Friday, December 24, 2010

ગીતાજ્ઞાન થકી અનોખી મેમરી કોમ્પિટિશન

એક તરફ બાળકો વેસ્ટર્ન કલ્ચર તરફ વળી રહ્યા છે. વધારે પડતા ઇંગ્લિશ કલ્ચરને કારણે બાળકો શાસ્ત્રિય અને પ્રાચીન સંસ્કૃત ભાષાને ભૂલી રહ્યા છે. આધુનિક્તા સાથે સાથે સંસ્કૃતિ અને શાસ્ત્ર પણ જોડાય એ હેતુથી લક્ષ પ્રેરણા ડિવાઇન ફાઉન્ડેશન દ્વારા ગીતા જયંતી નિમિત્તે દૂન બ્લોસમ એકેડેમી ખાતે ભાગવત ગીતાના શ્લોક પર એક અનોખી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં અમદાવાદની કુલ ૨૦ સ્કૂલના ૫થી ૧૨ ધોરણના ૨૧૦ બાળકોએ ભાગ લીધો હતો.
અમદાવાદની ૨૦ સ્કૂલના કુલ ૨૧૦ બાળકોએ ભાગવત ગીતાના અધ્યાય ૨, ૭ અને ૧૨માંથી સંસ્કૃત શ્લોકોની તૈયારી કરીને ભાગ લીધો હતો.આજે ઓનલાઈન અને મેનુ ડ્રિવન સોફ્ટવેરના જમાનામાં પણ વિદ્યાર્થીઓ યાદશક્તિને લગતી હરિફાઈમાં ભાગ લઈને પોતાની તીવ્ર યાદશક્તિનો પરિચય આપે છે

બાળકોને ભગવાન ક્રિષ્નાની લાઇફ, તેમના માતા-પિતા, ગીતા વિશેનું જ્ઞાાન મળે તે માટે તથા બાળકો અંગ્રેજીની સાથે સંસ્કૃત ભાષાને ભૂલી ન જાય તે હેતુથી આ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગવત ગીતાના ૨, ૭ અને ૧૨માં અધ્યાયમાંથી બાળકોએ સંસ્કૃત શ્લોકની તૈયારી કરીને ઓરલ શ્લોક કોમ્પિટિશન, પ્રશ્ર લખવાની કોમ્પિટિશન તથા ક્વીઝ કોમ્પિટિશનમાં ઉત્સાહથી ભાગ લીધો હતો. આ કોમ્પિટિશનમાં ભાગ લેનાર ટર્ફ હાયરસેકન્ડરી સ્કૂલનો અનમોલ પંડયા કહે છે કે, આજે યંગસ્ટર્સને શાસ્ત્રોમાં રસ નથી અને ભાગવત ગીતા શું છે એ પણ જાણતા નથી. તેથી આવી કોમ્પિટિશન દ્વારા બાળકોન ે સંસ્કૃત સાથે ઘરોબો થાય છે.જેને કારણે બાળકો સંસ્કૃત વાંચતા પણ થાય છે.
દિવસેને દિવસે આપણી યાદશક્તિ ઓછી થઈ રહી છે.કારણ માત્ર ટેકનોલોજી અને સગવડતા છે.

આજે એક્ઝામ સમયે બાળકો નર્વસ થઇ જાય છે. એ સમયે તેમને કંઇ સૂઝ પડતી નથી. બાળકોની નિર્ણય શક્તિનો વિકાસ કરવા અને નિર્ભિકતા, સાહસ અને ધેર્ય જેવા ગુણો બાળકોમાંં આવે એ માટે ભાગવત ગીતા કોમ્પિટિશન કરવામાં આવી. આજે સંસ્કૃત બોલવું અઘરું છે. ત્યારે ઓરલ શ્લોક કોમ્પિટિશનમાં પ્રથમ નંબરે આવેલ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલનો હિમાંશુ ચુતર્વેદી કહે છે કે, બાળકોને શાસ્ત્રો જે જ્ઞાાન આપી શકે એ જ્ઞાાન અન્ય કોઇ બુક્સ કે પબ્લિકેશન ના આપી શકે. તેથી આવી કોમ્પિટિશન થવી જરૃરી છે. આ કોમ્પિટિશનમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકોએ પણ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જો બાળકો ગીતાને મિત્ર બનાવશે તો જીવનની દરેક પરીક્ષામાં સફળ બનશે. આ અંગે દૂન બ્લોસમ એકેડમીના પ્રિન્સિપાલ નિરજ તાયડે કહે છે કે, વેસ્ટર્ન કલ્ચરની સાથે હિન્દુ સંસ્કૃતિને સાથે રાખીને એજ્યુકેશન આગળ વધવુ જોઇએ. આપણી સંસ્કૃતિ અને શાસ્ત્રોનું જીવનમાં શું મહત્ત્વ છે એ બાળકો જાણતા થાય તે માટે આવી કોમ્પિટિશન જરૃરી છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

No comments:

Post a Comment