ગુજરાતના બાળકો પર્યાવરણથી નજીક આવે તે માટે ખાસ ગાંધીનગરમાં આવેલા ઈન્દ્રોડા નેચર પાર્કની પાસે આવેલા શાહપુર-લવારપુર પાસે ૩૦૦ એકરની નદી કિનારાના વિશાળા કોતરોમાં અરણ્ય પાર્ક બનાવવામાં આવ્યો છે. જે આગામી ભવિષ્યમાં એક હર્બિવરસ પાર્ક બનશે. આમ ઈન્દ્રોડા પાર્ક પાસે આવેલી સાબરમતી નદીના સામેના કાંઠે આવેલા વિશાળ અરણ્ય પાર્કમાં હરણ, સાબર, વાંદરા, નીલ ગાય જેવા તૃણાહારી પ્રાણીઓ ખુલ્લા જંગલમાં ફરતા જોવા મળશે. છેલ્લા કેટલાંય વર્ષોથી ગુજરાતના બાળકોમાં પર્યાવરણની એક જાગુ્રતિ આવી છે.બાળકોની પ્રકૃતિ પ્રત્યેની ભૂખને સંતોષવા માટે અરણ્ય પાર્ક અમદાવાદ અને ગાંધીનગર પાસેનું બેસ્ટ ડેસ્ટિનેશન છે.
આ એક ઉત્તમ પ્રકારનો કોન્સેપ્ટ છે જેમાં આપણે સીઘા જ પ્રકૃતિના મૂળરૂપ સાથે સંપર્કમાં આવીને તેને માણી શકીએ છીએ.પરંતુ વાહનો બહાર રાખીને આ પ્રકારની શુઘ્ઘ જગ્યાને માણવામાં આવે તો ભવિષ્યમાં પણ આવી વિશાળા પ્રાકૃતિક જગ્યા પ્રાણીઓ માટે અને પર્યાવરણ માટે વઘુ સારી રીતે જળવાઈ રહે. અમેરિકામાં આ પ્રકારના કોન્સેપ્ટ છે પરંતુ શિસ્ત સાથે જળવાઈ રહ્યા છે. ત્યાં આ પ્રકારના પાર્કમાં પ્રવાસીઓ ચાલીને જ જોવા જાય છે. આપણે સ્વયં શિસ્તથી વાહનોની અવરજવર રોકીશું તો જ પ્રકૃતિની યોગ્ય રીતે જાણવણી થઈ શકશે. અરણ્ય પાર્ક ગાંઘીનગરથી વાયા લવારપુર- ચિલોડા જવાના રસ્તે સાબરમતી નદીનો બ્રિજ ઓળંગીને જઈ શકાય છે.પાર્કમાં ચાલતા ચાલતા જ અનેક નીલગાયોના ટોળાઓ અને વાંદરાઓને સરળતાથી કોઈપણ પર્યાવરણ પ્રેમી માણી શકે છે. આજ જગ્યાએ એક વિશાળ બટરફ્લાય પાર્ક બનાવવાનું આયોજન પણ થઇ ચૂક્યું છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

No comments:
Post a Comment