે પતંગ પાછળ પાંચથી સાત હજાર રૃપિયાનો ખર્ચો કરતો હતો. પરંતુ છેલ્લા બે વર્ષથી તેઓ ઉતરાયણ પર ધાબા પર જઇને પતંગ ચગાવવાને બદલે પક્ષીઓ બચાવવાનું કામ કરે છે. આ ગુ્રપના જિગ્નેશ સોલંકી કહે છે કે, અમે છેલ્લા બે વર્ષથી પતંગ ચગાવવાનું છોડીને પક્ષીઓને બચાવીએ છીએ. જે જગ્યાએથી પક્ષી પકડયું હોય તે જ જગ્યાએ અમે તેને સારવાર કરીને છોડી દઇએ છીઅ.ે જેને કારણે તેને તેનું ઘર કે માળો તરત મળી રહે છે.
ખાસ કરીને ઉતરાયણના દિવસે લોકો એક સાથે પતંગ ચગાવતા હોવાથી હજારો પક્ષીઓ ઘાયલ થાય છે. આ અંગે આ ગુ્રપના અન્ય એક સભ્ય વિજય શાહ કહે છે કે, ઉતરાયણના દિવસે જ પતંગ ચગાવવો જરૃરી નથી. આ માટે યુવાનો જાગૃત થાય એ જરૃરી છે. બીજુ એ કે જો લોકો પણ ઉતરાયણના દિવસે યોગ્ય સાથ- સહકાર આપે તો ઘણાં પક્ષીઓના જીવ બચાવી શકાય છે. પતંગ ઉડાડવા કરતાં આ ગુ્રપના યુવાનોને પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરીને તેમને ફરીથી આકાશમાં ઉડાડવામાં વધારે અનાંદ મળે છે.
આ ગુ્રપના યુવાનો આપણને પતંગ ઉડાડવાને બદલે પક્ષીઓ બચાવવાની પ્રેરણા આપે છે. જો તમને પણ ક્યાંક ઘાયલ પક્ષી જોવા મળે તો આ ગુ્રપના હેલ્પલાઇન નં. ૯૪૨૬૭ ૬૭૫૪૭ અથવા ૯૦૩ ૩૮ ૨૩૨૫૧ પર ફોન કરીને ઘાયલ પક્ષીઓની સેવાના કામમાં ભાગીદાર બની શકો છો.

પ્રથમ વખત બાળ વિશ્વકોશનું ગુજરાતી બ્રેઇલ લીપીમાં પ્રકાશન

અંધ બાળકો માટે વિશ્વમાં પ્રથમ વખત ગુજરાતી બ્રેઇલ લીપીમાં બાળ વિશ્વકોશનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતી બાળ વિશ્વકોશના પ્રથમ ખંડને બ્રેઇલ લીપીમાં સાત ભાગમાં છાપવામાં આવ્યો છેઔ
૪ જાન્યુઆરી એટલે 'લૂઇસ બ્રેઇલ ડે'. ૪ જાન્યુઆરી ૧૮૦૯ના દિવસે ફ્રાંસના એક શહેરમાં ભવિષ્યની ઉજળી કિરણ સમાન એક બાળકે જન્મ લીધો, પરંતુ ત્રણ વર્ષની નાની વયે અકસ્માતે આ બાળક અંધ બની ગયો. જેને બાર વર્ષની નાની વયે ૧૮૨૧માં દુનિયાની એક એવી લીપીની શોધ કરી કે જેને અંધજનોની જિંદગીમાં અજવાળુ પાથરી દીધું. આ બાળકનું નામ હતું લૂઇસ બ્રેઇલ અને તેમના નામ પરથી તેમણે શોધેલી લીપીનું નામ પણ બ્રેઇલ લીપી રાખ્યું.


બ્રેઇલ લીપીને કારણે બ્લાઇન્ડ સ્ટુડન્ટ આજે દરેક ક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છે. બ્રેઇલ લીપીએ અંધજનોની આંખોમાં અજવાળુ પાથરી દીધું. ભારતમાં ચાર જગ્યાએ બ્રેઇલ સાહિત્ય છાપવામાં આવે છે જેમાનું એક ગુજરાતનું એક માત્ર બ્રેઇલ પ્રેસ અમદાવાદ અંધજન મંડળ ખાતે છે. મહત્ત્વની વાત એ છે કે દેશની આ એક માત્ર ગુજરાતી બ્રેઇલ સાહિત્ય છાપતો પ્રેસ છે

બ્રેઇલ લીપીના શોધક લૂઇસ બ્રેઇલના ૨૦૨માં જન્મ દિને વાંચે ગુજરાત અંતર્ગત અમદાવાદ અંધજન મંડળના બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ વચ્ચે બ્રેઇલ લીપીમાં વાંચન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. બ્રેઇલ લીપીને કારણે બ્લાઇન્ડ સ્ટુડન્ટ આજે દરેક ક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છે. બ્રેઇલ લીપીએ અંધજનોની આંખોમાં અજવાળુ પાથરી દીધું. ભારતમાં ચાર જગ્યાએ બ્રેઇલ સાહિત્ય છાપવામાં આવે છે જેમાનું એક ગુજરાતનું એક માત્ર બ્રેઇલ પ્રેસ અમદાવાદ અંધજન મંડળ ખાતે છે. મહત્ત્વની વાત એ છે કે દેશની આ એક માત્ર ગુજરાતી બ્રેઇલ સાહિત્ય છાપતો પ્રેસ છે. અને આ વર્ષે ગુજરાત રાજ્યના અંધ બાળકો માટે દુનિયાનું પ્રથમ અને એક માત્ર ગુજરાતી બ્રેઇલ ઇન્સાક્લોપિડિયા (વિશ્વકોશ) બાળ વિશ્વ કોશનું ગુજરાતી બ્રેઇલ લીપીમાં પ્રકાશન કરવામાં આવ્યું છે.ગુજરાતી બાળ વિશ્વકોશના પ્રથમ ખંડને ગુજરાતી બ્રેઇલ લીપીમાં પ્રથમ વાર સાત ભાગમાં છાપવામાં આવ્યું છે. આ અંગે અંધજન મંડળના બ્રેઇલ સ્ટીરીયો સ્ટાઇપર ભૂપેન્દ્ર પટેલ કહે છે કે, વિશ્વની બધી જ લેંગ્વેજ છ ટપકાંથી બનેલી બ્રેઇલ લીપી દ્વારા વાંચી અને લખી શકાય છે.
બ્રેઇલ સાહિત્ય છાપવા માટે ખાસ બ્રેઇલ સોફ્ટવેર ઉપલબ્ધ છે. જેના દ્વારા બ્રેઇલ લીપી વિશ્વની કોઇ પણ ભાષામાં લખી શકાય છે, અને પ્રિન્ટ કરી શકાય છે. ડક્સબરી બ્રેઇલ સોફ્ટવેરની મદદથી કોમ્પ્યૂટરના કિ- બોર્ડ ઉપર એસ.ડી.એફ. અને જે. કે. એલ. આ છ કી દ્વારા બ્રેઇલ લખી શકાય છે. આ છ કીના ઉપયોગ કરતાં ૬ ટપકાં એમ્બોસ થાય છે અને એ રીતે બ્રેઇલ લખાય છે. આ અંગે બ્રેઇલ સ્ટીરીયો સ્ટાઇપર મનીષા પરીખ કહે છે કે, બ્રેઇલ છ ટપકાંથી બનેલી લીપી છે અને માત્ર ૬ કી દ્વારા નિયમો મુજબ જે લખવું હોય તે બ્રેઇલમાં લખી શકાય છે. ગુજરાતી ભાષાને બ્રેઇલમાં લખવા માટે સંધિ છુટ્ટી પાડવી પડે છે. જ્યારે અંગ્રેજીમાં સ્પેલ ટુ સ્પેલ લખી શકાય છે. શરૃઆતમાં ઝિંક અથવા એલ્યુમિનિયમની પ્લેટ પર બ્રેઇલ લખીને પ્રેસ મશીનમાં આ પ્લેટને ફિટ કરી મશીનના પ્રેસ દ્વારા કાગળ ઉપર બ્રેઇલ ઉપસાવવામાં આવતી.આ અંગે બ્રેઇલ પ્રેસ મેનેજર એફ. જે પોરવાલ કહે છે કે, અમે ૨૦૦૩માં લેટેસ્ટ બ્રેઇલ પ્રિન્ટર વસાવ્યું છે. જેની અંદર ટોટલ ૮૪ પીનો હોય છે. અને કોમ્પ્યૂટર પર બ્રેઇલ લખ્યા પછી કોમ્પ્યૂટર દ્વારા સીધું જ પાનાની આગળ- પાછળ બંને સાઇડ બ્રેઇલ પ્રિન્ટિંગ થાય છે. આ બ્રેઇલ પ્રેસમાં બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે ૧થી ૧૨ ધોરણના બધાં જ અભ્યાસક્રમના પુસ્તકો તથા મનોરંજનથી લઇ રામાયણ, મહાભારત જેવા ધાર્મિક પુસ્તકો બ્રેઇલ લીપીમાં છાપવામાં આવે છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

