દુનિયાભરમાં જાદુના ૨૨૦૫૧ શો પૂરા કરનાર જાદુગર હવામાં ઉડતી સ્ત્રી , ઝડપથી વસ્ત્રો બદલતી યુવતીઓ, હાઇ સ્પીડ કરવતથી જાદુગરના ટૂકડા અને ૨૦ હજાર વોલ્ટની રોશની વચ્ચે જાદુગર કે. લાલ ૮૭ વર્ષે પણ ગજબની સ્ફૂર્તિનો જાદુ પણ કરી શકે છે. અત્યાર સુધીમાં ૨૦૦૦થી વધુ જાદુની આઇટમો પ્રેક્ષકો સમક્ષ રજૂ કરનાર કે. લાલ કહે છે કે, હું આજે પણ પ્રેક્ષકોને નવું આપવાનો પ્રયાસ કરું છું.
સૌરાષ્ટ્રના નાનકડા બગસરા ગામમાં ૧૯૨૪માં જન્મેલા કે.લાલનું મૂળ નામ કાન્તિલાલ ગિરધરલાલ વોરા. પરંતુ દુનિયા તેમને કે. લાલના ઉપનામથી ઓળખે છે. પિતા કલકત્તામાં કાપડના વેપારી હતા અને કાન્તિલાલને નાનપણથી જ મદારીના ખેલ, લોકગીતો અને હાસ્ય પ્રયોગોમાં વધુ રસ હતો. ૧૯૩૮માં માઇટી ચેગના જાદુના ખેલ જોઇને પોતે પણ પિતાની મનાઇ હોવા છતાં જાદુગર બનવાનો નિર્ણય કર્યો.
પછી જ્યાંથી મળ્યું ત્યાંથી જાદુ અંગેનંુ શિક્ષણ મેળવી આપબળે પોતાનું કૌશલ્ય વિકસાવ્યું. કે. લાલ કહે છે કે, હું ૧૪ વર્ષનો હતો ત્યારે કલકત્તામાં યોજાયેલા જાદુગર અધિવેશમાં ભાગ લેવા ગયો. મારા સંસ્કાર ગુજરાતીના હતા. બીજા જાદુગરોએ આ અધિવેશનમાં એવી વાત કરી કે દર્શકો શો જોવા આવે અને મૂર્ખ સમજવાના અને આપણે સુપરમેન છે. આ વાતને કારણે મારા દિલમાં જબરદસ્ત ચોટ લાગી.
મેં અધિવેશનમાં મારા હાથમાં માઇક લઇને કહ્યું કે, દર્શકગણ આપણને ખરીદી શખે એટલી તાકાત ધરાવે છે. દર્શકો આપણા માલિક કહેવાય. આ સાંભળીને બીજા જાદુગરોએ કહ્યું કે, ગુજરાતી ક્યારેય જાદુગર બન્યો છે જે અમને શીખવાડે છે. આ સાંભળીને મેં કહ્યું કે ગુજરાતી જે ક્ષેત્રમાં પ્રવેશે તે ક્ષેત્રમાં તે બધાનો બાપ બની જાય છે. અહીં જો મને ચોંટ ના લાગી હોત તો હું આજે કલકત્તામાં કાપડ ફાડતો હોત. આ ચોંટ ઝિલીને મેં મહેનત કરી, પત્નીના દાગીના ગીરવે મૂક્યા અને આજે દુનિયામાં ઊંચી કક્ષા મેળવી છે.
