પ્રથમ સુતરની મિલની ભેટ (૧૮૬૧), પ્રથમ મ્યુનિસિપાલિટીના પ્રમુખ (૧૮૫૫), પ્રથમ ગટર- પાણીની યોજના (૧૮૯૦) અને પ્રથમ હેરિટેજ ડેની શરૂઆત પણ ૧૯૯૬માં દેસાઇની પોળમાંથી થઇ હતી. ઇ.સ. ૧૯૨૧માં ગુજરાતી સાહિત્ય પરિષદમાં પણ દેસાઇની પોળના વખાણ કરવામાં આવ્યા હતા.
વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી પ્રસંગે અમદાવાદને ૬૦૦ વર્ષ પૂરા થયાના ભાગરૂપે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે સૌ પ્રથમ હેરિટેજ દિવસની ઉજવણી ક્યારથી અને ક્યાંથી થઇ હતી? અમદાવાદમાં સૌ પ્રથમ વારસાદિન દેસાઇની પોળે ઉજવ્યો હતો. ૧૯ નવેમ્બર ૧૯૯૬ના રોજ અમદાવાદમાં ખાડિયામાં આવેલી દેસાઇની પોળે સ્વાતંત્ર્ય સેનાની સતેન્દ્ર પ્રસાદ કેશવલાલ મહેતાના (સતુકાકા) સાનિઘ્યમાં સૌ પ્રથમ હેરિટેજ દિવસ ઉજવ્યો હતો.
આ પ્રસંગે સતેન્દ્રપ્રસાદના પુત્ર હિમાંશુ મહેતા એ દિવસને યાદ કરતા કહે છે કે, આપણને મળેલો આ ભવ્ય વારસો માત્ર સંપતિ જ નહીં પરંતુ સાંસ્કૃતિક વિરાસત છે. કાષ્ટની સુંદર હવેલીઓના કોતરકામ જુદા જુદા ક્ષેત્રમાં ઘટેલી અનેક ઘટનાઓ, તેમજ તેની સાથે વણાયેલી વાતો, જુદા જુદા ક્ષેત્રમાં પ્રદાન આપી કીર્તિ મેળવનાર નામાંકિત વ્યક્તિઓ સાથે જોડાયેલ અનેક દંત કથાઓ આ વારસામાં છુપાયેલી પડી છે.
અને આ વારસાને પામવાનો એક સનિષ્ઠ અને પ્રથમ પ્રયાસ દેસાઇની પોળે કર્યો હતો. પ્રથમ સુતરની મિલની ભેટ (૧૮૬૧), પ્રથમ મ્યુનિસિપાલિટીના પ્રમુખ (૧૮૫૫), પ્રથમ ગટર- પાણીની યોજના (૧૮૯૦) અને પ્રથમ હેરિટેજ ડેની શરૂઆત પણ ૧૯૯૬માં દેસાઇની પોળમાંથી થઇ હતી. ઇ.સ. ૧૯૨૧માં ગુજરાતી સાહિત્ય પરિષદમાં પણ દેસાઇની પોળના વખાણ કરવામાં આવ્યા હતા.
દેસાઇની પોળમાં લાકડાંની કોતરણીવાળા થાંભલા, કાષ્ટની કોતરણીવાળી બારીની નીચેનો ભાગ, બારણા, બાલ્કની, થાંભલા ઉપર ફૂલોની કાષ્ટ કોતરણી કામ, મકાન ઉપર કાષ્ટની કોતરણી, જરૂખો વગેરે વિવિધ જોવાલાયક હેરિટેજ વસ્તુઓ છે.
આ અંગે હેરિટેજ પ્રોગ્રામ એડવાઇઝર દેબાશીશ નાયક કહે છે કે, દેસાઇની પોળના રહીશો સ્વતંત્ર સંગ્રામ, સામાજિક, આર્થિક ક્ષેત્રે પ્રથમ રહ્યા છે. અને હેરિટેજ ડેની ઉજવણીમાં પણ પ્રથમ રહ્યા છે. આ વારસામાં સાંસ્કૃતિક, સામાજિક, રાજકિય અને આર્થિક બનાવોનો ખજાનો ભવ્ય ભૂતકાળમાં છૂપાયેલો છે.
No comments:
Post a Comment