રામ નામના જાપમાં રૃદ્રાક્ષને રિપ્લેસ કરતી ડિજિટલ માળા

ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં દરેક વસ્તુ ઝડપથી બદલાઇ રહી છે ત્યારે હવે મંત્ર કે જાપ કરવા માટે ઇલેક્ટ્રોનિક માળા માર્કેટમાં આવી છે. સામાન્ય રીતે લોકો મંત્ર કે જાપ કરવા માટે રૃદ્રાક્ષના પારાથી બનાવેલી માળા ફેરવતા ફેરવતા મંત્ર કે જાપની ગણતરી કરતા હોય છે. પરંતુ હવે મંત્ર કે જાપ ગણવા માટે રૃદ્રાક્ષના પારાની માળાની જગ્યાએ ઇલેક્ટ્રોનિક માળા આવી ગઇ છે. જેના કારણે તમે ગમે ત્યારે ગમે તે જગ્યાએ નવરાસની પળોમાં જાપ કરી શકો છો.

રૃદ્રાક્ષનો પારો મોંઘો થતાં માર્કેટમાં ૫૦થી ૧૦૦ રૃપિયાની રેન્જમાં મળતી ડિજિટલ માળા હવે ભક્તિના માર્કેટમાંએક નવો વિકલ્પ બનીને આવી છે. અન્ય ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની જેમ આપણી માળાઓમાં પણ ચાઈના બજારે પગપેસારો કરી લીધો છે

આ ઇલેક્ટ્રોનિક માળાની વિશેષતા એ છે કે તે એકદમ નાનકડી છે. વીંટીની જેમ આંગળીમાં પણ પહેરી શકાય છે. અને તમે જેમ મંત્ર કે જાપ બોલો તેમ માળામાં રહેલ બટન દબાવવાથી તમારા જાપ કે મંત્ર રેકોર્ડ થતા જશે. તમે જેટલા મંત્ર કે જાપ નક્કી કર્યા હોય એ પૂરા થઇ જાય પછી રીસેટ બટન ક્લીક કરવાથી ફરીથી આ માળામાં નવેસરથી રેકોર્ડ કરી શકાય છે.
આ અંગે ઇલેક્ટ્રોનિક માળાનો યુઝ કરતા ૬૦ વર્ષીય કાન્તિભાઇ પટેલ કહે છે કે, ઇલેક્ટ્રોનિક માળાને કારણે હવે જાપ કરવા એકદમ સરળ થઇ ગયા છે. આ માળાને કારણે જાપ કરવાની ગણતરી પણ સરળ બની ગઇ છે.
આ અંગે મનુભાઇ વાજા કહે છે કે, રૃદ્રાક્ષની માળા કરતી વખતે ગણતરીનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ક્યારેક એ પણ ભુલાય જાય છે કે કેટલીક માળા થઇ છે, પરંતુ હવે ઇલેક્ટ્રોનિક માળાને કારણે એક્ઝેટ ગણથરી સરળતાથી કરી શકાય છે. આ અંગે હેમંતભાઇ જોશી કહે છે કે, ઇલેક્ટ્રોનિક માળાને કારણે ગમે ત્યારે મંત્ર કે જાપ બોલી શકાય છે. રસ્તા પર ચાલતા, બસમાં મુસાફરી કરતી સમયે, ઓફિસમાં નવરાશની પળોમાં પણ માળા કરી શકાય છે. તો આ ઇલોક્ટ્રોનિક માળાથી એ પણ પાયદો થાય છે કે ઘણા લોકોને ઘરની બહાર રૃદ્રાક્ષની માળા ફેરવવાની શરમ આવતી હોય છે. તો તેઓ હવે આ ઇલેક્ટ્રોનિક માળાની મદદથી ગમે ત્યાં જાપ કરી શકે છે.
આ અંગે વાત કરતા પૂજારી પ્રાણશંકરભાઈ વ્યાસ કહે છે,ગુજરાતના ધાર્મિક વસ્તુઓ અને પૂજાપાને લગતા બજારોમાં પણ હવે ડિજિટલ ટેકનોલોજીએ કબજો જમાવ્યો છે. આજથી થોડા વર્ષો પહેલા ઈલેક્ટ્રોનિક્સ દિવાઓ મળતા હતા એ પછી ડિજીટલ અગરબત્તીઓ આવી. ભગવાનના વિવિધ મંત્રોને ટેપ કરીને સતત આખો દિવસ સાંભળી શકાય તેવા ફોટાઓ અને પ્રતિકો પણ માર્કેટમાં મળે છે.પરંતુ લાંબા સમય પછી ડિજિટલ માળાએ ભક્તોમાં કૌતુક જગાવ્યું છે. જો કે વૃધ્ધ લોકોને તો આ માળા આજે પણ એડજસ્ટ થાય તેમ નથી.પરંતુ નવા યંગ ભક્તો ફ્લાઈટસમાં કે ઘેર બેઠાબેઠા પણ જાપ કે મંત્ર કરી શકે. આ માળાનો એક ફાયદો એ છે કે માળામાં એકસોને આઠ મણકા પત્યા પછી કેટલી માળાઓ થઈ અને કેટલા મંત્રો થયા તે ગણવું પડે છે પરંતુ આ પ્રકારની માળામાં આવી કોઈ જ ઝંઝટ નથી. સવા લાખ મંત્ર કરવા બેઠેલા ભક્તોને આ માળાથી ફાયદો થશે.
આ માળાની સાઈઝ ઘણી નાની હોવાથી લોકો પાકીટમાં કે ખિસ્સામાં પણ રાખી શકે છે. ફરીવાર એકની એક વાત કરીએ છીએ એવું લાગે પણ આ માળાને બનાવવામાં પણ ચાઈનાનું માર્કેટ સક્રિય છે. ગુજરાતના ભક્તિ અને ધર્મના માર્કેટમાં પણ ચાઈનાના બજારનો દબદબો છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

