એચ.બી. કાપડિયા સ્કૂલ શાહીબાગનો વિદ્યાર્થી કુશલ અનકટે ધો. ૧૨માં ૯૩ ટકા મેળવ્યા છે. અમદાવાદના માણેકચોકની સાંકડીશેરીમાં નાનકડા રૂમમાં રહીને તેમણે પોતાના પિતાનું નામ રોશન કર્યું છે. તેમના પિતા ભરતભાઇ માણેકચોકમાં પાણીના પાઉચ વેંચીને અને પાનનો ગલ્લો ચલાવીને તેમના પુત્રને ભણાવ્યો છે. જ્યારે આર્થિક સંકડામણ હોવાથી કુશલની માતા સુધાબેન પણ ગાંધી રોડ પર સ્ટેશનરીમા ંજોબ કરતા હતા. આમ તેમના માતા- પિતાએ રાત્રે દોઢ વાગ્યા સુધી મજૂરી કરીને કુશલને ભણાવ્યો. કુશલ હવે સી.એ વીથ એમ.બી.એ કરવા માગે છે.
રાયપુરમાં રહેતી સોનિયા મોદી પોતાના પપ્પાને પ્રોવિઝન સ્ટોરમાં હેલ્પ કરવાની સાથે ધો. ૧૨માં એ વન ગ્રેડ સાથે ઉત્તિર્ણ થઇ છે. તેમના પિતા જીજ્ઞેશભાઇ રાયપુરની પોળમાં પોતાના ઘરે જ નાનકડી પ્રોવિઝન સ્ટોર ચલાવીને પોતાની પુત્રીને ભણાવી છે. વધારે પડતી ફાયનાન્સિયલ તકલીફને કારણે સોનિયાના મમ્મી પિન્કીબેન પણ પ્રોવિઝન સ્ટોરની સાથે સાથે સીઝનેબલ ધંધો કરે છે. સોનિયા હવે સી.એસ બનવા માગે છે.
જય સોમનાથ સ્કૂલમાં અભ્યાસ કરતી અને ધો. ૧૨માં એવન ગ્રેડ મેળવનાર આરતી ઠક્કરના પિતા સી.ટી.એમ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવે છે. આરતી ઠક્કર તેમના પરિવારના છ સભ્યો સાથે એક જ રૂમમાં રહે છે. અને આરતીને મોટેથી વાંચવાની ટેવ હોવાથી ઘરમાં બધા સૂઇ જતાં ત્યારે તે રાત્રે બાર વાગ્યા પછી વાંચતી હતી. અઆમ સંયુક્ત પરિવારની વચ્ચે રહીને પણ તેમણે પોતાના મમ્મી- પપ્પાની મહેનતને સાર્થક કરી છે.
માણેકચોકમાં પાનનો ગલ્લો ચલાવનાર ભરતભાઇ અનડકટના પુત્ર કુશલે ૯૩ ટકા મેળવ્યા. તો રાયપુરની પોળમાં ઘરની અંદર જ નાનકડી પ્રોવિઝન સ્ટોર ચલાવતા જીજ્ઞેશભાઇની પુત્રી સોનિયા મોદી એ વન ગ્રેડ સાથે ઉત્તિર્ણ થઇ. તો સી.ટી.એમ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવનાર અને એક જ રૂમામાં છ સભ્યો સાથે રહીને આરતી ઠક્કરે પણ એ વન ગ્રેડ મેળવ્યો.
રાયપુરમાં રહેતી સોનિયા મોદી પોતાના પપ્પાને પ્રોવિઝન સ્ટોરમાં હેલ્પ કરવાની સાથે ધો. ૧૨માં એ વન ગ્રેડ સાથે ઉત્તિર્ણ થઇ છે. તેમના પિતા જીજ્ઞેશભાઇ રાયપુરની પોળમાં પોતાના ઘરે જ નાનકડી પ્રોવિઝન સ્ટોર ચલાવીને પોતાની પુત્રીને ભણાવી છે. વધારે પડતી ફાયનાન્સિયલ તકલીફને કારણે સોનિયાના મમ્મી પિન્કીબેન પણ પ્રોવિઝન સ્ટોરની સાથે સાથે સીઝનેબલ ધંધો કરે છે. સોનિયા હવે સી.એસ બનવા માગે છે.
જય સોમનાથ સ્કૂલમાં અભ્યાસ કરતી અને ધો. ૧૨માં એવન ગ્રેડ મેળવનાર આરતી ઠક્કરના પિતા સી.ટી.એમ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવે છે. આરતી ઠક્કર તેમના પરિવારના છ સભ્યો સાથે એક જ રૂમમાં રહે છે. અને આરતીને મોટેથી વાંચવાની ટેવ હોવાથી ઘરમાં બધા સૂઇ જતાં ત્યારે તે રાત્રે બાર વાગ્યા પછી વાંચતી હતી. અઆમ સંયુક્ત પરિવારની વચ્ચે રહીને પણ તેમણે પોતાના મમ્મી- પપ્પાની મહેનતને સાર્થક કરી છે.

No comments:
Post a Comment