આઈ.આઈ.ટી.માં એડમીશન મેળવવું એ દરેક સ્ટુડન્ટનું ડ્રિમ હોય છે. પરંતુ બહુ ઓછા સ્ટુડન્ટ આઈ.આઈ.ટી.માં એડમીશન મેળવવામાં સફળ થાય છે ત્યારે ગુજરાતના ભાવનગરની વતની અને હાલમાં વડોદરામાં રહેતી અદિતી ઓઝાએ ભારતની ખ્યાતનામ ઇન્સ્ટિટયૂટ આઈ.આઈ.ટી. ખડગપુરમાંથી ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
ક્રાયોજનિક એન્જિનિયરીંગ એટલે શું ?ક્રાયોજનિક એન્જિનિયરીંગ એટલે વાતાવરણને ઠંડુ કરવાની પ્રક્રિયા ઃ કોલ્ડ સ્ટોરેજ અને રોકેટ મિસાઇલમાં વાતાવરણને માયનસ ૧૫૦ થી ૨૭૨ ડિગ્રીએ ઠંડુ કરવા માટે ઉપયોગમાં લેવાતા લિક્વીડ ગેસનું વહન કરતાં સિલિન્ડરના જોખમોથી કેવી રીતે બચી શકાય તેના પર રિસર્ચ કર્યું છે
અદિતીએ ૨૦૦૩માં વલ્લભવિદ્યાનગરની બિરલા વિશ્વકર્મા એન્જિનિયરીંગ કોલેજમાંથી મેકનીકલ એન્જિનિયર પૂર્ણ કરીને ૨૦૦૫માં અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજમાંથી ક્રાયોજનિક એન્જિનિયરીંગમાં માસ્ટરની ડિગ્રી મેળવીને મહેસાણાની ગણપત એન્જિનિયરીંગ કોલેજમાં લેક્ચરર તરીકે નોકરી મેળવી. આ અંગે અદિતી કહે છે કે, ક્રાયોજનિક એન્જિનિયરીંગમાં વધારે રિસર્ચ કરવાની ઇચ્છાને કારણે મેં આઈ.આઈ.ટી. ખડગપુરમાંથી પી.એચ.ડી.ની ડિગ્રી મેળવવાનું નક્કી કર્યું. મેં આઈ.આઈ.ટી.માં એડમીશન મેળવવા માટે ખૂબજ મહેનત કરી. અને ૨૦૦૬માં તે આઈ.આઈ.ટી. ખડગપુરમાં ક્રાયોજનિક એન્જિનિયરીંગમાં 'લિક્વિડ ગેસના વહન કરતાં સાધનોમાં ઉત્પન્ન થતાં જોખમો' સબ્જેક્ટ ઉપર રિસર્ચ સ્કોલર તરીકે જોડાઈ. ક્રાયોજનિક વિષય અંતર્ગત તેમણે ફૂડ સ્ટોરેજ, હાઈ સ્ટોરેજ, રોકેટ મિસાઈલ વગેરેમાં વાતાવરણને માઈનસ ૧૫૦ ડિગ્રીથી ૨૭૨ ડિગ્રી કરવા માટે હવામાં રહેલા જુદા જુદા તત્વોને ક્રાયોજનિક ટેકનોલોજી દ્વારા લિક્વિડ ગેસમાં રૃપાંતર કરવામાં આવે ત્યારે એ તત્વોનું વહન કરતા સિલિન્ડરમાં કેવી રીતે આગ લાગે તથા તેને કેવી રીતે અવોઈડ કરી શકાય તે માટે તેમણે ચાર વર્ષ સુધી આઈ.આઈ.ટી.માં રિસર્ચ કર્યું અને જાન્યુઆરી ૨૦૧૧માં તેમણે ક્રાયોજનિક એન્જિનિયરીંગમાં આઈ.આઈ.ટી.માંથી પી.એચ.ડી. ની ડિગ્રી પ્રાપ્ત કરી.
આ ઉપરાંત અદિતીએ ૨૦૦૮માં ઓસ્ટ્રેલિયાના બ્રેસબીન ખાતે યોજાયેલી ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીની આંતરરાષ્ટ્રીય ક્રાયોજનિક કોન્ફરન્સમાં તથા છૈંૈંય્સ્છની કોણાર્કમાં યોજાયેલ એન્યુઅલ કોન્ફરન્સમાં પણ શ્રેષ્ઠ પેપર પ્રેઝન્ટેશનના એવોર્ડ મેળવેલા છે. ખાસ મહત્ત્વની વાત એ છે કે, ગુજરાતની અદિતી ઓઝા ભારતની પ્રખ્યાત ઈન્સ્ટીટયૂટ આઈ.આઈ.ટી.માંથી ક્રાયોજનિક એન્જિનિયરીંગ સબજેક્ટમાં ડોક્ટરેટની પદવી મેળવનાર સમગ્ર ભારતમાંથી પ્રથમ મહિલા છે. જે ગુજરાત અને ભાવનગર માટે ગૌરવની વાત છે. ગુજરાતની અદિતીએ સાબિત કરી દીધું કે જો મન મક્કમ હોય તો વિશ્વની કોઈપણ યુનિવર્સિટીમાં એડમીશન મેળવવું અશક્ય નથી. પરંતુ એ માટે હાર્ડવર્ક સિવાય સફળ થવાનો કોઈ શોર્ટકટ રસ્તો નથી.
