Sunday, June 13, 2010

‘દેશના આર્થિક વિકાસનો પ્રાણવાયુ-અંદાજપત્ર’

ભારતના બંધારણની કલમ ૧૧૨ (૧) પ્રમાણે કેન્દ્ર સરકારને સંસદમાં દર વર્ષે અંદાજપત્ર મંજૂરી માટે રજૂ કરવું પડે છે. દર વર્ષે સરકારની વિવિધ પ્રવૃત્તિઓનું સરવૈયું લોકસભામાં અંદાજપત્ર દ્વારા રજૂ થાય છે. જેમાં ગત વર્ષ દરમિયાન સરકારે કરેલ પ્રવૃત્તિઓની આવક-જાવકની નાણાકીય માહિતી અને ચાલુ વર્ષના તથા નાણાકીય વર્ષ દરમિયાન ખર્ચ અને આવક અંગેના અંદાજોની માહિતી આપવામાં આવે છે. તે માટે જરૃરી ખર્ચનો અંદાજ અને આ ખર્ચને પહોંચી વળવા માટેનાં નાણાકીય સાધનો. આ ત્રણેય પાસાને આવરી લેતી સંસદ સમક્ષ રજૂ થતી કારોબારીની દરખાસ્તને અંદાજપત્ર કહે છે. બજેટ માત્ર રાજ્યની આવક અને ખર્ચ અંગેનું નિવેદન નથી, પણ તેમાં સરકારની આર્થિક નીતિનું પ્રતિબિંબ પડતું હોય છે. અને તે દ્વારા સરકારની આર્થિક નીતિનું મૂલ્યાંકન થાય છે અને દેશની આર્થિક પ્રવૃત્તિઓને યોગ્ય દિશામાં વળાંક આપી શકાય છે. અંદાજપત્ર આધુનિક સરકારોનું એક મહત્ત્વનું હથિયાર છે. આ બજેટ પ્રથાનો જન્મ સરકારની કારોબારી સમિતિ પર સંસદના અંકુશો વધુ કડક અને અસરકારક બનાવવાની મથામણમાંથી થયો છે. ‘બજેટ’ શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ ૧૭૩૩માં ઈંગ્લેન્ડમાં થયો હતો. અંગ્રેજીમાં ‘બજેટ’ શબ્દની ઉત્પત્તિ ફ્રેન્ચના ‘બોગેટ’ શબ્દમાંથી થઈ. એનો અર્થ ‘ચામડાની નાની બેગ’ થાય છે.

૧૭૩૩માં બ્રિટિશ વડાપ્રધાન રોબર્ટ વોલપોલ ચામડાની નાની બેગમાં પોતાની ર્વાિષક વિત્તયોજના લઈ ગયા હતા. ત્યારે એક ચોપાનિયાએ ‘કોથળો ખોલીને બિલાડું કાઢયું’ એવા વ્યંગમાં *્રી હ્વેઙ્ઘખ્તીં ર્ૅીહીઙ્ઘ* એવો કટાક્ષ કર્યો ત્યારથી આ ર્વાિષક અંદાજપત્રની પ્રથા શરૃ થઈ અને “બજેટ” શબ્દ પ્રચલિત બન્યો છે. ભારતમાં ૧૮૫૭ની ક્રાન્તિ પછી સૌ પ્રથમ બજેટ પ્રથાનો વિકાસ થયો.

ભારતમાં અંદાજપત્ર બે વિભાગમાં રજૂ કરવામાં આવે છે. એક સામાન્ય અંદાજપત્ર અને બે રેલવે અંદાજપત્ર. રેલવે અંદાજપત્ર સામાન્ય અંદાજપત્રની અગાઉ લોકસભામાં રજૂ કરાય છે. જ્યારે સામાન્ય અંદાજપત્ર પહેલી એપ્રિલથી ૩૧મી માર્ચ સુધીના નાણાકીય વર્ષની માહિતી આપે છે. રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ, ખર્ચનો અંદાજ અને આવકની જોગવાઈ એ ત્રણ બજેટનાં મુખ્ય અંગો છે. સામાન્ય રીતે બજેટમાં રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ અંગે અહેવાલ આગામી વર્ષના કાર્યક્રમનો નકશો, ખાતાવાર કાર્યોના ખર્ચના અંદાજો, અંદાજેલા ખર્ચને પહોંચી વળવા માટે કરવેરાની દરખાસ્તો, વિવિધ પ્રવૃત્તિઓ માટે ખાતાવાર ખર્ચની મંજૂરી આપતું એપ્રોપ્રિયેશન બિલ, નવા કરવેરાની દરખાસ્તોને વાસ્તવિક સ્વરૃપ આપતું નાણાકીય બિલ વગેરેનો બજેટમાં સમાવેશ થાય છે.

દરેક સરકાર, જુદા-જુદા વિભાગો અને દેશના નાગરિકો પણ સરકારના ર્વાિષક બજેટ પર આધાર રાખે છે તેથી બજેટની અસરો વ્યાપક અને સર્વને સ્પર્શે છે. ઉત્પાદન અને વિસ્તરણની પ્રથા, રાષ્ટ્રીય આવકની સમાજમાં વહેંચણી, પ્રજાજનોના આર્થિક - સામાજિક - શૈક્ષણિક વિકાસ માટેની કલ્યાણ યોજનાઓ એ સર્વે બજેટ પર આધાર રાખે છે. સુવિકસિત બજેટપ્રથા એ લોકશાહીના આત્મા સમાન ગણાય છે. હેરોલ્ડ સ્મિથ અને સ્ટીફન બજેટને વહીવટી સંચાલનના સાધન તરીકે નિરૃપે છે. બજેટના અગત્યની નોંધ લેતાં ન્યૂ યોર્કના મ્યુનિસિપલ સંશોધન દફતરે કહ્યું હતું કે, “સમાજની જરૃરિયાતો અંગે અને એ જરૃરિયાતો પૂરી પાડવાના સરકારી પ્રયત્નો અંગે આટલી બધી મહત્ત્વની હકીકતોને આટલા સંક્ષિપ્ત સ્વરૃપમાં કહેવામાં યોગ્ય રીતે રચાયેલ બજેટની બરાબરી કોઈ દસ્તાવેજ કરી શકે એમ નથી.” બજેટના મહત્ત્વને સૌથી જોરદાર અભિવ્યક્તિ ગ્લેડસ્ટને આપી હતી, “બજેટો એ માત્ર ગણિતની બાબતો નથી, પરંતુ હજારો રીતે તેઓ વ્યક્તિઓની સમૃદ્ધિ, વર્ગો વચ્ચેના સંબંધ અને રાજ્યોના બળના મૂળમાં પહોંચે છે.” આમ અંદાજપત્ર એ દેશના આર્થિક વિકલ્પના પ્રાણવાયુરૃપ છે.

No comments:

Post a Comment