Sunday, December 5, 2010

IIM કલકત્તાની સ્ટુડન્ટે કર્યુ ખાદી પર રિસર્ચ

કલકતા આઇ.આઇ.એમમાં અભ્યાસ કરતી મૂળ રાજકોટની નીરાલી શાહે ફેલો પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ માટે ખાદી વિષયની પસંદગી કરી છે. છેલ્લા બે વર્ષથી તે ખાદીની પ્રોસેસ પર રિસર્ચ કરે છે. લોકો ખાદીનો વપરાશ કઇ રીતે કરે છે? શું કામ કરે છે? ખાદીની વાસ્તવિક પરિસ્થિતિ શું છે? વગેરે વિષયોને આવરી લઇને તેણે ખાદીની કમ્પલિટ વેલ્યૂ શું છે તેના પર પોતાનું સંશોધન કરે છે. નિરાલી શાહ કહે છે કે, ખાદી એવી વસ્તુ છે જેના પર ઘણું કામ થઇ શકે છે પણ થયું નથી. તેથી ખાદીની વાસ્તવિક પરિસ્થિતિ અને વેલ્યૂ જાણવા મે આ વિષયની પસંદગી કરી છે. ભારતીય કાપડની પ્રોડક્ટમાં મુખ્ય પાંચ બ્રાન્ડમાં ખાદીનો સમાવેશ થાય છે.



કલકતા આઇ.આઇ.એમ.માં અભ્યાસ કરતી નિરલી શાહે ફેલો પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટમાં ખાદીની વેલ્યૂચેઇન પર રિસર્ચ કર્યું



આ સંશોધન માટે તેમણે ખાદી પહેરતા વિદ્યાર્થીઓ, ખાદીના રિટેઇલરો, ખાદી સાથે સંકળાયેલી સંસ્થાઓ વગેરેની મુલાકાત લીધી છે. સાથે સાથે જે ફેશન ડિઝાઇનરો ખાદી સાથે સંકળાયેલા છે તેમનો પણ કોન્ટેક કર્યો છે. તેમણે કોટનની પૂણી બનાવનારથી કન્ઝ્યુમર સુધી ખાદી પહોંચે ત્યાં સુધીના દરેક તબક્કામાં શું વેલ્યૂ એડિશન થાય છે તેનું રિસર્ચ કર્યું છે. આ પ્રોજેક્ટ માટે તેમણે ગુજરાતમાં વેડછી, પીંડવ, ગોંડલ, રાજકોટ, મોરબી, અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, મોડળી, વર્ધા, દિલ્હી તથા કલકતા વગેરે સ્થળોએ ખાદી સાથે સંકળાયેલા લોકોનું ઓબઝર્વેશન કર્યું છે. ખાદીમાં મહેનત વધવાથી કારીગરો ઇન્ડસ્ટ્રી તરફ વળવા લાગ્યા છે. નિરાલી કહે છે કે, ખાદી સાથે સંકળાયેલી મુખ્ય કોમ્યુનિટી વણકરો પોતાના બાળકોે આ વ્યવસાયમાં વાળવા નથી માગતા. તેમણે પોતાનો સંપૂર્ણ પ્રોજેક્ટ મેનેજમેન્ટની થિયરી પ્રમાણે કર્યો છે. પૂણી બનાવવી, કાંતવું, વણવું, ડિઝાઇનિંગ કલર કામ વગેરે દરેક તબક્કામાં કોઇને કોઇ વેલ્યૂ એડ થાય છે તે માટે ખાદીની વેલ્યૂચેઇન પર રિસર્ચ કર્યું છે.

No comments:

Post a Comment