
આ સફર ભારતના ગણતંત્ર દિવસે ૨૬મી જાન્યુઆરી ૨૦૧૧ના દિવસે કચ્છના લખપત ખાતેથી શરૃ થશે અને ગાંધી નિર્વાણ દિન ૩૦મી જાન્યુઆરી ૨૦૧૧ની સાંજે દક્ષિણ ગુજરાતના ઉમરગામમાં પૂર્ણ થશે. આ સફર દરમિયાન રસ્તામાં ૪૭ ગામો, ૧૧ બંદર, ૯ મંદિર અને ૭ ઐતિહાસિક સ્થળો સહિત ગીરના જંગલનો વિસ્તાર પણ આવરી લેવામાં આવ્યો છે. આ સ્થળોએ બાઇક સવારો ટૂંકુ રોકાણ કરી મરીન લાઇફ બચાવવાનો સંદેશો ફેલાવશે
આ અંગે ક્લબના પ્રમુખ ભરતસિંહ પરમાર કહે છે કે, અમારો ઉદ્દેશ બાઇક લઇને ફરવા નિકળવાનો કે પછી કમાણી કરી લેવાનો નથી પરંતુ યુવાનોની ક્રિએટિવિટીને પરફેક્ટ રસ્તો મળે તથા યુવાનોની સાહસવૃત્તિ ખીલે અને પ્રકૃતિના ખોળે ખૂંદતા થાય એવા જ ઉદ્દેશ સાથે સાગરકાંઠા પર બાઇકસફર યોજવા જઇ રહ્યા છીએ.
આ સફર ભારતના ગણતંત્ર દિવસે ૨૬મી જાન્યુઆરી ૨૦૧૧ના દિવસે કચ્છના લખપત ખાતેથી શરૃ થશે અને ગાંધી નિર્વાણ દિન ૩૦મી જાન્યુઆરી ૨૦૧૧ની સાંજે દક્ષિણ ગુજરાતના ઉમરગામમાં પૂર્ણ થશે. આ સફર દરમિયાન રસ્તામાં ૪૭ ગામો, ૧૧ બંદર, ૯ મંદિર અને ૭ ઐતિહાસિક સ્થળો સહિત ગીરના જંગલનો વિસ્તાર પણ આવરી લેવામાં આવ્યો છે. આ સ્થળોએ બાઇક સવારો ટૂંકુ રોકાણ કરી મરીન લાઇફ બચાવવાનો સંદેશો ફેલાવશે. ઐતિહાસિક સ્થળોમાં જામનગર, દ્વારકા, પોરબંદર, સોમનાથ, ભાવનગર, દાંડી અને તીથલનો સમાવેશ થાય છે. અને મંદિરોમાં કોટેશ્વર, નારાયણ સરોવર, મંડવી, ભદ્રેશ્વર, દ્વારકા, હરસિધ્ધ માતા, સોમનાથ, તળાજા અને શુકલતીર્થનો સમાવેશ થાય છે. ભારતમાં પ્રથમ વખત ૧૨૧ બાઇક સવારો આટલી લાંબી સફર કરશે.
આ સફરમાં બાઇક સવારોને દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ અંગે ક્લબના સેક્રેટરી વીરમ વાળા કહે છે કે, દરિયાઇ જીવસૃષ્ટિને બચાવવાના સંદેશની સાથે સાથે પહેલી સફર છે. તેથી આ સફરને લીમ્કાબુક તથા ગીનીઝબુક ઓફ વર્ડ રેકોર્ડમાં સ્થાન મળે એવી શક્યતા છે.
No comments:
Post a Comment