હોટ ડાન્સ પાર્ટીઓના બદલે ન્યુ યરની ઉજવણી અનાથ બાળકો સાથે

લોકોએ થર્ટી ફર્સ્ટ અને ન્યુયરની હોટલો રેસ્ટોરન્ટો અને પાર્ટીપ્લોટમાં જઈને ડીજેના તાલે ધામધૂમથી ઉજવણી કરી.પરંતુ અનાથ આશ્રમ, વૃધ્ધાશ્રમ, વિધવા આશ્રમ જેવી સંસ્થામાં રહેતા લોકો પોતાના મનોરંજન માટે બહાર જઈ શકતા નથી. ત્યારે આવી સંસ્થામાં રહેતા લોકોને પણ એન્ટરટેઈનમેન્ટ મળે તે માટે સમર્પણ ગુ્રપના યુવાનોએ નવા વર્ષના પ્રથમ દિવસે પાલડી વિકાસ ગૃહની ૧૫૦થી વધારે અનાથ છોકરીઓ માટે એક નાનકડા ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિકાસ ગૃહની અનાથ છોકરીઓએ સંગીત, જાદુ, મિમિક્રી તથા વિવિધ ગેમ્સમાં ભાગ લઈને નવા વર્ષના દિવસે મનોરંજન કર્યુ હતું.


સમર્પણ ગુ્રપના યુવા એન્ટરપ્રિન્યોર્સ દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે પાલડી વિકાસ ગૃહની ૧૫૦થી વધારે અનાથ છોકરીઓ માટે મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


આ અંગે સમર્પણ ગુ્રપના અજય ભીમાણી કહે છે કે, અમે દર મહીને આવી સંસ્થામાં રહેતા લોકો માટે મનોરંજન પુરૃં પાડવાનો પ્રયત્ન કરીએ છીએ.આ ગુ્રપમાં ૧૨ જેટલા યુવા સભ્યો છે, અને મહત્ત્વની વાત એ છે કે દરેક સભ્ય બિઝનેસમેન છે. અને પોતાના કામમાંથી સમય કાઢીને વૃધ્ધાશ્રમ, અનાથ આશ્રમ, વિધવા આશ્રમ જેવી સંસ્થામાં રહેતા લોકો માટે વિવિધ કાર્યક્રમો કરે છે.
આ ગુ્રપના સભ્ય નિમેષ ઠક્કર કહે છે કે, સમાજસેવાના ભાગરૃપે અમે દર મહિને આવી કોઈ સંસ્થાના લોકોને મનોરંજન મળે તેવા પ્રોગ્રામો કરીએ છીએ. ખાસ તો જે લોકો મનોરંજન માટે બહાર નથી જઈ શકતા તવા લોકો માટે અમે મનોરંજક કાર્યક્રમો કરીને ખુશ કરીએ છીએ.

નવા વર્ષે સિવિલના દર્દીઓને ભેટ ૧૨૦૦ દર્દીઓને હાઈટેક સિસ્ટમથી બનતું ભોજન મળશે

આજથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પેશન્ટને તેમની રિક્વાયર પ્રમાણે ફ્રી જમવાનું આપવામાં આવશે. આ માટે સિવિલ હોસ્પિટલ અને હાઈટેક અને હાઈજીનને ઘ્યાનમાં રાખીને મઘ્યાહન ભોજન બનાવતી અક્ષયપાત્ર સંસ્થા અક્ષયપાત્ર વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે. અક્ષયપાત્ર સંસ્થા મિડ ડે મિલ યોજના હેઠળ ડેઇલી એક લાખ બાળકોનું ભોજન બનાવે છે.અને આજથી તેઓ સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે આ સેવાની શરૂઆત કરશે. આ માટે જે ખર્ચ થવાનો છે તે ખર્ચ સિવિલ હોસ્પિટલ દ્વારા ભોગવવામાં આવશે.
નવા વર્ષની શરૂઆતથી સિવિલ હોસ્પિટલના ૧૨૦૦ દર્દીઓને હાઈટેક પઘ્ઘતિથી બનાવેલું અને તેમની રિક્વાયરમેન્ટ પ્રમાણે સવાર- સાંજ બંને ટાઇમ ફ્રી જમવાનું આપવામાં આવશે. આ માટે સિવિલ હોસ્પિટલ અને અક્ષયપાત્ર સંસ્થા વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે

આ અંગે ગુજરાત ખાતેના અક્ષયપાત્ર સંસ્થાના ડિરેક્ટર, જગનમોહનદાસ ક્રિષ્ના કહે છે કે, અમે શરૂઆતમાં ૪૨૦ પેશન્ટને જમવાનું આપીને ટેસ્ટ કર્યો. જેમાં પેશન્ટ અને સિવિલ હોસ્પિટલ તરફથી ખૂબ જ સરસ રિસ્પોન્સ મળ્યો છે. જેથી આ યોજનાનું વિસ્તરણ કરાયું છે. આમ આ યોજના અંતર્ગત હવે આજથી સિવિલ હોસ્પિટલના ૧૨૦૦ પેશન્ટને અક્ષયપાત્ર સંસ્થા ફ્રી જમવાનું પહોંચાડશે.

અને જેમ જેમ સફળતા મળશે તેમ તેમ વઘુમાં વઘુ પેશ્ટને તેનો લાભ આપવામાં આવશે. દાળ- ભાત શાક- રોટલી અને સલાડ સવાર- સાંજ બંને ટાઇમ આપવામાં આવશે. એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે ડોક્ટર જે તે પેશન્ટને જે રીતે સલાહ આપે છે તેમ ડોક્ટરની સલાહ પ્રમાણે દર્દીને ફ્રી જમવાનું મળશે. જો ડોક્ટર કહે કે જે તે પેશન્ટને જમવામાં નમક અને ચટણી ઓછી આપશો તો તે પેશન્ટને તે પ્રમાણે જમવાનું મળશે.

