Friday, May 27, 2011

સારા ટકા સાથે પ્રાકૃત જેવી પ્રાચિન ભાષાનું જ્ઞાન

 ધો. ૧૨ ઇંગ્લીશ મીડિયમમાં ૯૩ ટકા મેળવનાર જૈની શાહ જૈન ધર્મનો ગ્રંથોનો અભ્યાસ કરવા માટે વસંતકુંજ જૈન ઉપાશ્રયમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષા પણ શીખતી હતી. જૈન દર્શનના પગલે હું અભ્યાસમાં વઘુ સફળ થઈ

લીટલ ફ્‌લાવર હાઇસ્કૂલમાં અભ્યાસ કરનાર અને ધો. ૧૨માં ૯૩ ટકા મેળવનાર પાલડી વિસ્તારમાં જૈન પરિવારમાં રહેતી જૈની શાહ ઇંગ્લીશ મીડિયમમાં અભ્યાસ કરે છે અને સાથે જૈન ધર્મ પ્રત્યેના લગાવને કારણે વસંતકુંજ જૈન ઉપાશ્રયમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના ક્લાસ પણ કરતી હતી. ઇંગ્લીશ મીડિયમમાં હોવા છતાં જૈની શાહને ગુજરાતી વિષયમાં
ૉ૮૮ માર્ક્સ અને ઇંગ્લીશમાં ૮૩ માર્ક્સ છે. આ અંગે જૈની શાહ કહે છે કે, મને જૈન ધર્મ પ્રત્યે લગાવ હોવાથી હું જૈન ધર્મગ્રંથોનો અભ્યાસ કરવા માટે ઉપાશ્રયમાં સંસ્કૃત અને પ્રાકૃત શીખવા માટે જતી હતી. ઇંગ્લીશ મીડિયમમાં હોવા છતાં હું સાદા જીવનને મહત્ત્વ આપું છું, અને પંખો, ફ્રીઝ, ટીવીનો હું ભાગ્યે જ ઉપયોગ કરું છું. ૧૨માં ધોરણાં હોવા છતાં હું દિવસે જ વાંચતી હતી. લાઇટનો હું નહિવત્‌ ઉપયોગ કરું છું. તેમને જૈન ધર્મના પાંચ પ્રતિકમણ મોઢે છે. તથા જીવન વિચાર અને નવ તત્ત્વનો પણ અભ્યાસ કરેલો છે.
એકાઉન્ટમાં ઇન્ટરેસ્ટ હોવાથી જૈની હવે સી.એ બનવા માગે છે. અને જૈની કહે છે કે, હું આગળ ભણીશ તો પણ મારા ધર્મ અને આપણી પ્રાચીન ભાષા સંસ્કૃત અને માતૃભાષાને ક્યારેય નહીં ભુલું. એક રીતે જોવા જઈએ તો જૈનદર્શનમાં દર્શાવેલા નિયમોનું બરોબર પાલન કરીને જૈનીએ પોતાની સફળતાનો સાક્ષાત્કાર કર્યો છે.

No comments:

Post a Comment