Friday, December 24, 2010

ચાઈલ્ડ લેબર્સમાંથી બેગર્સ બને તે પહેલા હું પહોંચી જાઊં છું

આજે ઘણાં બાળકો એવા છે કે જેમને ભણવું છે પરંતુ પોતાની પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે ભણી શકાતુ નથી. તો ઘણાં બાળકો એક- બે ધોરણ ભણીને પેટ ભરવા માટે મજૂરી કરવા લાગી જાય છે. ત્યારે ગૂજરાત વિદ્યાપીઠમાં સમાજકાર્ય વર્ષ-૨માં અભ્યાસ કરતો યોગેશ પવાર પોતાના ફિલ્ડ વર્કના ભાગરૂપે જુહાપુરા વિસ્તારના સંકલિતનગરના સ્લમ એરિયાના ચાઇલ્ડ લેબરોને સમજાવીને શાળાએ મોકલવાનું કાર્ય કરી રહ્યો છે.

વિદ્યાપીઠના સમાજકાર્ય વિભાગમાં આભ્યાસ કરતો યોગેશ પવાર બાળ ભિક્ષુકો અને બાળ મજૂરોને શાળાએ મોકલવાનું કામ કરી રહ્યો છે.અનેક જરૂરીયાતવાળા મા-બાપને સમજાવીને મહામુસીબતે યોગેશ બાળમજૂરોને શાળાએ મોકલવાનું કામ કરે છે

આ અંગે યોગેશ પવાર કહે છ ેકે, જુહાપુરા વિસ્તારમાં ૯૦થી ૯૫ ટકા લધુમતી કોમ્યુનિટીના લોકો રહે છે. અને ૨૦૦૨ના રમખાણો થયા ત્યાર બાદ સ્થાનિક લોકોની સ્થિતિમાં હજુ જોઇએ તેવો સુધારો થયો નથી. ખાસ કરીને આ વિસ્તારમાં બાળ- મજૂરીની સમસ્યા વઘુ પડતી છે. તેથી સમાજકાર્યના ભાગરૂપે મેં આ બાળ મજૂરો પર કામ કરવાનું નક્કી કર્યું.
છેલ્લા ત્રણ મહિનાથી વિદ્યાર્થી કાર્યકર તરીકે યોગેશે સાત બાળકોેને અને તેમના માતા-પિતાને સમજાવીને તેમને ફરીથી સંકલિતનગર પ્રાથમિક શાળામાં એડમિશન કરાવ્યું. ૧૩ વર્ષનો શેખ ફૈેજાન મિઠાઇની દુકાનમાં ચાંદીનું વરખ ચડાવવાનું કામ કરતો હતો. પરિવારની ખરાબ આર્થિક સ્થિતિને કારણે તેમના માતા-પિતા તેમને સ્કૂલે મોકલવાને બદલે કામે મોકલતા હતા. ત્યાર પછી યોગેશે તેના માતા-પિતાને સમજાવીને સ્કૂલમાં એડમિશન અપાવ્યું. અને આજે ફેઝાન કામ છોડીને ભણવામાં લાગી ગયો.ફૈેઝાન કહે છે કે, હું આગળ ભણીને ડોક્ટર બનવા માગુ છું. એવી જ રીતે ૧૪ વર્ષનો શાકીર યુસુબ પણ ઘરે ઘરે ડંકી બેસાડવાનું ફિટિંગ કામ કરતો હતો. જે આજે ભણવા જાય છે અને ભણીને પોલીસ બનવા માગે છે. ૧૫ વર્ષની ઉમેરા કુતુબુદ્દિન અને ૧૪ વર્ષની આફરીન બાનુને પણ યોગેશે સમજાવીને સ્કૂલનો રસ્તો ચીંઘ્યો. ગઇ કાલે જ તેમણે શબનમ શેખ, મુબસ્શેરા શેખ અને ખાલીક શેખને સમજાવીને સ્કૂલમાં એડમિશન કરાવડાવ્યું. જેમના પિતાન ેદારૂની લતને કારણે તેમને રખડવાનો વારો આવ્યો હતો. તેમની મતાા શાહિદાબાનું અમીર પિરવારોનું ઘરકામ કરીને પોતાના છોકરાનું પેટ ભરે છે. શાહિદાબેન કહે છે કે, યોગેશભાઇએ મને મારા રકડતા છોકરાને નિશાળે મોકલવા માટે સમજાવ્યું અને આજે મારા ત્રણેય છોકરા સ્કૂલે જાય છે.આ અંગે સંકલિતનગર પ્રા. શા.ના પ્રિન્સિપાલ મુમતાઝબેન વોરા કહે છે કે, બાળકોનું ભવિષ્ય ઉજવળ થાય અને તેઓ બાળમજૂરી કરવાને બદલે સ્કૂલે જાય એ માટે યોગેશભાઇ તેમના મા- બાપને સમજાવીને જાગૃત કરવાનું ઉત્તમ કામ કરે છે

No comments:

Post a Comment