
હિરોઈન સુધાચંદ્રન સહિત અનેક વિકલાંગો માટે જયપુર ફૂટ બનાવનાર રમેશ ઠાકોરે એક્સિડેન્ટમાં પગ ગુમાવ્યા પછી જયપુર ફુટ બનાવવાની ટ્રેઈનીંગ લીધી અને૧૦૦ મીટર દોડ ૧૭.૨૯ મિનિટમાં પૂર્ણ કરીને લીમ્કા બુકમાં નામ સ્થાપિત કર્યું.
મેં એવા ઘણાં માણસોને પગ લગાવ્યા છે જેમણે ચાલવાની તો ઠીક પણ ઊભું થવાની ઈચ્છા પણ છોડી દીધી હતી. પંદર વર્ષની ઊંમરે રમેશભાઈ ઠાકોરનો ડાબો પગ ૧૯૮૨માં એક ટ્રેન એક્સીડન્ટમાં કપાઇ ગયો હતો, પણ આ ઘટનાથી હતાશ થયા વિના તેઓ દ્રઢ નિશ્ચયી બન્યા. ગુજરાતના ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તલોદ ગામમાં જન્મેલા ૪૩ વર્ષના રમેશભાઇના ડાબા પગમાં ‘જયપુર ફૂટ’ લગાવીને લિમ્કા બુકમાં નામ રેકોર્ડ કરવાની સાથે સાથે સાઈકલીંગ અને મેરેથોનમાં આખા ભારતમાં પોતાનું નામ ફેલાવ્યું છ આ ઉપરાંત આટલી બધી શારિરીક મર્યાદા હોવા છતા અનેક દેશોની વિદેશયાત્રાઓ પણ કરી છે.
એક્સિડેન્ટ પછી તેમણે ં જયપુર ફૂટ (કૃત્રિમ પગ) લગાડાવ્યો અને નવા જોશની સાથ સાઈકલીંગ, રેસ, દોડ જેવી કામગીરી કરવામાં લાગી ગયા. રમેશભાઇએ પોતાનો પગ ગુમાવ્યા પછી સવાઈ માનસિંહ હોસ્પિટલમાં ૩ વર્ષ જયપુર ફૂટ બનાવવાની ટ્રેનિંગ લીધી અને ત્યાં જ નોકરી કરવા લાગ્યા. ‘હું એક કલાકાર થઇને બીજા ઉપર નિર્ભર રહેવા કરતાં હું પોતે જ મારો પગ બનાવી લઉં એ વધારે સારું છે. તેથી મેં જયપુર ફૂટ બનાવવાની ટ્રેનિંગ લીધી. ત્યાર પછી તેઓ ભગવાન મહાવીર વિકલાંગ સેવા સમિતિ સાથે કૃત્રિમ પગ બનાવવાનું શરૂ કર્યું. આ સમિતિના થકી તેઓ ફિલિપાઈન્સ, અમેરિકા, વેસ્ટ ઈન્ડિઝ, વિયેટનામ, સુદાન, સિંગાપુર, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન વગેરે દેશોની યાત્રાઓ કરીને અનેક વિકલાંગ વ્યક્તિઓને કૃત્રિમ જયપુર ફૂટ અને અન્ય અંગો લગાવ્યા.’
રમેશભાઇ કહે છે કે, શરૂઆતમાં હું નોર્મલ ચાલતો હતો પરંતુ એ પછી મને એમ લાગ્યું કે મારે કંઇક કરવું જોઇએ તેથી મેં વ્યાયામ અને શોખ માટે દોડવાનું ચાલુ કર્યું. એ વખતે મેં ઓફિસમાં અમેરિકાના સમુદ્ર કિનારે નકલી પગ લગાવી રન કરતો માણસનો ફોટો જોયો. તેથી મેં વિચાર્યું કે એ દોડી શકે તો હું કેમ ના દોડી શકું. પછી મનમાં અનેક શંકાઓ હતી. છતાં પણ મેં દોડવાનું ચાલુ કર્યું. શરૂઆતમાં હું વચ્ચે જ પડી જતો હતો અને મને લાગતું પણ હતું છતાં મારા મનમાં કંઇક કરવાનું ઝુનુન હતું કે દોડવું તો પડશે જ. ત્યાર પછી રમેશભાઇએ ૧૯૮૯ સુધીમાં ૮,૦૦૦ કી.મી. પૂર્વ-પશ્ચિમમાં સાઈકલીંગથી પ્રવાસ કર્યો અને ૧૯૯૧માં ૧૯ સેકન્ડમાં ૧૦૦ મીટર રેસ પૂર્ણ કરીને રાજસ્થાન રાજ્યમાં પહેલો ક્રમાંક મેળવ્યો.
ત્યાર પછી ૧૯૯૧માં ગુજરાતમાં વલસાડમાં ૨૨ કી.મી.ની મેરેથોન રેસ પણ પૂર્ણ કરી. અને ત્યાર પછી તેમણે ૨૦૦૫માં ૧૦૦ મીટર દોડ ૧૭.૨૯ મિનિટમાં પૂર્ણ કરીને લીમ્કા બુકમાં નામ સ્થાપિત કર્યું. રમેશભાઇ કહે છે કે મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે દોડમાં ઓલિમ્પિકમાંથી ગોલ્ડ મેડલ મળશે અને લીમ્કા બુકમાં સ્થાન મળશે. ત્યાર પછી મેં લીમ્કા બુકમાં સ્થાન મેળવવા માટે મહેનત કરી અને લીમ્કા બુકમાં મને સ્થાન મળ્યું. ખાસ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને રમેશ ભાઈ કૃત્રિમ પગ બનાવે છે.જે વોટર પ્રૂફ હોય છે. આ પગ પહેરીને માણસ ભારતની સંસ્કૃતિ પ્રમાણે પગ ઉતાર્યા વિના પણ મંદિરમાં જઇ શકે છે.
આ ઉપરાંત જયપુર ફૂટ ટેકનોલોજી સરળ, સસ્તી અને મજબૂત છે તેથી કોઇ પણ સામાન્ય માણસ પણ જયપુર ફૂટ બનાવડાવી શકે છે. હિરોઈનસુધાચંદ્રન માટે પણ રમેશભાઈએ જયપુર ફુટ બનાવ્યો હતો.આ ઉપરાંત ગિરનાર, પાલિતાણા, શેત્રુંજય વગેરે પર્તતો પણ ચઢેલા છે, તથા ચાલીને અમરનાથની યાત્રા પણ કરેલી છે. તેઓ સામાન્ય માણસની જેમ નોર્મલ જ ચાલી શકે છે. વનની શરૂઆત કરી. આજે તેઓ ૬૦ વીઘા જમીનનું કામ એકલા કરે છે જયપુર ફૂટના સહારે. આ ઉપરાંત રમેશભાઇની સમાજસેવાનો અહીં જ અંત નથી આવતો, પણ તેઓને લોકોની સેવા કરવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા હ્યુમન રાઈટ્સ એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે.
No comments:
Post a Comment