Friday, February 11, 2011

વૃષભદેવના પંચકલ્યાણક પ્રસંગોમાં આખા જીવનનો સાર

મહારાષ્ટ્રમાં આવેલા ઓરંગાબાદમાં આખા દેશમાં ન હોય તેવું એક ચિત્ર આજે પણ પ્રત્યેક જૈનને આકર્ષે છે. કારણ એ છે કે આ ચિત્ર જૈનોના પ્રથમ તિર્થંકર વૃષભદેવના પંચકલ્યાણક પ્રસંગોને દર્શાવે છે.અત્યારસુઘીમાં વૃષભદેવના પંચકલ્યાણક પ્રસંગોને ક્યાંય દર્શાવાયા નથી.આ આબેહૂબ પ્રસંગોને મુઘલ,રાજપૂત અને દક્ષિણ એમ ત્રણ શૈલીના સમન્વય સાથે દર્શાવવામાં આવ્યા છે. મોટા ગજાના આ ચિત્રમાં શું છે એ વિષય પર એલ.ડી.ઈન્ડોલોજીમાં આવેલી એન.સી.મહેતા આર્ટ ગેલેરી ખાતે સાંજે ૫.૩૦ વાગે જાણીતા કલા ઈતિહાસકાર પદ્મશ્રી સરયુ દોશી ખાસ પંચકલ્યાણક ઈવેન્ટનું વિસ્તારવાર વિશ્વ્લેષણ કરશે.
એલ.ડી. ઈન્ડોલોજી ખાતે ઇન્ડિયન મિનિએચર પેઇન્ટિંગ્સ પર વક્તવ્ય આપવા આવેલા સરયુ દોશીના મતે જૈન ઘર્મના પ્રથમ તિર્થંકર વૃષભદેવના પંચકલ્યાણ પ્રસંગો દર્શાવતું ૧૭મી સદીનું ૪૦ ફૂટ લાંબું યુનિક પેઇન્ટિંગને આજે પણ આઘ્યાત્મિક અને કલા જગતની એક ખૂબી ગણવામાં આવે છે
ર્ભારતીય કલ્ચર અને આર્ટના કન્ટ્રીબ્યુશન માટે સરયુ દશીને ૧૯૯૮માં પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમણે ૧૯૭૧માં જૈન મિનિએચર પેઇન્ટિંગ પર પી.એચ.ડી કર્યું છે. સરયુ દોશી કહે છે કે, જૈન ધર્મમાં પ્રત્યેક તિર્થંકરની પાંચ કલ્યાણ ઇવેન્ટ હોય છે જેમ કે ગર્ભ, જન્મ, દિક્ષા, સમ્યક જ્ઞાન અને મોક્ષ. આ પંચ કલ્યાણક ઇવેન્ટ સેલિબ્રેટ થાય છે. જુદા જુદા તિર્થંકરોની આ પંચકલ્યાણક ઇવેન્ટ દર્શાવતા ચિત્રો જૈન કલ્પસુત્રમાં જોઇ શકાય છે. આ પાંચે પાંચ ઇવેન્ટ અલગ અલગ ચિત્રોમાં જોવા મળે છે. ઔરંગાબાદી શૈલીમાં વૃષભનાથની પંચકલ્યાણક ઇવેન્ટ બતાવતું ૪૦ ફૂટ લાંબુંે અને ૩ ફૂટ પહોળો પટ્ટો નાગપુરના કારંજમાં છે. આ અંગે સરયુ દોશી કહે છે કે, આ પ્રથમ એવું ચિત્ર છે કે જેમાં એક સાથે વૃષભનાથના જીવનની પંચકલ્યાણક ઇવેન્ટ પેઇન્ટ કરવામાં આવી છે અને આ પેઇન્ટિંગમાં ત્રણ પ્રકારની શૈલીનો સમન્વય થયેલો જોવા મળે છે.
સરયુ દોશી કહે છે કે, ઇ.સ. ૧૭૦૦ની આસપાસ આ ચિત્ર રાજપુત, મુઘલ અને દક્ષિણના કલારારો દ્વારા ઔરંગાબાદમાં તૈયાર કરવામાં આવ્યું છે.આ રીતે આ ત્રણેય શૈલીને ભેગી કરીને એક નવી જ શૈલી આ પેઇન્ટિંગ દ્વારા અસ્તિત્ત્વમાં આવી છે. ૧૭મી સદીના ઉતરાર્ધમાં અને ૧૮મી સદીના પૂર્વાધમાં રાજપૂત , મુઘલ અને દક્ષિણી શૈલીના મિક્ચર દ્વારા જે નવી શૈલી આકાર પામી તેનું આ પેઇન્ટિંગ એક્ઝામ્પલ છે. કેવી રીતે આ એક નવી શૈલી તૈયાર થઇ એ અંગે સરયુ દોશી કહે છે કે, ૧૭૦૦ની આસપાસ મુઘલ સૈનિકો દક્ષિણને કબ્જે કરવા માટે આગળ વઘ્યા. એ સમયે ઔરંગાબાદ લશ્કરી થાણું હતું. તેથી લડાઇ કરવાની યોજના ઔરંગાબાદમાંથી ઘડાતી હતી. પછી ઔરંગાબાદથી જ સૈનિકો આક્રમણ કરવા માટે જતાં. આ સૈન્યમાં રાજપૂત બટાલિયન પણ હતી. આ રીતે રાજપૂત , મુઘલ અને દક્ષિણી આર્ટિસ્ટો ઔરંગાબાદમાં સાથે રહીને ઔરંગાબાદી શૈલીમાં આ પેઇન્ટિંગ તૈયાર કર્યું છે. સરયુ દોશી કહે છે કે, આ પેઇન્ટિંગમાં મુખ્ય ત્રણ વસ્તુ મહત્ત્વની છે. એક એ કે ત્રણ શૈલી ભેગી થઇને આ પેઇન્ટિંગ તૈયાર થયંુ છે. બીજું એ છે કે જૈન ધર્મમાં આ એક જ પેઇન્ટિંગ એવું છે કે જેના પર વૃષભનાથના જીવનની પંચકલ્યાણક ઇવેન્ટ એક સાથે દર્શાવવામાં આવી છે.
જૂના રાજવાડાઓમાં રાજાની ભોગ વિલાસ અને યુઘ્ઘના પ્રસંગોને ચિત્રોમાં દર્શાવવામાં આવતા. પરંતુ ભારતના ઈતિહાસમાં જૈન અને બોઘ્ઘ ઘર્મના અનેક પ્રસંગોને ચિત્રના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે. એમાં પણ જૈન મિનિએચર પેઈન્ટિંગમાં ચોવીસ તિર્થંકરોની વાતોને વિવિઘ સરળ રીતે વણી લેવામાં આવી છે.આપણા યુવાનો પણ જો આ દિશા તરફ રસ કેળવે તો આર્ટ ઓફ લિવિંગનો સાચો અર્થ સમાજ સમક્ષ આવી શકે. જૈન ઘર્મને રાજ્ય ઘર્મ બનાવનાર અનેક રાજવીઓએ પોતાના અંગત પ્રસંગોને બદલે શ્રાવકો અને મુનિઓના ઘાર્મિક પાસાઓને લઈને આર્ટ અને સ્કલ્પચરને મહત્ત્વ આપ્યું તે અહીં પુરવાર થાય છે.
તસ્વીર- સુરેશ મિસ્ત્રી

No comments:

Post a Comment