Saturday, July 23, 2011

ખુલ્લા પગે ચાલીને ૫૦ લાખની પસ્તી ઉઘરાવવાનો સંકલ્પ

 અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા નવકાર યુવક મંડળના યુવાનો રવિવારે સવારમાં પોતાનું સ્કૂટર અથવા ગાડી લઇને જુદી જુદી સોસાયટીમાં જઇને ઘરે ઘરેથી પ સ્તી અને નકામા તેલના ડબ્બાઓ ઉઘરાવવા માટે નીકળી જાય છે. નવકાર યુવક મંડળના ૪૫ સભ્યો છેલ્લા ત્રણ વર્ષથી વાસણા વિસ્તારની સોસાયટીમાંથી પસ્તી ભેગી કરવાનું કામ કરે છે. નવાઇની વાત એ છે કે આ યુવાનો રવિવારે વીકેન્ડની મોજશોખ કરવાને બદલે પસ્તી ભેગીને જ આનંદ માણે છે. જરૃરીયાતવાળા લોકોને દવા, સ્કૂલની ફી તથા ભોજન આપી શકાય તે માટે આ યુવાનોએ આ અભિયાન ચાલુ કર્યું છે. આ અંગે આ ગુ્રપના રાહુલભાઇ શાહ કહે છે કે, આજના જમાનામાં યુવાનો મોજશોખની પાછળ દોડી રહ્યા છે ત્યારે યુવાનો સમાજને ઉપયોગી થાય તથા તેનામા સારા સંસ્કાર આવે તે માટે અમે આ અભિયાન હાથ ધર્યું છે.

અમદાવાદના નવકાર યુવક મંડળના સભ્યો રવિવારે વાસણા વિસ્તારની સોસાયટીમાંથી ઘરે ઘરે જઇને ગરીબોની સેવા કરવા માટે પસ્તી ઉઘરાવે છે. છેલ્લા બે વર્ષમાં તેમણે સાડા પાંચ લાખ રૃપિયાનું ભંડોળ ભેગું કર્યું છે. અને આ પ્રવૃત્તિ દ્વારા ૫૦ લાખનું ભંડોળ ભેગુ કરવાનું નક્કી કર્યું છે

મહિનામાં નક્કી કરેલા બે રવિવારે આ ગુ્રપના યુવાનો ઘેર ઘેરથી પસ્તી ઉઘરાવીને અકે જગ્યાએ એકઠી કરે છે. આવી રીતે પસ્તી ઉઘરાવીને આ ગુ્રપે અત્યાર સુધીમાં સાડા પાંચ લાખ રૃપિયા એકઠા કર્યા છે, અને આ પૈસામાંથી તેઓ ગરીબો, નિરાધાર અને જરૃરિયાતવાળા લોકોને મદદ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે અ ાગુ્રપના યુવાન પારસ શાહ ખુલ્લા પગે પસ્તી ઉઘરાવવા માટે જાય છે. તેમણે એવું નક્કી કર્યું છે કે જ્યાં સુધી પસ્તી ઉઘરાવીને ૫૦ લાખનું ભંડોળ ભેગું નહીં તાય ત્યાં સુધી તેઓએ ચંપલનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે પારસ શાહ કહે છે કે, ૫૦ લાખનું ભંડોળ ભેગુ થતા ઓછામાં ઓછા ૧૬થી ૨૦ વર્ષ લાગગશે. અને જ્યાં સુધી ૫૦ લાખ ભેગા નહીં થાય ત્યાં સુધી હું ખુલ્લા પગે ફરીને પસ્તી ભેગી કરીશ.

આ ગુ્રપમાં જે સભ્યો પસ્તી ઉઘરાવવા માટે જાય છે તે બધાં વેલ સેટ છે. કોઇને ફેક્ટરી છે તો કોઇને સારો બિઝનેસ છે. તો કોઇ સર્વિસ કરે છે. છતાં પણ તેઓ આ પ્રવૃત્તિ દ્વારા સેવાકાર્ય કરે છે. આ અંગે આશિષ શાહ કહે છે કે, જે લોકો પાસે કમાવવાના સોર્સિસ ના હોય અથવા કોઇ ગરીબ મા- બાપ પાસે પોતાના છોકરાને ભણાવવા માટે સ્કૂલ ફી ના હોય એવા લોકોને અમે હેલ્પફૂલ થવા માટે આ અભિયાન શરૃ કર્યું છે. આ ગુ્રપના બધાં જ સભ્યો પોતાની નૈતિક ફરજ સમજીને વોલેન્ટરી પોતાનું પેટ્રોલ ખર્ચ કરીને પસ્તી ઉઘરાવવા માટે નીકળી જાય છે. આ અંગે આ ગુ્રપના કાર્યકર સનીભાઇ શાહ કહે છે કે, એક સેવાના ઉદ્દેશથી અમે આ પ્રવૃત્તિ ચાલુ કરી છે. અને ઘરે ઘરેથી ઉઘરાવેલી પસ્તીને રાખવા માટે મેં મારી પોતાની ઓફિસ આપી દીધી છે. જેમાં અમે પસ્તી ભેગી કરીએ છીએ, અને પછી એક સાથે વેંચી દઇએ છીએ.

નવકાર યુવક મંડળની આ પ્રવૃત્તિ જોઇને આપણને પણ સમાજે માટે કંઇક સેવા કાર્ય કરવાની ઇચ્છા થાય છે. આ ગુ્રપના સભ્યો લગભઘ વાસણા વિસ્તારથી ૮૦ જેટલી સોસાયટીમાંથી પસ્તી ભેગી કરે છે. લોકોનો પણ આ ગુ્રપના સભ્યોને સારો સહકાર મળે છે. પરંતુ ક્યારેક એવું પણ બને છે કે ઘણાં લોકો ૨૦-૩૦ રૃપિયાની પસ્તી આપવાની ના પણ પાડે છે.તસ્વીર :  સુરેશ મિસ્ત્રી

No comments:

Post a Comment