કારકિર્દીની શરૃઆત સૌરાષ્ટ્ર વિસ્તારના જૂનાગઢ પાસેના વંથલી ગામે ૧૬ વર્ષની કિશોર વયે સૌ પ્રથમ જાદુનો ખેલ કર્યો હતો. કે. લાલ કહે છે કે, જાદુમાં કોઇ તંત્ર, મંત્ર કે મેલી વિદ્યા નથી. જાદુ ઝડપનું બીજું નામ છે. જાદુ કલા છે. જ્યાં સુધી સમજ ના પડે એનું નામ જાદુ કહેવાય. હા, જાદુમાં હિપ્નોટિઝમ જરૃર છે. એક બાજુ વલ્ગર કોમેડી, ગીતોની ભરમાર અને ગ્લેમર ચાલે છે, ત્યારે વિશ્વના આ મહાન જાદુગરે જાદુના શોમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર જાળવી રાખ્યા છે. કે. લાલ કહે છે કે, જીવનમાં ચારિત્ર્યથી વધુ મૂલ્યવાન કંઇ નથી. કે. લાલ પોતે શાકાહારી છે અને વિશ્વમાં ગમે ત્યાં ટુર કરે ત્યાં તેમની સાથે તેમનો રસોયો પણ હોય છે. પોતાના સ્ટાફના નાના માણસોની સાથે પણ પરિવારની જેમ રહે છે. કે. લાલ કહે છે કે મારો સ્ટાફ મારી અમાનત છે. કે. લાલની જીવનશૈલી એકદમ સાત્વિક છે. તેમણે ક્યારેય કલકત્તા, બોમ્બે કે અમદાવાદની હોટલોમાં પગ નથી મૂક્યો. કે. લાલનું જીવન કલ્પના બહારના સંઘર્ષ અને સુખમાં વિત્યું છે. જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો. ક્યારેય ડગ્યા નથી, અને મહત્ત્મા ગાંધીજીને પોતાના આદર્શ તરીકે સ્વીકારી હંમેશાં તેના અનુયાયી તરીકે રહ્યા છે.
ભ્રષ્ટાચારી લોકોની વાત સાંભળીને કે. લાલ ખૂબ દુઃખી થઇ જાય છે. તે કહે છે કે, ભારતના આદર્શો જેવા કે ખોટા વચનો ના આપવા, સારું બોલો, પ્રમાણિકતા, મહેમાનગતિ આ બધું ભૂલાઇ રહ્યું છે. તે વાતનું મને દુઃખ છે. આજે ન્યૂ જનરેશન ગાંધીજીને ભૂલી રહી છે ત્યારે તેમણે ગાંધીજીને સ્ટેજ પર રજૂ કરવાનો વિચાર આવ્યો. કે. લાલ કહે છે કે, ભારતમાં એકતા તૂટે છે ત્યારે ગાંધી બાપુ વેદનામય હોય તે સ્વાભાવિક છે. અને આ કલ્પનાને સાકાર કરતા પ્રયોગને મેં મારા શોમાં સમાવ્યો છે. કે. લાલ આજે પણ હિંમત ,તાકાત અને કોન્ફિડન્સ સાથે એચ.કે હોલનું સ્ટેજ ગજવી નાંખે છે.
તસ્વીર- સુરેશ મિસ્ત્રી
જાદુમાં કોઇ તંત્ર, મંત્ર કે મેલી વિદ્યા નથી. જાદુ ઝડપનું બીજું નામ છે. જાદુ કલા છે. જ્યાં સુધી સમજ ના પડે એનું નામ જાદુ કહેવાય. હા, જાદુમાં હિપ્નોટિઝમ જરૃર છે.
સૌરાષ્ટ્રના નાનકડા બગસરા ગામમાં ૧૯૨૪માં જન્મેલા કે.લાલનું મૂળ નામ કાન્તિલાલ ગિરધરલાલ વોરા. પરંતુ દુનિયા તેમને કે. લાલના ઉપનામથી ઓળખે છે. પિતા કલકત્તામાં કાપડના વેપારી હતા અને કાન્તિલાલને નાનપણથી જ મદારીના ખેલ, લોકગીતો અને હાસ્ય પ્રયોગોમાં વધુ રસ હતો. ૧૯૩૮માં માઇટી ચેગના જાદુના ખેલ જોઇને પોતે પણ પિતાની મનાઇ હોવા છતાં જાદુગર બનવાનો નિર્ણય કર્યો.
પછી જ્યાંથી મળ્યું ત્યાંથી જાદુ અંગેનંુ શિક્ષણ મેળવી આપબળે પોતાનું કૌશલ્ય વિકસાવ્યું. કે. લાલ કહે છે કે, હું ૧૪ વર્ષનો હતો ત્યારે કલકત્તામાં યોજાયેલા જાદુગર અધિવેશમાં ભાગ લેવા ગયો. મારા સંસ્કાર ગુજરાતીના હતા. બીજા જાદુગરોએ આ અધિવેશનમાં એવી વાત કરી કે દર્શકો શો જોવા આવે અને મૂર્ખ સમજવાના અને આપણે સુપરમેન છે. આ વાતને કારણે મારા દિલમાં જબરદસ્ત ચોટ લાગી.
