Sunday, December 5, 2010

ભણતર સાથે પ્રકૃતિની પાઠશાલા

વાઇલ્ડ લાઇફ વીક અંતર્ગત ગાંધીનગર જિલ્લાની ૨૫થી વધારે સ્કૂલના ૭૦૦૦થી વધારે બાળકોને નેચર પ્રત્યે અવેર કરવામાં આવી રહ્યા છે. આ માટે પોસ્ટરમેકિંગ, બર્ડ વોચિંગ, ડ્રોઇંગ, ક્વીઝ, વકતૃત્વ સ્પર્ધા, પ્રેઝન્ટેશન, ફિલ્મ શૉ વગેરે જેવા કાર્યક્રમો ૭૦ ટકા બાળકો વાઇલ્ડ લાઇફ પ્રત્યે અવેર
થયા છે.



આજે આપણે જાણ્યે- અજાણ્યે પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડી રહ્યા છીએ તેથી ધીરે ધીરે જંગલો અને પ્રકૃતિ નાશ થતી જાય છે. પ્રકૃતિ પર વિપરીત અસરો પડવાથી આપણું અસ્તિત્વ પણ જોખમમાં મૂકાઈ રહ્યું છે આપણે પ્રકૃતિને બચાવીશું તો જ આપણું અસ્તિત્વ ટકી શકશે. આ માટે અવેરનેસ લાવવી જરૃરી છે તેથી ગાંધીનગરની વનશ્રી સંસ્થા ૨જી ઓક્ટોબરથી ૮ ઓક્ટોબર 'વાઇલ્ડ લાઇફ વીક''ની ઉજવણી કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર જિલ્લાની ૨૫થી વધારે સ્કૂલોના ૭૦૦૦ બાળકો વાઇલ્ડ લાઇફ અંગે અવેર થશે. કારણ કે બાળકોને નાનપણથી જ નેચર પ્રત્યે અવેર કરવામાં આવશે તો જ તેઓ મોટા થઈને પ્રકૃતિનું જતન કરશે. વાઇલ્ડ લાઇફ વીક અંતર્ગત વાઇલ્ડ લાઇફ અને એન્વાયરમેન્ટ પર સેમિનાર, પોસ્ટરમેકિંગ, નેચર ડ્રોઇંગ, વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન પર વકતૃત્વ સ્પર્ધા, વાઇલ્ડ લાઇફ ફિલ્મ શૉ, ગ્લોબલ વોર્મિંગ પર પ્રેઝન્ટેશન વગેરે દેવારા બાળકોને નેચર એજ્યુકેશન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ અંગે વનશ્રી સંસ્થાના સેક્રેટરી ચૈેતન્ય નિમાવત કહે છે કે, 'વાઇલ્ડ લાઇફ વીક દ્વારા ૭૦ ટકા બાળકો વાઇલ્ડ લાઇફ પ્રત્યે અવેર થાય છે. તેથી તેનો ફાયદો અત્યારે નહીં મળે પણ ભવિષ્યમાં તેનું ચોક્કસ રીઝલ્ટ આપણને મળી શકશે.' બાળકો એટલું તો જરૃર સમજે છે કે અત્યારે વાઇલ્ડ લાઇફને બચાવવાની જરૃર છે.
આમ જનતા પણ પક્ષીઓથી અવેર થાય તે માટે વનશ્રી સંસ્થા અને પર્યાવરણ વિભાગ દ્વારા દરરોજ સવારે બર્ડ વોચિંગનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. આ અંગે વિદ્યાર્થી રાહુલ પટેલ કહે છે કે, એનજીઓ દ્વારા આવી પ્રવૃત્તિઓ કરવામાં આવે તો બાળકોને ભણતર સાથે એન્વાયરમેન્ટ અને નેચર એજ્યુકેશન પણ મળી રહે છે. વાઇલ્ડ લાઇફ ફિલ્મ શૉમાં બાળકોને દરિયાઈ જીવસૃષ્ટિ, મગરમચ્છ, નેશનલ હેરિટેજની ફિલ્મો બતાવવામાં આવે છે. જો કે અત્યારે ગીધની જાતિ લુપ્ત થતી જાય છે તેની સંપૂર્ણ જાણકારી ફિલ્મ શૉમાં દર્શાવવામાં આવે છે પહેલા ગીધની કેટલી વસ્તી હતી, અત્યારે શા માટે લુપ્ત થતા જાય છે તેના પર પર્યાવરણની શી અસર પડી વગેરે બાળકોને ગ્લોબલ વોર્મિંગની જાણકારી પણ આપવામાં આવે છે. ભારત અને ગુજરાતમાં ગ્લોબલ વોર્મિંગની શું અસર પડી. કેવી રીતે ગ્લોબલ વોર્મિંગ થાય છે જેવા વિવિધ પ્રશ્નો વાઇલ્ડ લાઇફ વીકમાં બાળકોને એ સમજાવવામાં આવી રહ્યા છે.ે આપણે પર્યાવરણ અને પ્રકૃતિના કોઈ પણ જીવને બચાવીશું તો જ આપણું અસ્તિત્વ આ પૃથ્વી પર ટકી રહેશે. અત્યારે કીડીને બચાવવી પણ જરૃરી છે. કેમ કે કીડી પણ પ્રકૃતિની એક પોષણકડી છે. આપણા અસ્તિત્વ માટે પ્રણીઓ અને પક્ષીઓની પણ જરૃર છે આ અંગે ગાંધીનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ફાધર હેક્ટર પીન્ટો કહે છે કે, અત્યારે પર્યાવરણને જાળવવું ખૂબ જ જરૃરી છે. તેથી જો બાળકોને આવી રીતે નેચર એજ્યુકેશન પૂરું પાડવામાં આવશે તો પર્યાવરણ પ્રત્યે અવેરનેસ ચોક્કસ વધશે. વાઇલ્ડ લાઇફ વીક અંતર્ગત બાળકો, પર્યાવરણ, પ્રાણીઓ, પક્ષીઓ, જંગલો, ગ્લોબલ વોર્મિંગ વગેરેથી અવેર થઈ રહ્યા છે. જો અત્યારથી જ બાળકો વાઇલ્ડ લાઇફનું મહત્ત્વ સમજશે તો આગળ જઈને તે પર્યાવરણ અને વાઇલ્ડ લાઇફને નુકસાન તો નહીં કરે.

No comments:

Post a Comment