રાજ્યમાં અનેક અભ્યાસક્રમોમાં સેમેસ્ટર સિસ્ટમ દાખલ થઈ ચૂકી છે.બી.કોમ અને બી.એ જેવા અભ્યાસક્રમમાં સેમેસ્ટર સિસ્ટમથી વિદ્યાર્થીઓમાં અલગ પ્રકારનો અભિગમ કેળવાશે. પરીક્ષા સેમેસ્ટર દીઠ લેવાશે જેના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષાને વઘુ ગંભીરતાપૂર્વક લેતા થશે. સેમેસ્ટર પદ્ધતિને લઇને વિદ્યાર્થીઓમાં પણ અનેક પ્રશ્રો છે. આ અંગે સ્ટુડન્ટ પાર્થ દલવાડી કહે છે કે, જો સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરવામાં આવશે તો વિદ્યાર્થીઓ પર પ્રેશર વધી જશે અને વિદ્યાર્તીઓએ સ્ટડીમાં જ વળગી રહેવું પડશે. સેમેસ્ટર સિસ્ટમનો વિરોધ કરનારા વિદ્યાર્થીઓનું માનવું છે કે, જો સેમેસ્ટર સિસ્ટમ આવશે તો વિદ્યાર્થીઓને કોલેજમાં કરવા મળથી એકસ્ટ્રા એક્ટિવિટી કરવા નહીં મળે. આ અંગે સ્ટુડન્ટ કિંજલ રાવલ કહે છે કે, જે વિદ્યાર્થીઓને મહેનત નથી કરવી તેવા વિદ્યાર્થીઓ સેમેસ્ટર સિસ્ટમનો વિરોધ કકરે છે, પરંતુ સેમેસ્ટર સિસ્ટમ વિદ્યાર્થીઓ માટે લાભદાયક છે.
આ ડિબેટમાં ૭૦ ટકા વિદ્યાર્થીઓએ સેમેસ્ટર સિસ્ટમની તરફેણ કરી હતી. સેમેસ્ટર સિસ્ટમ આપવાથી વિદ્યાર્થીઓ પર પરિક્ષાનું ભારણ ઘટી જશે, અને વિદ્યાર્થીઓ મુક્ત રીતે માર્કેટ સાથે હરિફાઇ કરી શકશે. આ અંગે સ્ટુડન્ટ હેતલ પરમાર કહે છે કે, આ સિસ્ટમથી વિદ્યાર્થીઓને ભણવાનું સરખી રીતે મળશે. ઉપરાંત બે વધારાના સબજેક્ટ જાણવા મળશે. વિદ્યાર્થીઓએ આ ડિબટેમાં પોતાના વિચારો દ્વારા સેમિસ્ટર સિસ્ટમ કેટલી ફાયદાકારક છે તે અંગે જાતે જ ડિબેટ કરી હતી. આ અંગે સી.સી. શેઠ કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સિપાલ એ.પી. પટેલ કહે છે કે, વિદ્યાર્થીઓ સેમિસ્ટર સિસ્ટમની સાથે એન.એસ. એસ, સ્પોર્ટ્સ, કલ્ચરલ પ્રોગ્રામ વગેરે જેવી કોલેજની એકસ્ટ્રા એક્ટિવિટીમાં પણ ભાગ લઇ શકશે.તસ્વીર : સુરેશ મિસ્ત્રી
No comments:
Post a Comment