Sunday, December 5, 2010

રેલવે એન્જિન ડ્રાઇવરની જિંદગીમાં એક ડોકિયું

આપણને વર્ષના ૩૬૫ દિવસ ટાઇમસર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડતી રેલવેના એન્જીન ડ્રાઇવરો સામાજિક લાઇફમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આમ આદમીથી લઇને સમાજના દરેક વર્ગના લોકો રેલવેની મુસાફરી કરે છે. બીજી તરફ મુસાફરી માટે રેલવે સૌથી સસ્તુ સાધન છે. પરંતુ આપણે જે રેલવેમાં મુસાફરી કરીએ છીએ એ રેલવેનો ડ્રાઇવર કોણ છે, એ પણ આપણે જાણતા નથી. અને ક્યારેય જાણવાની કોશીશ પણ કરતા નથી. બસ કે રીક્ષામાં મુસાફરી કરતી વખતે આપણે ડ્રાઇવર સાથે કંઇના કંઇ વાતચીત કરીએ છીએ. પરંતુ રેલવેના ડ્રાઇવર સાથે તમે ક્યારેય વાતચીત કરી છે? પરંતુ એક નાનકડા ડબ્બામાં એકલતાભરી જિંદગી ગુજરાતા રેલેવના ડ્રાઇવરને મળવાનો મોકો મળે તો મળવા જેવું છે.

આખી જીંદગી પ્લેટફોર્મ અને પાટા વચ્ચે જ પૂરી થઈ જાય છે જો ડ્રાઇવરો પર પ્રેશર ઓછું કરવામાં આવે અને મેનેજમેન્ટ તરફ ધ્યાન આપીને માનસિક શાંતિથી કામ કરાવવામાં આવે તો માનવ સર્જિત રેલવે અકસ્માતમાં૫૦ ટકાનો ઘટાડો થઇ શકે છે.


તેમની વાત સાંભળ્યા પછી તમને તમારી લાઇફમાં કોઇ જ પ્રશ્ર નહીં રહે. જાણે વર્ષોથી તેમની સાથે કોઇએ વાત ના કરી હોય એવી રીતે સહજતા અને લાગણપૂર્વક એ તમારી સાથે વાત કરશે. છેલ્લા ૨૦ વર્ષથી રેલવેમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા સુભાષભાઇ કહે છે કે, રેલવેના ડ્રાઇવરો સતત પ્રેશર હેઠળ કામ કરે છે. રેલવેના ડ્રાઇવરની લાઇફ બહુ નિરસ હોય છે. જીવનમાં કોઇ પણ પ્રકારની ક્રિએટિવિટી રહેતી નથી. રેલવેના ડ્રાઇવરોની ડયૂટીનો સમય ક્યારેય ફિક્સ હોતો નથી. ગમે ત્યારે ફોન આવે એટલે ૨ કલાકમાં ટિફિન તૈયાર કરીને ડયૂટી પર પહોંચી જવું છે. એક વાર ઘરેથી નિકળ્યા પછી તે પાછો ક્યારે ઘરે પરત ફરશે તેની ખબર હોતી નથી. ક્યારેક બે દિવસ સુધી પણ ડ્રાઇવિંગ કરવું પડે છે.
રેલવેના ડ્રાઇવરો પોતાની જિંદગી રેલવેના પર અને એકલતામાં જ વિતાવે છે. તેમના જીવનમાં કોઇ જ પ્રકારનો ઉત્સાહ કે આનંદ હોતો નથી. રેલવેના ડ્રાઇવરોને ખૂબ જ ઓછો રેસ્ટ આપવામાં આવે છે. વાર તહેવાર અને સામાજિક પ્રસંગોમાં પણ તે હાજરી આપી શકતા નથી. જો સામાજિક પ્રસંગોમાં રેલવેના ડ્રાઇવરો કાર્યશીલ રહી શકે એટલો ટાઇમ તેમને આપવામાં આવે તો તેમનું જીવન ૫૦ ટકા સુધરી શકે એમ છે. રેલવેમાં સેન્ટિંગ કામ કરતા સુધીરભાઇ કહે છે કે, જો ડ્રાઇવરો પર પ્રેશર ઓછું કરવામાં આવે અને મેનેજમેન્ટ તરફ ધ્યાન આપીને માનસિક શાંતિથી કામ કરાવવામાં આવે તો માનવ સર્જિત રેલવે અકસ્માતમાં ૫૦ ટકાનો ઘટાડો થઇ શકે છે. અને રેલવે તથા મુસાફરોની સલામતી વધુ મજબૂત બનશે. બીજી તરફ રેલવેમાં વધુમાં વધુ ૧૫ ટકા ડ્રાઇવરો જ ગુજરાતી હોય છે. મોટા ભાગના ડ્રાઇવરો યુપી, બિહાર અને રાજસ્થાનના જ જોવા મળે છે.

No comments:

Post a Comment