આ અંગે અક્ષયપાત્ર સંસ્થાના આસિસ્ટન્ટ મેનેજર સુશાંથ શેટ્ટી કહે છે કે, પેશન્ટને દરરોજ મેનુ પ્રમાણે અલગ અલગ પ્રકારનું જમવાનું આપવામાં આવશે. જેમાં દર્દીઓની રિક્વાયરને પણ ઘ્યાનમાં રાખવામાં આવશે.આ અંગે સિવિલ હોસ્પિટલમાં દાખલ પેશન્ટના સગા રોહિત પટેલ કહે છે કે,સિવિલમાં ઘણા લોકો મફત ભોજન આપે છે અને ઘણી સંસ્થાઓ પણ આ કામ કરે છે.છતા જ્યારે હોસ્પિટલ ઓથોરિટી દ્વારા આ કામ થાય ત્યારે એક સ્વમાનપૂર્ણ રીતે દર્દી આ ભોજન જમી શકે.

ગાંઘીનગર જીઆઈડીસીમાં આવેલા અક્ષયપાત્રના પ્લાન્ટમાં આ ભોજન બનાવવામાં આવી રહ્યું છે.જ્યાં તમામ ભોજન માત્ર મશીન દ્વારા જ ભોજન બનાવવામાં આવે છે.અહીં હાથમાં ગ્લોવ્સ અને પગમાં કંપની દ્વારા આપેલા ચપ્પલ અને માથે કેપ પહેરીને ભોજન બનાવવામાં આવે છે.જેથી ભોજનની સાત્વિક્તામાં સહેજ પણ ભેળસેળ ના થાય. શાક, દાળ, ભાત, રોટલી બનાવવાના મશીનોમાં કઈ વસ્તુ કેટલી નાખવી તે માત્રા પણ દીવાલો પર લખેલી છે.

માત્ર ત્રણથી ચાર કલાકમાં ગાંઘીનગર અને અમદાવાદની શાળાઓના ૧ લાખજેટલા બાળકો માટે વિવિઘ મેનું સાથે ભોજન બનાવતી આ અક્ષયપાત્રનો લાભ હવે સિવિલ હોસ્પિટલને પણ મળશે. અક્ષયપાત્રની ૩૦ લોડિંગ જીપો પણ સમયસર દર્દીઓ સુઘી ભોજન પહોંચાડશે.

કંકોત્રીમાં તમારૂં નામ હશે તો જ પાંચ રૂપિયાની ફ્રેશ નોટનું બંડલ મળશે



કમૂર્તામાં પણ લગ્નની તૈયારીઓ તો ચાલતી જ હોય છે.જેમાં સૌથી શૌર્ટેજ પડે તેવી વસ્તુઓ એટલે વ્યવહાર કરવા માટે ઉપયોગી એવી રૂ.૫ની નોટો.
પાંચ રૂપિયાની ફ્રેશ નોટના બંડલ મેળવવા લગ્ન હોય તેવા પરિવારો ે રિઝર્વ બેંકમાં દોડી જાય છે. દિવાળીના પ્રસંગે રિઝર્વ બેંક દ્વારા લાખ્ખો રૂપિયાની ફ્રેશ નોટો પબ્લીકને આપવામાં આવી હતી.પરંતુ દિવાળી પછી કેટલાંક કારણોસર રિઝર્વ બેંકમાંથી પાંચ રૂપિયાની ફ્રેશ નોટો મેળવવી અઘરૂં બન્યું છે.

જો તમારે રિઝર્વ બેંકમાંથી પાંચ રૂપિયાની ફ્રેશ નોટનું બંડલ મેળવવું હોય તો જે તે પ્રસંગની આમંત્રણ પત્રિકા અથવા કંકોત્રીમાં આમંત્રણ તરીકે તમારું નામ અને પ્રુફ આઇડી હોય તો જ મળે છે


અત્યારે પાંચ રૂપિયાની ફ્રેશ નોટ મેળવવા માંગતા લોકોને જે પ્રસંગ માટે જરૂરિયાત હોય તે પ્રસંગ અન્વયે છપાવેલ આમંત્રણ પત્રિકા સાથે લાવવી જરૂરી બન્યું છે.સાથે આ પત્રિકા અથવા કંકોત્રીમાં આમંત્રક તરીકે તેમનું નામ હોય તો જ રિઝર્વ બેંકમાંથી પાંચ રૂપિયાની ફ્રેશ નોટના બંડલ મળી શકે છે.
આ અંગે રિઝર્વ બેંકના કર્મચારીઓ કહે છે કે,દિવાળી પછી આ નિયમ એટલા માટે લાગુ કર્યો છે કે રિઝર્વ બેંકની આજુ બાજુના વિસ્તારના બેકાર લોકો અહીંથી પાંચ રૂપિયાની નોટના બંડલો લઇ જઇને બહાર ૩૦-૪૦ રૂપિયા મળે એટલે બીજાને આપી દે છે. લોકો જરૂર ના હોય તો પણ આવી રીતે લઇ જાય છે.
હજી પણ ઘણા લોકો જૂની કંકોત્રી અથવા અન્ય કોઇ જગ્યાએથી બે- પાંચ રૂપિયામાં કંકોત્રી ખરીદીને પાંચ રૂપિયાની નોટ લેવા માટે આવે છે. તેથી કંકોત્રીમાં આમંત્રક તરીકે નામ અને પ્રુફ આઇડી હોય તેને જ હવે પાંચ રૂપિયાની નોટના ફ્રેશ બંડલ મળી શકે છે.
આ સિસ્ટમ ફક્ત પાંચ રૂપિયાની નોટ માટે જ છે. બાકી દસ- વીસ રૂપિયાની નોટ અને પાંચ રૂપિયાના સિક્કા મેળવવા માટે કંકોત્રી કે આમંત્રણ પત્રિકાની જરૂર પડતી નથી. આ અંગે પાંચ રૂપિયાની ફ્રેશ નોટ મેળવવા માટે આવેલા ગ્રાહક કિરીટ ચૌધરી કહે છ ેકે, આજે પાંચ રૂપિયાની નોટો બહુ ઓછી જોવા મળે ચે. સિક્કાઓ વદારે વપરાય છે. તેથી ઘણા લોકો કંકોત્રી લીધા વિના આવતા હોવાથી તેમને ફ્રેશ નોટો લીધા વગર જ પાછુ જવું પડે છે.
કંકોત્રીમાં આમંત્રક તરીકે તમારું નામ હોય અને તમારું આઇડી પ્રુફ હોય તો સહેલાઇથી પાંચની ફ્રેશ નોટો મળી જાય છે. લગ્ન- પ્રસંગ માટે પાંચ રૂપિયાની ફ્રેશ નોટો મેળવવા આવેલા વિજય કોટક કહે છે કે, આ સિસ્ટમને કારણે ખરેખર જેને જરૂરિયાત હોય તેને જ પાંચની નોટો મળે છે.
આ અંગે સાબરકાંઠાના રાજેન્દ્રસિંહ પરમાર કહે છે કે અમારી જ્ઞાતિમાં ઢોલીઓે રમાડવામાં આવે છે.જેમાં લગભગ અડઘો કિલોમીટર સુઘી રૂ.૫ની કે રૂ.૧૦ની નોટો ઉડાડવાની હોય છે.આ માટે નોટોની ખૂબ જરૂર પડે છે.
તો શહેરી વિસ્તારોમાં પણ લગ્નના પ્રસંગો અને પાર્ટીઓમાં નોટો ઉડાડવાના રિવાજ પ્રમાણે પાંચની નોટોની સૌથી વઘુ શોર્ટેજ રહે છે.કેટલાંક સમાજમાં લગ્નની પહેરામણીમાં પણ પાંચની નોટોની જરૂર પડે છે.

