Sunday, December 5, 2010

મેકબેથ અને આદિલ મન્સૂરીને જોડતું નાટક સ્લીપલેસ

અમદાવાદના ૬૦૦ વર્ષના સેલિબ્રેશનના ભાગ રૃપે અમદાવાદના છારાનગર પુસ્તકાલયમાં વાયોલેન્સ ઉપર સ્લીપ લેસ નાટકની રજૂઆત કરી હતી. આ નાટકમાંજાણીતા કવિ આદિલ મન્સૂરી અને તેમની ગઝલોના આધારે બનાવવામાં આવ્યું છે. આ નાટક થર્ડ થિયેટર ફોર્મમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ નાટક અંતમાં મેકબેથનું ફેમસ સીન પર્ફોમ કરવામાં આવ્યું છે. જેમાં મેકબેથ પોતાના પિતાનેમારી નાખે છે, ત્યાર પછી તેના હાથ લોહીવાળા થઇ જાય છે. અને તે જ્યારે પણ હાથ ધોવા જાય છે ત્યારે તેને હાથમાં લોહી દેખાય છે. એટલે તે ઊંઘી સકતો નથી. આ નાટકમાં આદિલ મન્સૂરી સાથે મેકબેથને કનેક્ટ કરી બંનેને જોડવામાં આવ્યા છે.
છારાનગરના બાળકોએ અમદાવાદ ફેસ્ટિવલમાં શેક્સપિરિયન ડ્રામા મેકબેથ રજૂ કરીને શેક્સપિરિયન કોમેડી અને આદિલ મન્સૂરીના વિચારો સાથે કેટલી સામ્યતા છે તે સુંદર રીતે દર્શાવ્યું હતું.


આ નાટકના આસિસ્ટન્ટ ડિરેક્ટર આતીશ ઇન્દ્રેકર કહે છે કે, આપણે જે બોલી નથી શકતા અથવા આપણી તકલીફોને બાર નથી લાવી શકતા એને બાર લાવવા માટે થિયેટર કામમાં આવે છે. આ નાટક આદિલ મન્સૂરીની જાણીતી ગઝલ નદીની રેતમાં રમતું નગર મળે ના મળે આધારે રજૂ કરવામાં આવ્યું છે. જેમાં આદિલ મન્સૂરીની તકલીફો, શહેર વિશે તેમની સમજણ, તેઓ કેવી રીતે રહેતા હતા વગેરે સ્લીપ લેસ નાટક દ્વારા બતાવવામાં આવ્યું છે.

No comments:

Post a Comment