આજે વેસ્ટર્ન મ્યુઝિક અને મોર્ડન ફિલ્મોને કારણે આપણું કલ્ચર અને પરંપરાગત સૂફી સંગીત ભૂલાઇ રહ્યંુ છે. ત્યારે ખાસ બાળકો સૂફી સંગીત, કવાલી અને દોહા શું છે એ જાણતા થાય એ માટે વારસી બ્રધર્સે આજે ત્રિપદા સ્કૂલમાં પર્ફોમન્સ કર્યું હતું. સાત સભ્યોના આ ક્લાસીકલ સંગીત રેલાવતા ગુ્રપે ધમાધમ મસ્ત કલન્દર, અલી કા પહેલા નંબર જેવી કવાલી ગાઇને વાતાવરણને આનંદમય બનાવી દીઘું હતું.
'મશહુર હર તરહ સે તેરા નામ હો ગયા,મોલ્લા કહી રહીમ, કહીં રામ હો ગયા'
ઉત્તરપ્રદેશના રામપુરના વર્લ્ડમાં જાણીતા કવાલી મ્યુઝિકલ ગ્રુપ વારસી બ્રધર્સે અમદાવાદમાં સૂફી કવાલીના સૂરો રેલાવ્યા હતા
આ ગુ્રપના લીડર હાજી મહંમદ એહમદખા વારસી કહે છે કે, ભારતમાં ખ્વાજા મોઇમુદીન ચિસ્તી અજમેરીએ ૭૦૦ વર્ષ પહેલા સૂફી સંગીતની પરંપરાની શરૂઆત કરી હતી. ભારતીય ક્લાસીકલ સંગીતથી સારું સંગીત વિશ્વમાં ક્યાંય નહીં મળે. તેમણે લતા અને જગજિતના સૂરોના પણ વખાણ કર્યા હતા. આ ગુ્રપના અન્ય એક સભ્ય ખાલીદ હુસેન વારસી કહે છે કે, હિન્દુસ્તાનમાં ઘરે ઘરે સંગીત સંભળાય છે.
આપણું જીવન સંગીત સાથે જોડાયેલું છે. બાળક રડતું હોય એમાંથી પણ સંગીતના સૂરો રેલાય છે. વારસી બ્રધર્સ કહે છે કે, ગાના યે દે જો દિલ કો અચ્છા લગે ઔર રૂહ કો સકુન મિલે. શાસ્ત્રીય સંગીતમાં ભગવાન સાથે લગન લાગી જાય છે. જો સાચો તાલ મળી જાય તો તબલાં પણ ફાટી જાય છે. ફિલ્મોને કારણે આજે ઓરિજનલ કવાલીમાં ઘણું પરિવર્તન આવી ગયું છે. કવાલીમાં સંત, મહાત્મા અને બુઝુર્ગોની વાતો અને તેમની રચનાઓ તથા દુહા બોલવામાં આવે છે. તબલાં વાદક વારીસ નવાઝ તબલાંના સૂરો રેલાવીને દરેકને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વારીસ નવાજ કહે છે કે, ક્લાસીક ઇન્સ્ટ્રુમેન્ટમાંથી જે સૂરો નીકળે એ સૂરો આજની ઓરકેસ્ટ્રામાં સાંભળી શકાતા નથી. અંતે વારસી બ્રધર્સે, અબ તો જાતે હૈ મે કહે સે મીર, ફિર મિલેંગે અગર ખુદા લાયા તો, શેર સંભળાવીને સૂફી સૂરને વિરામ આપ્યો હતો. વારસી બ્રધર્સ અમદાવાદમાં અવારનવાર આવતા રહે છે. ગુજરાતની કોઇ જગ્યા એવી નહીં હોય જ્યાં વારસી બ્રધર્સ ના ગયા હોય.
No comments:
Post a Comment