કાંકરિયા એક્વેરિયમમાં ખારા પાણીની માછલીઓ માટે સિસ્ટમ

કાંકરિયા એક્વેરિયમમાં કાર્નિવલ નિમિત્તે પબ્લિકને માહિતી અને મનોરંજન મળે એ માટે ખાસ દરિયાના ખારા પાણીના નમૂનાઓ ડિસપ્લે કરવામાં આવ્યા છે. કાંકરિયા માછલીઘરમાં કુલ ૩૫ જાતની માછલીઓ જોવા મળે છે. જેમાં આ વખતે કાર્નિવલમાં નવી છ જાતની દરિયાઇ સ્પેસીસ ડિસપ્લે કરવામાં આવી છે. જેમાં સ્ટાર ફીશ, સમુદ્રી ફુલ, સી અર્ચીન, જેલી ફીશ, સ્લજ અને લાઇવ કોરલ્સ (પરવાળા)નો સમાવેશ થાય છે.
 
  
કાંકરિયા એક્વેરિયમમાં દરિયાઈ માછલીઓને મેઇન્ટઈેન કરવા માટે મરીન સોલ્ટ અને ફૂલ એરેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.જેમાં પાણીને ૩૦થી ૩૫ પી.પી.ટી. ખારાસવાળું બનાવવામાં
આવે છે.


કાર્નિવલને કારણે દરરોજ ૫૦૦૦થી વધારે મુલાકાતીઓ માછલીઘરની મુલાકાત લે છે. અને પબ્લિકને પણ આ દરિયાઇ નમૂનાઓમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ પડ્યો છે. કાંકરિયા એક્વેરિયમમાં ડિસપ્લે કરવામાં આવેલી સ્ટાર ફીશ અને જેલી ફીશ અત્યારે આંકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આ દરિયાઇ નમૂનાઓ ઓખા કોસ્ટ લાઇન પરથી કલેક્ટ કરવામાં આવ્યા છે. આ પ્રકારની દરિયાઇ પ્રજાતિ માટે ઓખા કોસ્ટ લાઇન રિચ એરિયા છે. આ અંગે ફીશરીઝના આસિસ્ટન્ટ ડાયરેક્ટર વી. એમ. રૂપાણી કહે છે કે, આ પ્રજાતિઓ ખારા પાણીમાં જ રહી શકે છે. તેમને કાંકરિયા એક્વેરિયમમાં મેઇન્ટેન કરવા માટે મરીન સોલ્ટ અને ફૂલ એરેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દરિયાઇ નમૂનાઓને ૩૦થી ૩૫ પી.પી.ટી. ખારાસવાળું પાણી મેઇન્ટેન કરીને રાખવામાં આવ્યા છે.
આ સ્પેસીસમાં સ્ટાર ફીશ એપ્લાટિક, પેસેફિક, હિન્દ અને આર્કટિક મહાસાગરમાં જોવા મળે છે. જેની ૨૦૦ પ્રજાતિઓ વિશ્વમાં જોવા મળે છે. આ પ્રજાતિની મુખ્ય વિશેષતા તેનો આકાર છે. નર્વસ સિસ્ટમ દ્વારા હલન- ચલન કરી શકે છે. અને જો તેના ઉપાંગો નાશ પામે તો તે રિ-જનરેશન થાય છે. આ પ્રજાતિને મગજ કે બ્લડ હોતુ નથી. તેનું આયુષ્ય એવરેજ ૩૦ વર્ષનું છે. જ્યારે દરિયાઇ ફૂલ એકદમ સાદું અને સોફ્ટ બોડી ધરાવે છે. અને વિશ્વમાં તેની ૧૦૦૦થી વઘુ પ્રજાતિઓ ઉપલબ્ધ છે. જેલી ફીશના શરીરમાં હાડકા હોતા નથી. તે કરોડરજ્જુ વિનાનું દરિયાઇ જળચર પ્રાણી છે. જો તેને પાણીમાંથી બહાર કાઢવામાં આવે તો સંકોચાઇ જાય છે. તેની ૨૦૦ પ્રજાતિઓ જોવા મળે છે. આ અંગે સુપ્રિટેન્ડેન્ટ ઓફ ફીશરીઝ ડી.આઇ. સુતરીયા કહે છે કે, આ પ્રજાતિઓને બે દિવસ પછી ક્લાઇમેટ અનુકૂળ આવ્યું હતું. અને ખાસ કરીને યુવાનોને આ દરિયાઇ પ્રજાતિમાં વધારે રસ પડ્યો છે.

ફાસ્ટફૂડની પ્લેટમાંથી ઓનિયન આઉટ

ખાવાના શોખીન અમદાવાદીઓ માટે એવું કહેવાય છે કે, પોતાના ફેવરિટ ભજીયા, દાળવડા કે પાઉંભાજી ખાવા માટે તેઓ ૨૦-૨૫ કિલોમીટર સુધી પેટ્રોલનો ધુમાડો કરવા પણ અચકાતા નથી, પરંતુ આજ કાલ ડુંગળીના ભાવ આસમાને પહંચતા તેમને લારી પર જઇને ફેવરિટ નાસ્તા સાથે ડુંગળી મળવાનું બંધ થઇ ગયું છે.

 ડુંગળી મોંઘી થતાં હવે સ્વાદના શોખીન શહેરીજનોને ભજીયા, દાળવડા કે પાંઉભાજી સાથે માત્ર લીલાં મરચા,મૂળા, કોબીજ કે પપૈયાની છીણથી ચલાવી લેવું
પડે છે.



