ગુજરાતની પ્રાચીન કળાઓને બચાવવા માટે વિવિઘ તાલુકાના જાણીતા આર્કિટેક, પ્રોફેસરો, શિક્ષકો, એડવોકેટ, એન્જિનિયર, બિઝનેસમેન સંસ્કાર ભારતી સંસ્થા દ્વારા પોતાના કામની સાથે સાથે રજાના દિવસોમાં વિસરાતી કલાને જાળવવાનું તથા વિવિધ પ્રકારની કલાના માઘ્યમથી સમાજમાં સંસ્કૃતિ સિંચનનું કાર્ય કરે છે
ભારતીય સંસ્કૃતિ અને આપણી મૂળ કલાઓ તેના ઓરિજિનલ રૂપમાં જ સચવાઇ રહે તે માટે ગુજરાતમાં ૧૯૮૯થી સંસ્કાર ભારતી સંસ્થા કામ કરી રહી છે. મહત્ત્વની વાત એ છે કે આ સંસ્થા સાથે જોડાઇને કામ કરનારા લોકો કોઇ પણ પ્રકારની અપેક્ષા વિના પોતાના ખર્ચે આપણી મૂળ કલા અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે વોલન્ટરી કાર્ય કરી રહ્યા છે. જેમાં આર્કિટેક, પ્રોફેસરો, શિક્ષકો, એડવોકેટ, એન્જિનિયર,

બિઝનેસમેન જેવા સમાજના પ્રતિષ્ઠિત લોકો પોતાના કામની સાથે સાથે રજાના દિવસોમાં વિસરાતી કલાને જાળવવાનું તથા વિવિધ પ્રકારની કલાના માઘ્યમથી સમાજમાં સંસ્કૃતિ સિંચનનું કાર્ય કરે છે. લોકોને આપણી મૂળ કલા અને સંસ્કૃતિ પ્રત્યે કલાભિમુખ કરવા માટે ગુજરાતમાં એક હજારથી વધારે કલાકારો સંસ્કાર ભારતી સંસ્થા દ્વારા વોલન્ટરી કાર્ય કરે છે.
આજે ગામડામાં અનેક કલાકારો એવા છે જે આપણા મૂળ દેશી વાદ્યો વગાડે છે, પરંતુ તેઓ પોતાની કલાને સમાજ સુધી પહોંચાડી શકતા નથી. તેથી આવા કલાકારો એક મંચ ઉપર ઉપસ્થિત થાય અને તેમની કલા સમાજ સુધી પહોંચે તે માટે સંસ્કાર ભારતી સંસ્થાના સભ્યો વોલન્ટરી કાર્ય કરી રહ્યા છે. આ અંગે સંસ્કાર ભારતી સંસ્થામાં વોલન્ટરી કાર્ય કરતા સભ્યોએ પોતાના અભિપ્રાયો આપ્યા હતા.
આ અંગે અમદાવાદના આર્કિટેક ઓજસ હિરાણી કહે છે, હું છેલ્લા ૨૨ વર્ષથી આ સંસ્થા સાથે જોડાઇને કલાકારો, વનવાસી કલાકારોને સાથે લઇને ભવાઇ, કઠપૂતળી, રાવણહથ્થો, વાદીઓ, પાઘડી બાંધવાની કલા જેવી વિસરાતી કલાના કલાકારોને એકઠા કરી તેમને સમજાના મુખ્ય વર્ગ સુધી પહોંચાડવાનું કામ કરું છું.
આ અંગે અમદાવાદના આર્કિટેક ઓજસ હિરાણી કહે છે, હું છેલ્લા ૨૨ વર્ષથી આ સંસ્થા સાથે જોડાઇને કલાકારો, વનવાસી કલાકારોને સાથે લઇને ભવાઇ, કઠપૂતળી, રાવણહથ્થો, વાદીઓ, પાઘડી બાંધવાની કલા જેવી વિસરાતી કલાના કલાકારોને એકઠા કરી તેમને સમજાના મુખ્ય વર્ગ સુધી પહોંચાડવાનું કામ કરું છું.
તો અન્ય એક ચાહક સંજય ઉપાઘ્યાય માને છે કે, છેલ્લા પાંચ વર્ષથી હું સંગીત કલા ઉપર કામગીરી કરું છું. વિજયનગરની પોળો અને આદિવાસી વિસ્તારોમાં આજે પણ એવા લોકો છે જે જુની દેશી પદ્ધતિથી જુના વાદ્યો વગાડે છે. આવા કલાકારોને જાહેરમાં લોકો સમક્ષ લાવવાનું કામ સંસ્કાર ભારતી દ્વારા કરું છું.
હિંમતનગરમાં શિક્ષણ સાથે સંકળાયેલા પ્રકાશ વૈદ્ય કહે છે, આપણી સંસ્કૃતિ અને કલા ટકી રહે તથા જુની કલાના કલાકારોને સમાજ સુધી લાવવા અને સમાજને કલા પ્રત્યે આકર્ષવા માટે હું છેલ્લા દસ વર્ષથી સંસ્કાર ભારતી સાથે જોડાઇને કલ્ચર એક્ટિવિટી કરું છું. સાહિત્ય, રંગમંચ, લલિત કલાઓ જેવી બધી જ કલાને તેના મૂળ રૂપમાં જાળવવાનો પ્રયત્ન કરીએ છીએ.
હિંમતનગરમાં શિક્ષણ સાથે સંકળાયેલા પ્રકાશ વૈદ્ય કહે છે, આપણી સંસ્કૃતિ અને કલા ટકી રહે તથા જુની કલાના કલાકારોને સમાજ સુધી લાવવા અને સમાજને કલા પ્રત્યે આકર્ષવા માટે હું છેલ્લા દસ વર્ષથી સંસ્કાર ભારતી સાથે જોડાઇને કલ્ચર એક્ટિવિટી કરું છું. સાહિત્ય, રંગમંચ, લલિત કલાઓ જેવી બધી જ કલાને તેના મૂળ રૂપમાં જાળવવાનો પ્રયત્ન કરીએ છીએ.

