ગુજરાતના દેશી રજવાડાની વાત આવે ત્યારે સ્વાભાવિક છે કે કોઈપણ વ્યક્તિ ગઢના કાંગરા,તલવારો અને તોપોની વાતોમાં સરી જાય.
ગુજરાતના રજવાડાઓ પર અનેક વાતો લખાઈ છે. પરંતુ વિધિવત્ એકપણ પુસ્તક ગુજરાતી ભાષામાં લખાયું નથી ત્યારે ભવન્સ કોલેજમાં પત્રકાત્વનો અભ્યાસ પૂરો કરનાર સમીર પંચાલે આ કામ લાંબા સંશોધન પછી પૂરૂ કર્યું છે. આ પુસ્તકમાં તેણે ગુજરાતના દેશી રજવાડાઓનાં સિક્કાઓ, તમામ રજવાડાઓનો મહત્વની ઘટનાઓને આદિથી લઈને અંત સુધીનો રાજકીય ઇતિહાસ, રાજ્ય સ્થાપક, સ્થાપના વર્ષ, રાજ્યના જૂના નામો, રાજ્ય વિસ્તાર, બ્રિટિશ સરકાર તરફથી મIMG_7345.gifળતી તોપની સલામી અને રાજ્યને મળેલો દરજ્જો, રાજાની ઉપાધિ જેવી મહત્વની માહિતીનું સંશોધન કરીને વિગતવાર માહિતી આપી છે.

આ ઉપરાંત સિક્કા પર વપરાતી ભાષા, સંવત, કઈ કઈ ધાતુનાં સિક્કા, કયા કયા રાજાઓએ સિક્કા બહાર પાડેલા જેવી માહિતી આપી છે. ગુજરાતમાં લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાંના મૌર્ય યુગના પંચમાર્ક નામના સિક્કાઓ જૂનામાં જૂના છે.ઈ.સ. ૧૭૦૭માં ઔરંગઝેબના અવસાન પછી દેશી રજવાડાઓ આઝાદ થયા.
તેમાં ગુજરાતમાં ૧૪ દેશી રજવાડાઓએ પોતાના સ્વતંત્ર સિક્કાઓ બહાર પાડ્યા હતાં. જેમાં કચ્છ, નવાનગર, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, રાધનપુર, છોટાઉદેપુર, લુણાવાડા, સંતરામપુર, વડોદરા, ખંભાત, ભરૂચ, રાજકોટ અને જાફરાબાદનો સમાવેશ થાય છે. બીજી મહત્ત્વની વાત એ છે કે સમીર સંતરામપુર, છોટાઉદેપુર અને લુણાવાડા આ ત્રણ રાજ્યોના સિક્કાઓ પર સંશોધન કરીને પુસ્તક લખી રહ્યો છે.
સમીર કહે છે કે, ‘કચ્છના રજવાડાના સિક્કાઓ સૌથી વધારે કલાત્મક અને વધારે વેરાયટીવાળા હતાં. કેમ કે કચ્છના રાજાઓ વધારે શોખીન હતા. જ્યારે ૧૯૨૯-૩૦માં મહામંદી હતી ત્યારે કચ્છના રાજાએ લંડનથી સિક્કા બનાવવાનું મશીન મંગાવ્યું હતું. ગુજરાત પ્રદેશમાં ચલણમાં સૌથી વધારે વિશેષતા સૌરાષ્ટ્રમાં હતી. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે કોરી અને દોકડાનું ચલણ હતું. તેમાં પણ નવાનગરની જામશાહી કોરી, પોરબંદરની રાણાશાહી કોરી, જુનાગઢની દિવાનશાહી કોરી, કચ્છની કોરી વગેરે.
એક કોરીનું વજન ૪.૫૦ ગ્રામ રહેતું. કોરીને રૂપિયા સાથે કોઈ લેવાદેવા IMG_7353.gifનથી. પણ સરેરાશ એક રૂપિયા બરાબર ૩.૫ થી ૪.૫ કોરી ગણાતી. રાજકોટે માત્ર ટોકન સિક્કાઓ જ બહાર પાડ્યા હતા. સમીર કહે છે કે, ‘હું ટેબલ સ્ટોરી કરવામાં કે ઉતારો કરવામાં નથી માનતો.

આ પુસ્તક લખવા માટે હું જૂના નગરોનાં ખંડેરો જોવા માટે તથા અનેક મ્યુઝિયમમાં જોવા માટે બાઈક લઈને ફર્યો છું.’ બીજી મઝાની વાત એ છે કે અત્યારે સમીરભાઈ પાસે સમગ્ર ભારતના રજવાડાઓના ત્રાંબા, ચાંદી તથા પીત્તળના ૪,૦૦૦થી પણ વધારે સિક્કાઓ છે. આ ઉપરાંત તેમણે જૂના દસ્તાવેજો, જૂના સ્ટેમ્પ તથા જૂના પોસ્ટકાર્ડનું પણ વિશાળ કલેક્શન છે.
આ પુસ્તક માટે સમીર જે મ્યુઝિયમોમાં ફર્યો છે તે મ્યુઝિયમોની પ્રવેશ ટિકીટોનું કલેક્શન કર્યું છે.
સમીર કહે છે કે, ‘‘ભારતના જૂના રજવાડાના સિક્કાઓની વિદેશમાં ખૂબ માંગ છે. તેથી ભારતનો વારસો વિદેશના અમીરો પાસે જઈ રહ્યો છે.’’આ સિક્કાના ભાવ મંદી કે યુદ્ધના સમયે પણ નથી ઘટવાના કેમ કે આ વસ્તુનું ઉત્પાદન થઈ શકતું નથી. સમીર પંચાલે ૬ મહિના જેટલા ટૂંકા ગાળામાં જૂના રજવાડાઓના સિક્કાઓનું સંશોધન કરીને સ્વખર્ચે ે જ પુસ્તક પ્રકાશિત કર્યું.
No comments:
Post a Comment