રાષ્ટ્ર, સંસ્કૃતિ અને ધર્મના ક્ષેત્રે આગવંંુ પ્રદાન કરનાર જૈન ધર્મના પંન્યાસ પ્રવર ચન્દ્રશેખર વિજયજી મહારાજના આજે ૭૮માં જન્મ દિવસની ઉજવણી નિમિત્તે તેમના સુંદરે આરોગ્ય માટે તપોવન સંસ્કાર પીઠ અમીયાપુરના વિદ્યાર્થીઓએ સાથે મળીને કુલ ૭૦ લાખ નવકાર મંત્રનો જાપ કર્યો હતો. વ્યસનો અને ફેશનના ફંદામાં ફસાયેલી યુવા પેઢીને સન્માર્ગે વાળવા માટે તેમણે વૈચારિક ક્રાંતિનો પ્રકાશ પાથર્યો છે. ત્યારે આજે તેમના ૭૮માં જન્મ દિવસ નિમિત્તે તેમને દીર્ધાયુ મળે તે માટે સમગ્ર ભારત ભરના જૈન સંઘો દસ હજારથી વધારે આયંબિલ તપની તપશ્ચર્યા કરશે.
આ પ્રસંગ નિમિત્તે તપોવનના ૪૦૦ વિદ્યાર્થીઓએ ત્રણ મહિનામાં ૮૦ લાખથી વધુ નવકાર મંત્રનો જાપ કરીને તેમના સુંદર આરોગ્ય માટે પ્રભુને પ્રાર્થના કરી હતી. મહત્ત્વની વાત એ છે કે તપોવન સંસ્કાર પીઠના વિદ્યાર્થીઓ ડિસ્કો અને ક્રિકેટથી દૂર રહીને ભક્તિમય વાતાવરણમાં તપશ્ચર્યાની સાથે સાથે પરિક્ષાની તૈયારી પણ કરે છે. આ ઉપરાંત આજે સમગ્ર અમદાવાદના દરેક જૈન સંઘમાં કુલ મળીને દસ હજાર આયંબીલની તપશ્ચર્યા કરશે. આયંબીલ તપશ્ચર્યામાં ઘી, તેલ, ગોળ, દૂધ, દહીં જેવી છ મુખ્ય વસ્તુઓનો ત્યાગ કરવામાં આવે છે. અને આજે અમદાવાદમાં પાંચ હજારથી વધારે તથા સમગ્ર ભારતમાં ૨૫ હજારથી વધારે આયંબીલની તપશ્ચર્યા કરવામાં આવશે.
ચન્દ્રશેખર વિજયજી મહારાજ સાહેબના સ્વસ્થ આરોગ્ય માટે જૈન મુનિ ગિરિ ભૂષણ વિજયજી મહારાજ સાહેબે ૨૨ વખત સોળ ઉપવાસની તપશ્ચર્યા કરી છે. તેઓ આજે ૨૨મી વખત સોળમો ઉપવાસ પૂર્ણ કરશે. તેઓ ઉપવાસના પ્રથમ દિવસે એક સાથે સોળ ઉપવાસ કરવાના છે તેમ નક્કી કરી દે છે. જેને જૈ શાસનમાં પચખાણ કહે છે. આમ આજે ચન્દ્રશેખર વિજયજી મહારાજ સાહેબના ૭૮માં જન્મ દિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર ભારત અને અમદાવાદમાં આયંબીલ તપશ્ચર્યા કરવામાં આવશે
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

No comments:
Post a Comment