
અત્યારે થિયેટરમાં કોમેડીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદના જયશંકર સુંદરી હોલ ખાતે ચાલી રહેલી નાટય સ્પર્ધામાં લીવ ઈન રિલેશનશીપ અને કોન્ટ્રાક્ટ મેરેજ પર કટાક્ષ કરતા સુરતના નાટક 'નેવર પ્લાનિંગ ફોર ડાર્લિંગ' એક નવો ટ્રેન્ડ સેટ કર્યો
અત્યારે લીવ ઇન રિલેશનશીપ અને કોન્ટ્રાક બેઝ મેરેજ પર દરેક વર્તુળોમાં ફાયદા અને ગેરફાયદાની ચર્ચા ચાલી રહી છે.નાટક નેવર પ્લાનીંગમાં સંબંધના આવા સસ્તા સ્વરુપ પર કટાક્ષ કરવામાં આવ્યો છે. નાટકમાં કુલ નવ કેરેક્ટર જે પતિ- પત્ની વચ્ચેના પ્રેમ અને કડવાશની આસપાસ ફર્યા કરે છે. અમેરિકામાં રહેતા એક ધનવાન બાપનો છોકરો ઇન્ડિયન કલ્ચર પર થિસિસ કરવા માટે ઇન્ડિયા આવીને વસે છે. ત્યાર પછી છોકરો પોતાના ફ્રેન્ડ સાથે દારૃ અને મોઝમસ્તીમા ંચડી જાય છે. અહીંથી નાટકમાં નવો જ ટર્ન આવે છે. પછી છોકરો બે વર્ષ માટે કોન્ટ્રાક મેરેજ કરે છે. અહીંથી કોન્ટ્રાક્ટ મેરેજ અને સાચા મનથી સર્જાયેલા સંબંધની વાત શરુ થાય છે. નાટકના ડિરેક્ટર જય દિક્ષિત કહે છે કે, કોન્ટ્રાક પર કરેલી સાઇન મહત્ત્વની નથી પણ સંબંધો અને લાગણી જ મહત્ત્વની છે. પૈસામાં સંતોષ નથી. સંતોષ તો લાગણીમાંથી જ મળે છે. આ ગુ્રપના કલાકાર માર્મિક જાની કહે છે કે, સમાજના આધુનિક વિષયો પર નાટય પ્રવૃતિ થવી જોઈએ. કેમ કે નાટક જીવન જીવતા શીખવે છે. આ જ નાટકમાં ડિટેક્ટિવનો રોલ ભજવતા આનંદભાઇ કહે છે કે, ગુજરાતી રંગભૂમિ જળવાઇ રહે અને યુવાનો આવી ક્રિએટિવિટીમાં વધારે ભાગ લે એ માટે નાટયસ્પર્ધા થવી જોઈએ. માટે હાલમાં ગુજરાતી રંગ ભૂમિમાં કોમેડી પર વિવિધ અખતરા થઈ રહ્યા છે. સિરીયસ નાટકો હાલ પૂરતા થંભી ગયા છે.આવા સમયે જયશંકર સુંદરી હોલમાં ચાલી રહેલી નાટય સ્પરર્ધામાં 'નેવર પ્લાનિંગ ફોર ડાર્લિંગ' જેવા નાટકે આધુનિક સમયના સંબંધો પર કટાક્ષ કરીને પ્રેક્ષકોને સાચી દિશા બતાવવાનો પ્રયત્ન કર્યો છે.
No comments:
Post a Comment