પાઉંભાજી, દાળવડા, ભજીયા સાથે હવે ડુંગળીની જગ્યાએ પપૈયાની છીણ,મૂળા,કોબીજ અને મરચા જ મળે છે. ફાસ્ટ ફૂડના વેપારીઓને હવે નાસ્તા સાથે ડુંગળી આપવી મોંઘી પડે છે તે વાત પણ કેન્દ્ર સરકારના કાને નાખવા જેવી ખરી. આ અંગે વર્ષોથી દાળવડાનો વેપાર કરતાં સુરેશભાઇ ચૌહાણ કહે છે કે, અમે નહીંં નફો નહીં નુકસાનના ધોરણેે ગ્રાહક સાચવવા માટે લિમિટમાં ડુંગળી આપીએ છે. જ્યારે ૯૦ ટકા વેપારીઓએ ડુંગળી આપવાનું બંધ કરી દીધું છે, ત્યારે અમે પહેલા કરતાં ૫૦ ટકા ડુંગળી આપવાનું ઘટાડી દીધું છે. પાઉંભાજીની મજા તો ડુંગળી હોય તો જ આવે, પરંતુ ડુંગળીના ભાવ વધતા પાઉંભાજીના વેપારીઓએ ભાજીમાં ડુંગળી નાખવાનું જ બંધ કરી દીધું છે. પાઉંભાજીમાં ડુંગળીની જગ્યાએ કોબિજનું છીણ આવી ગયું છે. પાઉંભાજી, દાળવડા, ગાંઠીયા, ભજીયા જેવા નાસ્તાની મજા ડુંગળી સાથે જ આવે છે. આ અંગે ભજીયા અને દાળવડાના વેપારી પ્રકાશભાઇ પરમાર કહે છે કે, અમને દાળવડા અને ભજીયાની સાથે ડુંગળી આપવી પોસાતી નથી.
૧૦-૧૨ રૃપિયાના દાળવડા સાથે અમે ડુંગળી આપીએ તો અમારી કમાણી ડુંગળીમાં જ જતી રહે છે. ડુંગળીના ભાવ વધવાથી સમાજના દરેક વર્ગ પર તેની અસર જોવા મળે છે. તેમાં પણ સૌથી વધારે અસર ખાવાના શોખીનો પર પડી છે. દરેક જગ્યાએથી એક જ જવાબ મળે છે કે અમને ડુંગળી આપવી પોસાતી નથી. જેને કારણે નાસ્તા સાથે ડુંગળી ખાવાના શોખીનોને ડુંગળી ઘરેથી લઇ જવાનો વારો આવ્યો છે.
ડુંગળીના ભાવ વધતા હવે દાળવડામાં ચટણીનો કોન્સેપ્ટ ઇન થઇ રહ્યો છે. સામાન્ય રીતે મેથીના ગોટા અને ભજીયા સાથે જે કઢીનો કોન્સેપ્ટ છે એ હવે દાળવડામાં પ્રવેશી ગયો છે. નાના વેપારીઓ હવે ડુંગળીનું ઓપ્શન શાધીને ગ્રાહકો જાળવી રાખવાની તરકીબો અજમાવી રહ્યા છે. દરેક ફાસ્ટ ફૂડ કોર્નર પર ડુંગળીનું કોસ્ટ કટીંગ કેવી રીતે કરવું તેનો રોજે રોજનો હિસાબ રાખે છે.આ ની મુખ્ય અસર નાની હોટલો અને ખાણીપીણીની લારીઓ પર વધુ જોવા મળે છે. તો બીજી તરફ શહેર વિસ્તારમાં અને કારખાનાઓની આસપાસ રહેતા નાના માણસો ,જેમને રોજ સવારે નાસ્તો કરવાની ટેવ છે તેવા શોખિનોમાં નાસ્તાની મજા જ મરી ગઈ છે. ઘણી જગ્યાએ નાસ્તાની લારી પર નાસ્તાના ભાવના બોર્ડની જગ્યાએ ડુંગળીના ભાવના બોર્ડ જોવા મળે છે. આ અંગે બ્રિજેશ દોશી કહે છે કે, નાસ્તાની મજા ના બગડે એ માટે હું પ્રથમ એ જ પૂછું છું કે નાસ્તા સાથે ડુંગળી મળશે કે નહીં? જો ડુંગળી હોય તો જ હું નાસ્તો કરું છું. પણ આજે નાસ્તા સાથે ડુંગળી મળવી મુશ્કેલ છે. શહેરમાં ૯૦ ટકા લારીવાળાઓએ ડુંગળીનું ઓપ્શન શોધીને ડુંગળી આપવાનંંુ બંધ કરી દીધું છે
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

કડકડતી ઠંડીમાં રાત્રે ગરીબોને ધાબળા ઓઢાડતા અજ્ઞાાત સેવાભાવીઓ

૨૫મી ડિસેમ્બરે લોકો જ્યારે ડી.જે.ના તાલે નાતાલની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે શહેરના કેટલાક યુવાનો નાતાલની કડકડતી ઠંડીમાં ગરીબોની સેવા કરી રહ્યા હતા. નાતાલના દિવસે અમદાવાદના ધર્મભક્તિ જૈન યુવક મંડળ, તપોવન યુવા ગુ્રપ તથા સંભવનાથ જૈન યુવક મંડળના ૩૦૦ યુવાનોએ પોતાની પોકેટ મનીમાંથી ડોનેશન કરીને શહેરના ફૂટપાથ પર તથા ઝૂપડપટ્ટી વિસ્તારોમાં ધાબળા, બિસ્કિટના પેકેટ તથા દાળ-ચોખાની કીટનું વિતરણ કર્યું હતું.



અમદાવાદના ત્રણ જૈન યુવક મંડળોના ૩૦૦ યુવાનોએ નાતાલના દિવસે ૨૨૦૦ ધાબળા, ૩૦૦ કિલો ચોખા-દાળ અને ૧૦૦૦ બિસ્કિટના પેકેટ ગરીબોને વહેંચીને સેવા કાર્ય કર્યું



આ યુવક મંડળો દ્વારા કોઓર્ડિનેશન કરીને રાત્રે ૧૧ વાગ્યે જ્યારે લોકો ધામધૂમથી ક્રિસમસ પાર્ટીમા ંવ્યસ્ત હતા ત્યારે આ યુવાનોએ સમગ્ર અમદાવાદના જુદા જુદા રૃટ જેવા કે ગ્રામ્ય વિસ્તારો, સાબરમતી નદીના કિનારાના વિસ્તારો, રિંગ રોડ, અમદાવાદના રેલવે સ્ટેશનો તથા મોટા ભાગની ફૂટપાથ પર જઇને ઠંડીમાં ઠુઠવાતા ગરીબ લોકોને ધાબળા, બિસ્કિટ અને દાળ-ચોખાની કીટ આપીને ખુશ કરી દીધાં હતા. આ અંગે તપોવન યુવા ગુ્રપના દેવર્શી શાહ કહે છે કે, અમે નાતાલની રાત્રે ડિ.જે. પાર્ટીમાં જવાને બદલે શહેરના ગરીબ વર્ગના લોકોની સેવા કરવાનું નક્કી કરીને નાતાલની ઉજવણી કરી હતી.
શહેરમાં આજે અસંખ્ય લોકો એવા જોવા મળે છે જેમની પાસે ખાવા-પીવાની વાત તો દૂર પણ શિયાળામાં ઓઢવા માટે પણ કંઇ હોતું નથી. એવા લોકો માટે આ યુવક મંડળોના યુવાનોએ નાતાલની રાત્રે સાન્તાક્લોઝની ભૂમિકા ભજવી હતી. રાત્રે ૧૧ વાગ્યાથી લઇને સવારના ૪ વાગ્યા સુધી આ યુવાનો અમદાવાદના વિસ્તારોમાં ફર્યા હતા. આ અંગે સંભવનાથ યુવક મંડળના હાર્દિકભાઇ સાળંદવાળા કહે છે કે, અમે જ્યારે બોપલ વિસ્તારમાં ધાબળાનું વિતરણ કરતા હતાં ત્યારે પોલીસાળા અમારી પાસે આવ્યા કે શું કરો છો તમે અત્યારે. ત્યારે અમે પોલીસવાળાને કહ્યું કે, અમે આ રીતે સેવા કરીએ છે તો પોલીસવાળાએ પણ અમને સાથ આપીને અમને એ વિસ્તારની ઝૂપડપટ્ટીઓમાં લઇ ગયા હતા. આ યુવાનોએ કડકડતી ઠંડીમાં પોતાની પોકેટમનીમાંથી ૨૨૦૦થી વધારે ધાબળા, ૩૦૦ કિલો દાળ-ચોખા અને ૧૦૦૦થી વધારે બિસ્કિટના પેકેટનું વિતરણ કર્યું હતું. આ અંગે જિનય શાહ કહે છે કે, અમે જ્યારે રાત્રે નિકળ્યા ત્યારે ખબર પડી કે લોકો કેટલી ઠંડીમાં કેવી રીતે રાત ગુજારતા હોય છે.