ક્રાયોજનિક એન્જિનિયરીંગ એટલે શું ?ક્રાયોજનિક એન્જિનિયરીંગ એટલે વાતાવરણને ઠંડુ કરવાની પ્રક્રિયા ઃ કોલ્ડ સ્ટોરેજ અને રોકેટ મિસાઇલમાં વાતાવરણને માયનસ ૧૫૦ થી ૨૭૨ ડિગ્રીએ ઠંડુ કરવા માટે ઉપયોગમાં લેવાતા લિક્વીડ ગેસનું વહન કરતાં સિલિન્ડરના જોખમોથી કેવી રીતે બચી શકાય તેના પર રિસર્ચ કર્યું છે
અદિતીએ ૨૦૦૩માં વલ્લભવિદ્યાનગરની બિરલા વિશ્વકર્મા એન્જિનિયરીંગ કોલેજમાંથી મેકનીકલ એન્જિનિયર પૂર્ણ કરીને ૨૦૦૫માં અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજમાંથી ક્રાયોજનિક એન્જિનિયરીંગમાં માસ્ટરની ડિગ્રી મેળવીને મહેસાણાની ગણપત એન્જિનિયરીંગ કોલેજમાં લેક્ચરર તરીકે નોકરી મેળવી. આ અંગે અદિતી કહે છે કે, ક્રાયોજનિક એન્જિનિયરીંગમાં વધારે રિસર્ચ કરવાની ઇચ્છાને કારણે મેં આઈ.આઈ.ટી. ખડગપુરમાંથી પી.એચ.ડી.ની ડિગ્રી મેળવવાનું નક્કી કર્યું. મેં આઈ.આઈ.ટી.માં એડમીશન મેળવવા માટે ખૂબજ મહેનત કરી. અને ૨૦૦૬માં તે આઈ.આઈ.ટી. ખડગપુરમાં ક્રાયોજનિક એન્જિનિયરીંગમાં 'લિક્વિડ ગેસના વહન કરતાં સાધનોમાં ઉત્પન્ન થતાં જોખમો' સબ્જેક્ટ ઉપર રિસર્ચ સ્કોલર તરીકે જોડાઈ. ક્રાયોજનિક વિષય અંતર્ગત તેમણે ફૂડ સ્ટોરેજ, હાઈ સ્ટોરેજ, રોકેટ મિસાઈલ વગેરેમાં વાતાવરણને માઈનસ ૧૫૦ ડિગ્રીથી ૨૭૨ ડિગ્રી કરવા માટે હવામાં રહેલા જુદા જુદા તત્વોને ક્રાયોજનિક ટેકનોલોજી દ્વારા લિક્વિડ ગેસમાં રૃપાંતર કરવામાં આવે ત્યારે એ તત્વોનું વહન કરતા સિલિન્ડરમાં કેવી રીતે આગ લાગે તથા તેને કેવી રીતે અવોઈડ કરી શકાય તે માટે તેમણે ચાર વર્ષ સુધી આઈ.આઈ.ટી.માં રિસર્ચ કર્યું અને જાન્યુઆરી ૨૦૧૧માં તેમણે ક્રાયોજનિક એન્જિનિયરીંગમાં આઈ.આઈ.ટી.માંથી પી.એચ.ડી. ની ડિગ્રી પ્રાપ્ત કરી.
આ ઉપરાંત અદિતીએ ૨૦૦૮માં ઓસ્ટ્રેલિયાના બ્રેસબીન ખાતે યોજાયેલી ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીની આંતરરાષ્ટ્રીય ક્રાયોજનિક કોન્ફરન્સમાં તથા છૈંૈંય્સ્છની કોણાર્કમાં યોજાયેલ એન્યુઅલ કોન્ફરન્સમાં પણ શ્રેષ્ઠ પેપર પ્રેઝન્ટેશનના એવોર્ડ મેળવેલા છે. ખાસ મહત્ત્વની વાત એ છે કે, ગુજરાતની અદિતી ઓઝા ભારતની પ્રખ્યાત ઈન્સ્ટીટયૂટ આઈ.આઈ.ટી.માંથી ક્રાયોજનિક એન્જિનિયરીંગ સબજેક્ટમાં ડોક્ટરેટની પદવી મેળવનાર સમગ્ર ભારતમાંથી પ્રથમ મહિલા છે. જે ગુજરાત અને ભાવનગર માટે ગૌરવની વાત છે. ગુજરાતની અદિતીએ સાબિત કરી દીધું કે જો મન મક્કમ હોય તો વિશ્વની કોઈપણ યુનિવર્સિટીમાં એડમીશન મેળવવું અશક્ય નથી. પરંતુ એ માટે હાર્ડવર્ક સિવાય સફળ થવાનો કોઈ શોર્ટકટ રસ્તો નથી.

No comments:
Post a Comment