
ધનતેરસના દિવસે સામાન્ય રીતે લોકો લક્ષ્મીનું પૂજન કરેેછે.પરંતુ આયુર્વેદિક ડોક્ટરો ધનવંતરી ત્રયોદશીને નવી આયુર્વેદિક દવાનો થાળ ચઢાવીને ધનવંતરી પૂજન કરે છે.
નવાઇની વાત એ છે કે સામાન્ય લોકો જેમ જૂના સિક્કા અને ચાંદીના સિક્કા ચઢાવીને લક્ષ્મીજીની પૂજા કરે ે છે તેમ આયુર્વેદિક ડોક્ટરો,વૈદ્યો દવાનો થાળ ભગવાન થનવંતરી ત્રયોદશીને ચઢાવે છે અને તેની પૂજા- અર્ચના કરે છે. કોઇ પણ નવી આયુર્વેદિક મેડિસિન માર્કેટમાં મૂકતા પહેલા એ મેડિસિનનું ધનવંતરી પૂજન કરવામાં આવે છે અને એ દવાનો અગિયારમો ભાગ ધનવંતરીને ચઢાવવામાં આવે છે. આ અંગે આયુર્વેદિક વ્યવસાય સાથે સંકળાયેલા વૈદ્ય રાજલ શુક્લ કહે છે કે, પહેલા લોકો પોતાના આરોગ્ય માટે ધનવંતરી ત્રયોદશીની પૂજા કરતા હતાં, પરંતુ ધીરે ધીરે ધનવંતરી ત્રયોદશીનો અપભ્રંશ થતાં ધનતેરસ અસ્તિત્વમાં આવી અને લોકો ધનની પૂજા કરવા લાગ્યા. આપણે જે દિવસે ધનની પૂજા કરીએ છીએ તે દિવસે આયુર્વેદિક ડોક્ટરો ધનવંતરીને નવી દવાની ભેટ ધરીને તેની પૂજા કરે છે. આ અંગે વૈદ્ય ચાર્મિ શાહ કહે છે, ધનતેરસના દિવસે દરેક વ્યક્તિનું આરોગ્ય સારું થઇ જાય એવી ભાવના સાથે અમે ભગવાન ધનવંતરીને નવી આયુર્વેદિક દવાઓ ચઢાવીને તેમનું પૂજન કરીએ છીએ. શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે, કે દેવ-દાનવ વચ્ચેના સમુદ્ર મંથન વખતે રત્ન સ્વરૃપે ભગવાન ધનવંતરી પ્રગટયા હતા. આસો માસના કૃષ્ણપક્ષની તેરસ (ધૅનતેરસ) ધનવંતરી જયંતી તરીકે ઉજવાય છે. ભગવાન ધનવંતરી સૃષ્ટીના પ્રથમ કલ્યાણકારી તબીબ છે.
આ અંગે આયુર્વેદિક ડોક્ટર કમલેશ રાજગોર કહે છે કે, ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કુબેર ભંડારનું પૂજન આવશ્યક છે, પરંતુ શારિરીક અને માનસિક સ્વચ્છતા સદાય બની રહે એટલે તબીબો માટે ભગવાન ધનવંતરીના પૂજનનું સવિશેષ મહાત્મય છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી
No comments:
Post a Comment