હું છેલ્લા બાર વર્ષથી સંસ્કાર ભારતી સાથે સંકળાઇને ઉત્તર ગુજરાતમાં વિવિધ પ્રકારની કલાનો પ્રચાર પ્રસાર કરું છું. આ માટે લોકોને સંગઠીત કરી અને વિવિધ પ્રકારના ઉત્સવો તથા કલાના કાર્યક્રમોનું આયોજન કરું છું.
- જયદીપ રાજપુત, એડવોકેટ, વિસનગર
- જયદીપ રાજપુત, એડવોકેટ, વિસનગર
હું છેલ્લા દસ વર્ષથી આ સંસ્કાર ભારતી સાથે જોડાઇને આપણી મૂળ નાટ્ય કલાને જાળવવાનંુ કાર્ય કરું છું. ગામડાઓમાં જઇને આપણી નાટ્ય કલાનો પ્રચાર કરું છું. ખાસ કરીને યુવાનો આ અંગે જાગૃત થાય એ જરૂરી છે. જો યુવાનો જાગશે તો જ આપણી મૂળ ધરોહર સચવાઇ રહેશે.
- નયન વ્યાસ, હેડ ક્લાર્ક, નડિયાદ
- નયન વ્યાસ, હેડ ક્લાર્ક, નડિયાદ

સમાજમાં જે વિકૃતિઓ આવે છે એ કલાના માઘ્યમથી જ આવે છે. તેથી નવોદિત કલાકારોને જોડીને દેશનેવિકૃતિઓથી બચાવવાનું કામ કરીએ છીએ. પહેલા આપણને લોકગીતો, લગ્ન ગીતો જેવી કલાઓ વારસામાં મળતી, પરંતુ આજે કુટુંબ પ્રથા ભાંગી પડી હોવાથી આ કાર્ય અટકી ગયું. તેથી મેં મારું જીવન યુવાનો, શિક્ષણ અને ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે સમર્પિત કરી દીઘું છે.
- રાજુજી પરમાર, અઘ્યક્ષ, વિસનગર
- રાજુજી પરમાર, અઘ્યક્ષ, વિસનગર
No comments:
Post a Comment