આવે છે. પરંતુ પારસી સમાજમાં આ અંગે કંઈક અલગ જ પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે.

પારસી સમાજમાં લગ્નની કંકોત્રી સાથે ટિકિટ લગાડેલું કવર પણ મોકલવામાં આવે છે.જેમાં લગ્નમાં જવાના હોય તો હા કે ના નો જવાબ લખીને મોકલવો પડે છે. આ પ્રથા દ્વારા આયોજકને મહેમાનોની સાચી સંખ્યાનો અંદાજ આવે છે અને ભોજનનો બગાડ થતો નથી
પારસી સમાજમા ંમેરેજ, વેડિંગ અને અન્ય પ્રસંગોમાં કેટલા મહેમાનો આવશે એ ફિક્સ જ હોય છે. પારસી સમાજમાં ઇન્વિટેશન કાર્ડની સાથે અકે કન્ફોર્મેશન કાર્ડ પણ મોકલવામાં આવે છે. આ કન્ફોર્મેશન કાર્ડના કવર પર સામેની પાર્ટીનું એડ્રેસ અને ટિકિટ પણ ચોંટાડેલી હોય છે. કવરની અંદર બાળકો, વૃદ્ધો અને મેનુનું ઓપ્શન હોય છે. જો તમે જેટલા મેમ્બર મેરેજમાં જવાના હોવ એનું નામ અને વેજ- નોનવેજ મેનુ પસંદ કરીને એ કાર્ડ ફરીથી સામેની પાર્ટીને મોકલવું પડે છે. આ અંગે ઇરાચ મુનશી કહે છે કે, આ પ્રથાને કારણે સામેની પાર્ટીને કેટલા મહેમાનો આવશે અને કેટલા લોકો વેજ જમશે અને કેટલા લોકો નોનવેજ જમશે એનો અંદાજ આવી જાય છે. જો તમારા ઘરે મેરેજ કે વેડિંગનું ઇન્વિટેશન આવે તો તમે નથી જવાના તો તમારે ના જવાનું પણ કન્ફોર્મેશન તમારી સહી કરીને સામેની પાર્ટીને મોકલવું પડે છે. આવી વ્યવસ્થાને કારણે માણસો ગણવાની સહેલાઇ પડે અને અનાજનો બિલકુલ બગાડ થતો નથી. જેનાથી તમારું પ્લાનિંગ કરવાનું સરળ બની જાય છે અને મહેમાનગતિ પણ સારી રીતે કરી શકાય છે. ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારુ ંકામ પણ થઇ જાય છે. આ અંગે માલકમ બાસ્તાવાલા કહે છે કે, પારસી સમાજમાં નોનવેજ ડિશ ૪૫૦થી લઇને ૧૦૦૦ સુધીની હોય છે. જો આપણ ીગણતરી પ્રમાણે માણસો ના આવે તો જમવાનો બગાડ થાય છે. તેથી આ સિસ્ટમ અપનાવવાથી કોઇ અગવડ નથી પડતી. ગુજરાતમાં અંદાજે ૫૦૦૦થી વધારે પારસીઓ હશે અને અમદાવાદમાં કુલ ૧૭૦૦ પારસીઓની વસ્તી છે. આ અંગે ઊષા મુનશી કહે છે કે, સામાન્ય રીતે મેરેજના બે- ત્રણ દિવસ પહેલા જ કાર્ડ આપવામાં આવે છે. પરંતુ પારસી સમાજમાં એકથી દોઢ મહિના પહેલા જ ઇન્વિટેશન કાર્ડ મળી જાય છે. જેથી સામેની પાર્ટીને કન્ફોર્મેશન કાર્ડ મોકલી શકાય. આ પ્રથાને કારણે સંજોગો વસતા પાંચ-દસ માણસોનો જ ફર્ક પડે છે. બાકી બધું જ ફિક્સ હોય છે. જેથી મહેમાનોને પણ તકલીફ નથી પડતી અને આયોજક પણ સારી રીતે આયોજન કરી શકે છે. આ સિસ્ટમ અન્ય સમાજમાં પણ લવી શકાય કે કેમ ?
No comments:
Post a Comment