Saturday, July 23, 2011

ફેનાટિકા ડ્રામા ફેસ્ટિવલમાં રજૂ થઈ માનવ સંવેદના

 અમદાવાદની એલિયોન્સ ફ્રોન્સેઝ દ્વારા યુવાનોને થિયેટર સુધી લઇ જવા માટે છેલ્લા એક વર્ષથી પહેલા ફેનાટિકા થિયેટર ક્લબની રચના કરી હતી. ફેનાટિકા થિયેટર ક્લબના એક વર્ષ પૂર્ણ થયાના નિમિત્તે એલિયોન્સ ફ્રોન્સેઝ દ્વારા આજતી પ્રથમ વાર બે દિવસીય ફેનાટિકા થિયેટર ફેસ્ટિવલ યોજવામાં આવ્યા હતો. જેમાં બે ફ્રેંચ નાટકોની રજૂઆત કરવામાં આવ્યા હતા. આ બે નાટકોમાંથી એક નાટક અંતરાલ જાણીતા નાટયકાર હસમુખ બારાડી દ્વારા ગુજરાતી ભાષામાં ભાષાંતર કરીને રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજુ નાટક ધી ઇમેજનરી ઇનવેલિડ છે. આ બંને નાટકોનું દિગ્દર્શન એલિયોન્સ ફ્રાન્સેજના કલ્ચરલ કોઓર્ડિનેટર ચિંતન પંડયાએ કર્યું હતું.

અમદાવાદની એલિયોન્સ ફ્રાન્સેઝ દ્વારા યોજવામાં આવેલા ફેનાટિકા થિયેટર ફેસ્ટિવલમાં ૧૭મી સદીનું ધી ઇમેજનરી ઇનવેલીડ અને અંતરાલ એકાંકીમાં માનવસહજ ભાવોને રજૂ કરવામાં આવ્યા

બે ગરીબ નોકરાણીઓ અને એક ધનવાન મેડમ એમ ત્રણ પાત્રોથી બનેલા આ એકાંકીમાં બે વર્ગ વચ્ચેના ભેદને સુંદર રીતે વણી લેવામાં આવ્યો હતો.આ નાટકમાં નોકરાણીનો રોલ ભજવનાર આંશી શાહ કહે છે, સમાજમાં થતી બહુ નાની નાની વાતોમાં ગરીબ- ધનવાન વચ્ચેના ભેદ સ્પષ્ટ થતા હોય છે.તો વળી મેડમનો રોલ ભજવાનર શ્રોયસી મહેતા કહે છે કે, આ નાટક ઉદ્દેશ્યામ્તક છે. જેનાથી સમાજમાં પ્રવર્તતી હકીકતનો આપણને ખ્યાલ આવે છે. જ્યારે બીજુંં નાટક ધી ઇમેજનરી ઇનવેલીડમાં બાર કેરેક્ટર પરફોર્મ કરે છે. ૧૪મી સદીના આ કોમેડી નાટક છેમાં મુખ્ય પાત્રની આજુબાજુ સહાયક પાત્રો પોતાના અભિનય દ્વારા દર્શકોને હસાવવાનો પ્રયત્ન કરે છે. અને મુખ્ય પાત્રને હાઇપોટિઝમ નામની બીમારી છે. તેથી બીજાને ચેપ લાગે છે અને આખા એકાંકી દરમ્યાન કોમેડીની એક લહેર છવાઈ જાય છે. આ અંગે નાટકના દિગ્દર્શક ચિંતન પંડયા કહે છે કે, યુવાનોને થિયેટરનું ફોર્મલ સ્ટેજ મળી રહે તથા યુવાનો રંગભૂમિ પ્રત્યે રસ લેતા થાય એ માટે આ નાટય ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
તસ્વીર :  સુરેશ મિસ્ત્રી

No comments:

Post a Comment