કલાકારો કુદરતના સાનિધ્યની વચ્ચે રહીને જે આકૃતિનું સર્જન કરે છે તેમાં સ્વાભાવિક છે કે તેમાં કુદરતના વિવિધ રંગો પણ આપ મેળે જ ઉમેરાઇ જતા હોય છે. અમદાવાદની નજીક આવેલી આર્ચર આર્ટ ગેલેરી દ્વારા પણ એક આવો જ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં કલાકારો કુદરતના સાનિધ્યમાં રહીને કુદરતને લગતી વિવિધ શિલ્પ કૃતિઓનું સર્જન કરે તે માટે શીલજ રોડ પર આવેલા એક ફાર્મ હાઉસ ખાતે દસ દિવસના સ્કલ્પચર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં પ્રથમ વખત આ પ્રકારના સ્કલ્પચર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દસ દિવસના આ કેમ્પમાં ભારતના વિવિધ ભાગોમાંથી કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં હરિયાણાના રતનસિંહ, વડોદરાના ગણેશ ઉરાલા, ઉદવાડાના રમેશ પટેલ, ઉદેપુરના રાકેશકુમાર અને પુષ્પકાંત ત્રિવેદી અને અમદાવાદના ગૌરાંગ સોમપુરા તથા રિદ્ધિ શાહે આ કેમ્પમાં પાર્ટિશિપેટ કર્યું હતું.
આ કલાકારોમાંથી કેટલાક કલાકારો વિવિધ આર્ટ કોલેજમાં સ્નાતક થયેલા છે. જ્યારે ઉદવાડાના રમેશ પટેલ સ્વયંસ્ફૂરિત કલાકાર છે. તેમણે કદી આર્ટ કોલેજના પગથિયા પણ નથી ચઢ્યા. આ કલાકારોએ દસ દિવસ સુધી કુદરતી વાતાવરણની વચ્ચે રહીને ધ્રાંગધ્રાના સેન્ડસ્ટોન તથા બેસલાણાના બ્લેક માર્બલમાંથી વિવિધ કલાકૃતિઓનું સર્જન કર્યું છે. તેઓએ કુદરતમાંથી પ્રેરણા લઇને પોતાના તથા કુદરતના સ્વભાવને પથ્થરમાં વ્યક્ત કર્યો છે.
આ અંગે ઉદવાડાના કલાકાર રમેશ પટેલ કહે છે કે, મેં પથ્થરના સ્વભાવને ધ્યાનમા ંરાખીને ફૂલોની નજાકતને પત્થરમાં કંડારવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે ફૂલને આપણે પ્રત્યક્ષ નિહાળીને ફૂલના સ્વભાવને પથ્થરમાં સ્થાપિત કરવો ખૂબ જ અઘરો છે. મારબલ કરતા સેન્ડસ્ટોનમાંથી સ્કલ્પચર બનાવવું થોડું સહેલું પડે છે, કારણ કે સેન્ડસ્ટોન થોડો સ્મૂધ હોય છે. આ અંગે અમદાવાદના કલાકાર ગૌરાંગ સોમપુરા કહે છે કે, મેં સેન્ડસ્ટોન અને માર્બલ સ્ટોનની ખાસિયતને આ કેમ્પમાં બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે. માર્બલ પર કામ કરતી વખતે ખૂબ જ ધ્યાનપૂર્વક અને સફાઇથી કામ કરવું પડે છે. કેમ કે એક નાનકડી ભૂલને કારણે ક્યારેક મહેનતથી તૈયાર કરેલું શિલ્પ નકામું બની જાય છે.
આ કેમ્પમાં પાર્ટિસિપેટ કરનાર વડોદરાના ગણેશ ઉરાલા કહે છે કે, મેં સ્ટોનમાંથી એક બાળકના માથાનું સ્કલ્પચર બનાવ્યું છે. આ માથું થોડું મોટું થઇ ગયુ છે. જેમાં એવો ભાવ વ્યક્ત થયો છે કે, પુસ્તકો વાંચવા માટે અને અન્ય જ્ઞાાન મેળવવા માટે મોટું માથું હોવુ જોઇએ.આ અંગે રિધ્ધી શાહ કહે છે, કોઈપણ કલાકારને શાંતિ જોઈએ. એમાં પણ શિલ્પ સાથે સંકળાયેલા કલાકારોને બહુજ ધીરજ અને શાંતિથી કામ કરવાનું હોવાથી અમદાવાદના આઉટસ્કર્ટ બેસ્ટ ઓપ્શન છે.એમાં પણ અત્યારે વસંત ઋતુના આગમનના કારણે માહોલ પણ આર્ટને લગતો છે.