હું પૈસાને નહીં પેડલને મહત્ત્વ આપું છું

જીવનના મોટા ભાગના વર્ષો પ્રકૃત્તિના પ્રાંગણમાં, જંગલોમાં, પર્વતો તથા ખીણોમાં, નદીના નીરમાં અને સાહસિક પ્રવૃત્તિમાં ગુજારનાર અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા ૭૧ વર્ષના જયંતીભાઈ પટેલે સાઈકલ પર જ ૩ લાખ કિલોમીટરનું અંતર કાપી નાખ્યું છે. આજે આપણે બાઈકના મીટર પર નજર કરીએ તો માંડ ૬૦થી ૭૦ હજાર કિલોમીટર સુધીના જ આંકડા જોવા મળેે. ત્યારે સાઈકલ ચલાવીને ૩ લાખ કિલોમીટરનું અંતર કાપવું એ એક તપશ્ચર્યા જ કહી શકાય.જયંતીભાઈ આજે ૭૧ વર્ષની જૈફ વયે પણ સાઈકલ પર જ ફરવા નિકળે છે, અને આજે પણ એડવેન્ચર એક્ટીવીટીમાં સક્રિય છે. તેઓ સાઈકલ પર ભારતના દરેક સ્થળોએ ફરેલા છે. જયંતીભાઈ કહે છે કે, મને નાનપણથી જ ફરવાનો શોખ હતો અને મેં ૧૦ વર્ષની ઉંમરે સાઈકલ શીખીને સાઈકલ પર ગુજરાતમાં ફરવાનું ચાલુ કરી દીધું હતું. ગુજરાતની એકપણ જગ્યા એવી નહીં હોય કે જ્યાં જયંતીભાઈ સાઈકલ લઈને ના ગયા હોય. ૭૧ વર્ષમાંથી જયંતીભાઈએ ૩૫ વર્ષ તો સાઈક્લીંગ, ટ્રેકિંગ અને પગપાળા યાત્રા કરવામાં જ ગુજાર્યા છે.જયંતીભાઈ પોતાના સાહસિક મિત્રો સાથે ઘરના સભ્યોને કહ્યા વિના જ નિકળી પડતા હતાં.



નાનપણથી જ સાઇક્લિંગના શોખીન ૭૧ વર્ષના જયંતીભાઇ પટેલે ૩ લાખ કિલોમીટર સાઇકલ ચલાવીને સમગ્ર ભારતનું ભ્રમણ કર્યું છે. તેઓ આજે પણ જીંદગીની પ્રત્યેક ક્ષણ એડવેન્ચર એક્ટિવિટી દ્વારા જ માણે છે.





 જીવનમાં પૈસા સિવાય પણ ઘણું મેળવવાનું, જોવા-જાણવાનું અને કમાવાનું છે. જયંતીભાઈ ટ્રેકિંગના પણ શોખીન છે.ગુજરાતમાં જેસોર તથા ભારતમાં અમરનાથ તથા ડેલહાઉસીના ટ્રકિંગ પોઈન્ટ તેમને ખુબ ગમે છે. બે દિવસ પછી તેઓ ચેરાપુંજી (મેઘાલય)ની પહાડીઓમાં ફરવા માટે જવાના છે. જયંતીભાઈ કહે છે કે, આજના યુવાનોમાં સાહસિકવૃત્તિ, શારીરિક ક્ષમતા અને નૈતિક હિંમત ઓછી થઈ ગઈ છે.પરંતુ સાહસિકવૃત્તિ કંઈ યુવાનોનો ઈજારો નથી. એક દિવસમાં હું ૨૫૦ કિલોમીટર સાઈક લ ચલાવતો હતો. ૭૦ના દાયકામાં જે પ્રકૃતિ જોવા મળતી એ આજે જોવા ના મળે.હું જોવા ગયેલો હોય એવી ઘણી જગ્યાઓ આજે જેવા પણ નથી મળતી.
અમે જ્યારે સાઇકલ પર પ્રવાસે નીકળતા ત્યારે લોકો પ્રેમથી આવકારતા, અને ખાવા-પીવા તથા ચા-પાણીથી વ્યવસ્થા મફતમાં કરી આપતા. જ્યારે આજે એ કંઇ જોવા મળતું જ નથી. જયંતીભાઇએ સાઇક્લિંગ ઉપરાંત હજારો કિલોમીટર રબ્બરની હોડીમાં બોટિંગ, ટ્રેકિંગ, સ્કૂટર ટૂર જેવી પ્રવૃત્તિઓ પણ ખૂબ કરેલી છે. આ ઉપરાંત ૧૯૭૨માં નર્મદા, તાપીમાં આવેલું પૂર, ૧૯૭૩માં સાબરમતી પુર, મચ્છુ હોનારત જેવી કુદરતી આફતમાં પોતાની સેવા આપી છે. અંતે જયંતીભાઇ કહે છ ેકે, જિંદગીમાં એક વસવસો હંમેશાં રહી ગયો કે ૧૯૫૯માં મારા પાંચ મિત્રો અમદાવાદથી સાઇકલ પર અમેરિકા જવા નીકળ્યા. અને મને ઘરેથી નીકળવાની રજા નહીં મળતા હું એમની સાથે જઇ ના શક્યો. જેનો મને આજે પણ અફસોસ છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

સાંતાક્લોઝને અમે ઓળખતા નથી બસ, માસ્ક વેચીએ છીએ

શહેરના મુખ્ય માર્ગો અને ચાર રસ્તા પર સાન્તાક્લોઝના માસ્ક વેચતા બાળકોને એ પણ ખબર હોતી નથી કે આ સાન્તા શું છે? અને નાતાલ કેમ ઉજવાય છે. તેમના માટે સાન્તાક્લોઝ ખુશીઓની ભેટ આપનાર નહીં પણ એક આજીવિકા સમાન છે. ત્યારે નાતાલ પર્વ નિમિત્તે મંદિરો અને રસ્તાઓ પર ભીખ માગતા બાળકો, સાન્તાક્લોઝના માસ્ક વેંચતા બાળકો, કચરો ઉપાડતા બાળકો અને ફૂટપાથ પર જિંદગી પસાર કરતા બાળકો માટે શહેરની એક સમાજ સેવી સંસ્થા ડ્રીમ્સ દ્વારા આ બાળકો સાથે અનોખી રીતે નાતાલ પર્વની ઉજવણી કરી હતી.