મેં અધિવેશનમાં મારા હાથમાં માઇક લઇને કહ્યું કે, દર્શકગણ આપણને ખરીદી શખે એટલી તાકાત ધરાવે છે. દર્શકો આપણા માલિક કહેવાય. આ સાંભળીને બીજા જાદુગરોએ કહ્યું કે, ગુજરાતી ક્યારેય જાદુગર બન્યો છે જે અમને શીખવાડે છે. આ સાંભળીને મેં કહ્યું કે ગુજરાતી જે ક્ષેત્રમાં પ્રવેશે તે ક્ષેત્રમાં તે બધાનો બાપ બની જાય છે. અહીં જો મને ચોંટ ના લાગી હોત તો હું આજે કલકત્તામાં કાપડ ફાડતો હોત. આ ચોંટ ઝિલીને મેં મહેનત કરી, પત્નીના દાગીના ગીરવે મૂક્યા અને આજે દુનિયામાં ઊંચી કક્ષા મેળવી છે.
કારકિર્દીની શરૃઆત સૌરાષ્ટ્ર વિસ્તારના જૂનાગઢ પાસેના વંથલી ગામે ૧૬ વર્ષની કિશોર વયે સૌ પ્રથમ જાદુનો ખેલ કર્યો હતો. કે. લાલ કહે છે કે, જાદુમાં કોઇ તંત્ર, મંત્ર કે મેલી વિદ્યા નથી. જાદુ ઝડપનું બીજું નામ છે. જાદુ કલા છે. જ્યાં સુધી સમજ ના પડે એનું નામ જાદુ કહેવાય. હા, જાદુમાં હિપ્નોટિઝમ જરૃર છે. એક બાજુ વલ્ગર કોમેડી, ગીતોની ભરમાર અને ગ્લેમર ચાલે છે, ત્યારે વિશ્વના આ મહાન જાદુગરે જાદુના શોમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર જાળવી રાખ્યા છે. કે. લાલ કહે છે કે, જીવનમાં ચારિત્ર્યથી વધુ મૂલ્યવાન કંઇ નથી. કે. લાલ પોતે શાકાહારી છે અને વિશ્વમાં ગમે ત્યાં ટુર કરે ત્યાં તેમની સાથે તેમનો રસોયો પણ હોય છે. પોતાના સ્ટાફના નાના માણસોની સાથે પણ પરિવારની જેમ રહે છે. કે. લાલ કહે છે કે મારો સ્ટાફ મારી અમાનત છે. કે. લાલની જીવનશૈલી એકદમ સાત્વિક છે. તેમણે ક્યારેય કલકત્તા, બોમ્બે કે અમદાવાદની હોટલોમાં પગ નથી મૂક્યો. કે. લાલનું જીવન કલ્પના બહારના સંઘર્ષ અને સુખમાં વિત્યું છે. જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો. ક્યારેય ડગ્યા નથી, અને મહત્ત્મા ગાંધીજીને પોતાના આદર્શ તરીકે સ્વીકારી હંમેશાં તેના અનુયાયી તરીકે રહ્યા છે.
ભ્રષ્ટાચારી લોકોની વાત સાંભળીને કે. લાલ ખૂબ દુઃખી થઇ જાય છે. તે કહે છે કે, ભારતના આદર્શો જેવા કે ખોટા વચનો ના આપવા, સારું બોલો, પ્રમાણિકતા, મહેમાનગતિ આ બધું ભૂલાઇ રહ્યું છે. તે વાતનું મને દુઃખ છે. આજે ન્યૂ જનરેશન ગાંધીજીને ભૂલી રહી છે ત્યારે તેમણે ગાંધીજીને સ્ટેજ પર રજૂ કરવાનો વિચાર આવ્યો. કે. લાલ કહે છે કે, ભારતમાં એકતા તૂટે છે ત્યારે ગાંધી બાપુ વેદનામય હોય તે સ્વાભાવિક છે. અને આ કલ્પનાને સાકાર કરતા પ્રયોગને મેં મારા શોમાં સમાવ્યો છે. કે. લાલ આજે પણ હિંમત ,તાકાત અને કોન્ફિડન્સ સાથે એચ.કે હોલનું સ્ટેજ ગજવી નાંખે છે.
તસ્વીર- સુરેશ મિસ્ત્રી

No comments:
Post a Comment