અમદાવાદની નજીક શીલજ રોડ પર આવેલા એક ફાર્મ હાઉસમાં ભારતના વિવિધ પ્રદેશોમાંથી આવેલા કલાકારોએ કુદરતના સાનિધ્યમાં રહીને ધ્રાંગધ્રાના સેન્ડસ્ટોન અને બેસલાણાના બ્લેક માર્બલ પર વિવિધ કુદરતી શિલ્પકૃતિઓનું સર્જન કર્યું
અમદાવાદમાં પ્રથમ વખત આ પ્રકારના સ્કલ્પચર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દસ દિવસના આ કેમ્પમાં ભારતના વિવિધ ભાગોમાંથી કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં હરિયાણાના રતનસિંહ, વડોદરાના ગણેશ ઉરાલા, ઉદવાડાના રમેશ પટેલ, ઉદેપુરના રાકેશકુમાર અને પુષ્પકાંત ત્રિવેદી અને અમદાવાદના ગૌરાંગ સોમપુરા તથા રિદ્ધિ શાહે આ કેમ્પમાં પાર્ટિશિપેટ કર્યું હતું.
આ કલાકારોમાંથી કેટલાક કલાકારો વિવિધ આર્ટ કોલેજમાં સ્નાતક થયેલા છે. જ્યારે ઉદવાડાના રમેશ પટેલ સ્વયંસ્ફૂરિત કલાકાર છે. તેમણે કદી આર્ટ કોલેજના પગથિયા પણ નથી ચઢ્યા. આ કલાકારોએ દસ દિવસ સુધી કુદરતી વાતાવરણની વચ્ચે રહીને ધ્રાંગધ્રાના સેન્ડસ્ટોન તથા બેસલાણાના બ્લેક માર્બલમાંથી વિવિધ કલાકૃતિઓનું સર્જન કર્યું છે. તેઓએ કુદરતમાંથી પ્રેરણા લઇને પોતાના તથા કુદરતના સ્વભાવને પથ્થરમાં વ્યક્ત કર્યો છે.
આ અંગે ઉદવાડાના કલાકાર રમેશ પટેલ કહે છે કે, મેં પથ્થરના સ્વભાવને ધ્યાનમા ંરાખીને ફૂલોની નજાકતને પત્થરમાં કંડારવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે ફૂલને આપણે પ્રત્યક્ષ નિહાળીને ફૂલના સ્વભાવને પથ્થરમાં સ્થાપિત કરવો ખૂબ જ અઘરો છે. મારબલ કરતા સેન્ડસ્ટોનમાંથી સ્કલ્પચર બનાવવું થોડું સહેલું પડે છે, કારણ કે સેન્ડસ્ટોન થોડો સ્મૂધ હોય છે. આ અંગે અમદાવાદના કલાકાર ગૌરાંગ સોમપુરા કહે છે કે, મેં સેન્ડસ્ટોન અને માર્બલ સ્ટોનની ખાસિયતને આ કેમ્પમાં બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે. માર્બલ પર કામ કરતી વખતે ખૂબ જ ધ્યાનપૂર્વક અને સફાઇથી કામ કરવું પડે છે. કેમ કે એક નાનકડી ભૂલને કારણે ક્યારેક મહેનતથી તૈયાર કરેલું શિલ્પ નકામું બની જાય છે.
આ કેમ્પમાં પાર્ટિસિપેટ કરનાર વડોદરાના ગણેશ ઉરાલા કહે છે કે, મેં સ્ટોનમાંથી એક બાળકના માથાનું સ્કલ્પચર બનાવ્યું છે. આ માથું થોડું મોટું થઇ ગયુ છે. જેમાં એવો ભાવ વ્યક્ત થયો છે કે, પુસ્તકો વાંચવા માટે અને અન્ય જ્ઞાાન મેળવવા માટે મોટું માથું હોવુ જોઇએ.આ અંગે રિધ્ધી શાહ કહે છે, કોઈપણ કલાકારને શાંતિ જોઈએ. એમાં પણ શિલ્પ સાથે સંકળાયેલા કલાકારોને બહુજ ધીરજ અને શાંતિથી કામ કરવાનું હોવાથી અમદાવાદના આઉટસ્કર્ટ બેસ્ટ ઓપ્શન છે.એમાં પણ અત્યારે વસંત ઋતુના આગમનના કારણે માહોલ પણ આર્ટને લગતો છે.

No comments:
Post a Comment