શહેરના રસ્તાઓ પર સાંતાક્લોઝના માસ્ક વેચતા બાળકોને નાતાલ પર્વ નિમિત્તે ક્રિસમસ અને સાંતાનું શું મહત્ત્વ છે તે સમજાવવા માટે અનોખી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું



આ અંગે ડ્રીમ્સ સંસ્થાના મયંક બાપના કહે છે કે, આ બાળકો પણ આપણી સોસાયટીનો જ એક હિસ્સો છે. તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાની જવાબદારી પણ આપણી જ છે. એના માટે પૈસાની નહીં પણ લોકો સમય આપીને ઇન્વોલ થાય એ જરૃરી છે.
આ પાર્ટીમાં મેજિક શો અને ગુ્રપ ડાન્સમાં ગરીબ વર્ગના બાળકોએ ડી.જે.ના તાલે મન મૂકીને ડાન્સ કર્યો હતો. અને બાળકોના પ્રિય સાન્તાક્લોઝે બાળકોને ચોકલેટ અને ભેટ આપીને ખુશ કર્યા હતા. ચાની લારી પર ચા આપવાનું કામ કરતો કરન કહે છે કે, મેં પ્રથમ વાર આવી પાર્ટી જોઇ છે. અને મને આજે ખબર પડી કે ક્રિસમસ કેમ ઉજવાય છે. આ નાના ભૂલકાઓને સમાજની બધી જ ખુશીઓ મળે અને જેમ વાર્તામાં સાન્તાક્લોઝ નાના ભૂલકાઓ માટે શહેરના આર્થિક પછાત સામાજિક વર્ગના બાળકોને ક્રિસમસનો પર્વ શું છે અને જીવનમાં સાન્તાનું શું મહત્ત્વ છે તે સમજાવવા માટે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ૨૦૦થી વધારે બાળકોએ ભાગ લીધો હતો. ગરીબ વર્ગના આ બાળકો ચોરી કરવી, ભીખ માગવી, કચરો ઉપાડવા જેવા દરેક પ્રકારના કામ કરે છે. ત્યારે આ બાળકોને મોટિવેટ કરવા અને સમાજના મુખ્ય માર્ગમાં લાવવા માટે આ વિશિષ્ટ પાર્ટી યોજી હતી.
જેમા ંખ્રિસ્તી નન દ્વારા આ બાળકોને ક્રિસમસ અને સાન્તાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. આ બાળકોએ પ્રથમ વખત જ આવી પાર્ટીમાં ભાગ લીધો અને જાણ્યું કે ક્રિસમસ શું છે. ભેટ લઇને આવે તેમ તેમના માટે આપણે સહુએ એક સાન્તા બનીને તેમના સપના પૂરા કરવામાં મદદરૃપ થવું જોઇએ.

૨૫ શાળાઓના બાળકોનું મીની ઓલિમ્પિકમાં પરફોર્મન્સ

બાળકોના વિકાસમાં એજ્યુકેશનની સાથે સ્પોર્ટ પણ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. કેટલાક બાળકો એવા પણ હોય છે કે જે ભણવામાં એક્ટિવ ન હોય પણ ગેમ્સમાં તેમની સારી માસ્ટરી હોય છે. દરેક માણસ પાસે કોઇને કોઇ પ્રકારની ટેલેન્ટ હોય છે. પરંતુ દરેકને પોતાનું ટેલેન્ટ બહાર લાવવા માટે પ્લેટફોર્મ નથી મળતું. બાળકોની અંદર રહેલા ટેલેન્ટને બહાર લાવવા માટે કે.જી.થી ધોરણ ૧૦ના બાળકો દ્વારા જોશ- ૨૦૧૦ મિનિ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઓલિમ્પિકમાં અમદાવાદની ૨૫ સ્કૂલના ૩૦૦ બાળકો સહિત ૧૦૦ પેરેન્ટ્સ અને ટિચરોએ પણ પાર્ટિસિપેટ કર્યું હતું. જેમાં અમદાવાદ ઇન્ટરનેશનલ, જી.એલ.એસ., નિર્માણ સ્કૂલ, શાંતિ એશિયાટિક, સેન્ટ ઝેવિયર્સ, આનંદ નિકેતન, સંત કબિર, સેન્ટ ઝેવિયર્સ લોયેલા, કેન્દ્રિય વિદ્યાલય, ઉદ્ગમ સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો.

બાળકોની મીની ઓલિમ્પિક જોશ ૨૦૧૦માં સાઇક્લિંગ, રોક ક્લાઇબિંગ, ગોલ્ફ, ટ્રેઝર હન્ટ જેવી ગેમ્સમાં બાળકોના પેરેન્ટ્સ અને ટિચરોએ પણ પાર્ટિસિપેટ કર્યું



જોશ- ૨૦૧૦ નામના ઓલિમ્પિકમાં સાઇક્લિંગ, રેસ, સ્કેટિંગ, રોક ક્લાઇબિંગ, કરાટે, ટ્રેઝર હન્ટ, વર્ચુઅલ ગેમ્સ, ચેસ, ટેબલ ટેનિસ, ગોલ્ફ, ફન ગેમ્સ જેવી મોર્ડન ગેમ્સમાં બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. મહત્ત્વની વાત એ છે કે સાઇક્લિંગ, રોક ક્લાઇબિંગ, ગોલ્ફ, ટ્રેઝર હન્ટ જેવી ગેમ્સમાં બાળકોના પેરેન્ટ્સ અને ટિચરોએ પણ પાર્ટિસિપેટ કર્યું હતું.આ અંગે સ્ટુડન્ટ વ્રિષા પટેલ કહે છે કે, અમારી સાથે પેરેન્ટ્સ પણ બાળકો જેવા જ બની ગયા હતા. અને ટ્રેઝર હન્ટ ગેમ્સમાં તો પેરેન્ટ્સ અમારી સાથે વાત પણ નહોતા કરતા એટલા રમવામાં મશગૂલ હતા. પોતાના બાળકોની સાથે પેરેન્ટ્સે પણ રમતો રમીને પોતાના બાળપણની યાદોને તાજી કરી હતી. ફનગેમ્સમાં તો ચોકલેટ મેળવવા માટે પેરેન્ટ્સ અને ટિચરોએ પણ ભાગ લીધો હતો. અને તેમને મેડલ પણ આપવામાં આવ્યા હતા.ટેબલ ટેનિસમાં પ્રથમ નંબરે આવેલા કેન્દ્રિય વિદ્યાલયનો અર્જુન ધાર કહે છે કે, આ ઓલિમ્પિકમાં પેરેન્ટ્સ અને ટિચરોને સાથે પાર્ટિસિપેટ કર્યું હોવાથી કંઇક અલગ જ આનંદ આવ્યો હતો. તો આ ઓલિમ્પિકમાં એવું પણ જોવા મળ્યું હતું કે સિનિયર કે.જી.ના બાળકો સાતમા ધોરણના છોકરાને હરાવતા હતા. તો રોક ક્લાઇબિંગ અને સાઇક્લિંગમાં બાળકો પેરેન્ટ્સ અને ટિચર્સની આગળ નીકળી ગયા હતા.