ગાંધીજીની પૂણ્યતિથિ નિમિત્તે ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસ અને સંસ્કૃતિ હોલમાં આજથી ગાંધીજીના ફૂટ પેઇન્ટિંગ્સનું પ્રદર્શન ખુલ્લુ મૂકવામાં આવશે. આ પેઇન્ટિંગ્સ મુંબઇના ૭૩ વર્ષીય આર્ટિસ્ટ ગુલબાનું મરચન્ટ તૈયાર કર્યા છે. ગુલબાનુંએ ખાસ રંગ તથા સ્ટીલ અને તાંબાની પ્લેટ પર પેઇન્ટિંગ્સ તૈયાર કર્યા છે. ગુલબાનું વ્યવસાય અલે.એલ.બી છે. તેમની પાસે બેઝિક આર્ટ પણ નહોતી પરંતુ નાનપણના શોખને કારણે તેઓ આર્ટની તાલીમ લીધા વિના ડુડલિંગથી જોયા વગર જ ચિત્રો બનાવતા. ત્યાર પછી ફૂલોને સામે રાખીને નેચર ડ્રોઈંગ તથા કેનવાસ પેઇન્ટિંગ બનાવ્યા. તેમની પાસે ગાંધીજીના કોઇ ખાસ પેઇન્ટિંગ્સ નહોતા, પરંતુ ૨૦૦૦ની સાલમાં વનસ્થલિ વિદ્યાપીઠની મુલાકાતને કારણે તેમને ત્યાંથી ગાંધીજીના પગ જોયા અને ફૂટ પેઇન્ટિંગ બનાવવાની પ્રેરણા મળી.
ગાંધીજીના ફૂટ પેઇન્ટિંગ તેમણે તાંબાની પ્લેટ, સ્ટીલની પ્લેટ, ટેરા કોટા માટી, એક્રેલિક કોલાજ કલર, એક્રેલીક, ખોઇલ તથા તેમનો પોતાના બનાવેલો બ્લેક કલરમાં બનાવ્યા છે. પેઇન્ટિંગમાં રેતી છે તો કોઇમાં શંખલાનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત જુના જમાનાની ટાઇલ્સના ટુકડાનો ઉપયોગ પણ તેમે કર્યો છે. તાંબા, મેટલ અને સ્ટીલ પર બનાવેલા પેઇન્ટિંગ આકર્ષક છે. તેમાં તેમણે ઇનોમેલિંગ પાઉડરના ઉપયોગ કરીને બનાવ્યા છે.
આ પેઇન્ટિંગ્સની સાથે તેમણે કાવ્યો પણ લખ્યા છે. પેઇન્ટિંગ્સમાં ફક્ત ગાંધીજીના ફૂટ સ્ટેપ, લાકડી અને ઘડિયાળ બનાવવામાં આવી છે. જેનો અર્થ એવો થાય છે કે ગાંધીજીના જીવનના જે સ્ટેપ હતા તેમને ફોલો કરવા જોઇએ. ગુલબાનું કહે છે કે, મને ગાંધીજીને મળવાની ખૂબ ઇચ્છા પણ હું ત્યારે નાની હતી તેથી મળી ના શકી. ૧૯૮૦માં હું ગાંધીજીના હિમાલયમાં આપેલા કોસાની આશ્રમમાં ગાંધીજીના રૂમમાં રહી હતી તે મારા માટે સદ્ભાગ્યની વાત છે.
તસવીર : સુરેશ મિસ્ત્રી
ગાંધીજીની પૂણ્યતિથિ
નિમિત્તે ગૂજરાત વિદ્યાપીઠમાં મુંબઇના વયો વૃદ્ધ આર્ટિસ્ટ ગુલબાનું મરચન્ટના
ગાંધીજીના ફૂટ સ્ટેપ
પેઇન્ટિંગ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે
ગાંધીજીના ફૂટ પેઇન્ટિંગ તેમણે તાંબાની પ્લેટ, સ્ટીલની પ્લેટ, ટેરા કોટા માટી, એક્રેલિક કોલાજ કલર, એક્રેલીક, ખોઇલ તથા તેમનો પોતાના બનાવેલો બ્લેક કલરમાં બનાવ્યા છે. પેઇન્ટિંગમાં રેતી છે તો કોઇમાં શંખલાનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત જુના જમાનાની ટાઇલ્સના ટુકડાનો ઉપયોગ પણ તેમે કર્યો છે. તાંબા, મેટલ અને સ્ટીલ પર બનાવેલા પેઇન્ટિંગ આકર્ષક છે. તેમાં તેમણે ઇનોમેલિંગ પાઉડરના ઉપયોગ કરીને બનાવ્યા છે.
આ પેઇન્ટિંગ્સની સાથે તેમણે કાવ્યો પણ લખ્યા છે. પેઇન્ટિંગ્સમાં ફક્ત ગાંધીજીના ફૂટ સ્ટેપ, લાકડી અને ઘડિયાળ બનાવવામાં આવી છે. જેનો અર્થ એવો થાય છે કે ગાંધીજીના જીવનના જે સ્ટેપ હતા તેમને ફોલો કરવા જોઇએ. ગુલબાનું કહે છે કે, મને ગાંધીજીને મળવાની ખૂબ ઇચ્છા પણ હું ત્યારે નાની હતી તેથી મળી ના શકી. ૧૯૮૦માં હું ગાંધીજીના હિમાલયમાં આપેલા કોસાની આશ્રમમાં ગાંધીજીના રૂમમાં રહી હતી તે મારા માટે સદ્ભાગ્યની વાત છે.
તસવીર : સુરેશ મિસ્ત્રી

No comments:
Post a Comment